રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો; સાંસદ બેનિવાલે CBI તપાસની કરી માગ

  • India
  • March 19, 2025
  • 0 Comments
  • રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો

રાજકોટના ગોંડલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો હવે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચી ગયો છે. UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમારના પિતા રતનભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે માર મારવામાં આવ્યો હતો.

રાજકુમાર 3 માર્ચે ગુમ થયો હતો અને તેનો મૃતદેહ રાજકોટ જિલ્લામાંથી મળી આવ્યો હતો. પોલીસે દાવો કર્યો કે રાજકુમારનું મોત બસની ટક્કરથી થયું છે, પરંતુ પરિવારજનો આ વાત સ્વીકારવા તૈયાર નથી અને તેઓ સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.

રાજસ્થાનમાં જાટ સમાજમાં રોષ અને સીબીઆઈ તપાસની માગ

રાજસ્થાનમાં જાટ સમાજે આ મામલે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને સીબીઆઈ તપાસની માગણી કરી છે. રાજસ્થાનના ત્રણ સાંસદોએ પણ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે અવાજ ઉઠાવ્યો છે. બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવીને સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમણે જણાવ્યું કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારજનો અને સાથીઓ પર હત્યાનો આરોપ છે, જેમનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે.

ગુજરાત પોલીસ પર દબાણ હોવાને કારણે નિષ્પક્ષ તપાસ થઈ રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે પીડિત પરિવારને ન્યાય આપવાને બદલે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને પુરાવાઓ નષ્ટ કરવાની કોશિશ કરી છે. ઘટનાને માર્ગ અકસ્માત તરીકે દર્શાવવામાં આવી રહી છે, પરંતુ મૃતદેહ પર 48 ઈજાના નિશાન મળ્યા છે. ઘટનાના 16 દિવસ બાદ પણ પોલીસે FIR નોંધી નથી. બેનિવાલે વડાપ્રધાન અને ગૃહમંત્રીને આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવા અપીલ કરી, જેથી દોષિતોને સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે.

શું હતી આખી ઘટના?

રાજકુમાર જાટના પિતા રતનભાઈ ચૌધરી મૂળ રાજસ્થાનના છે અને છેલ્લા 30 વર્ષથી ગોંડલમાં રહે છે, જ્યાં તેઓ ત્રણ ખૂણિયા નજીક શ્રીજી પાંઉભાજી નામની દુકાન ચલાવે છે. 3 માર્ચે રાજકુમાર ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી તે ઘરે ન પહોંચતા, 5 માર્ચે રતનભાઈએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ અને રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

શહેરના બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળોએ રાજકુમારના ગુમ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાજકુમાર UPSCની તૈયારી કરી રહ્યો હતો. 4 માર્ચે રાત્રે 3 વાગ્યે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 9 માર્ચે પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી, અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.

પરિવારનો હત્યાનો આરોપ

રાજકુમારના મોત બાદ પરિવારે આક્ષેપ કર્યો કે તેનું મોત અકસ્માતથી નહીં, પરંતુ હત્યા કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે 2 માર્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીક રાજકુમાર અને તેના પિતાને માર મારવામાં આવ્યો હતો. પરિવારે જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર હત્યાનો આરોપ લગાવીને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

આ પણ વાંચો- સોનિયા ગાંધીની મનરેગા યોજના અંગેની ચિંતાઓ શું દર્શાવે છે?

Related Posts

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
  • October 29, 2025

Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો…

Continue reading
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
  • October 29, 2025

Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 8 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 14 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 28 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump