રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો; સાંસદ બેનિવાલે CBI તપાસની કરી માગ

  • India
  • March 19, 2025
  • 0 Comments
  • રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો

રાજકોટના ગોંડલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો હવે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચી ગયો છે. UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમારના પિતા રતનભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે માર મારવામાં આવ્યો હતો.

રાજકુમાર 3 માર્ચે ગુમ થયો હતો અને તેનો મૃતદેહ રાજકોટ જિલ્લામાંથી મળી આવ્યો હતો. પોલીસે દાવો કર્યો કે રાજકુમારનું મોત બસની ટક્કરથી થયું છે, પરંતુ પરિવારજનો આ વાત સ્વીકારવા તૈયાર નથી અને તેઓ સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.

રાજસ્થાનમાં જાટ સમાજમાં રોષ અને સીબીઆઈ તપાસની માગ

રાજસ્થાનમાં જાટ સમાજે આ મામલે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને સીબીઆઈ તપાસની માગણી કરી છે. રાજસ્થાનના ત્રણ સાંસદોએ પણ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે અવાજ ઉઠાવ્યો છે. બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવીને સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમણે જણાવ્યું કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારજનો અને સાથીઓ પર હત્યાનો આરોપ છે, જેમનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે.

ગુજરાત પોલીસ પર દબાણ હોવાને કારણે નિષ્પક્ષ તપાસ થઈ રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે પીડિત પરિવારને ન્યાય આપવાને બદલે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને પુરાવાઓ નષ્ટ કરવાની કોશિશ કરી છે. ઘટનાને માર્ગ અકસ્માત તરીકે દર્શાવવામાં આવી રહી છે, પરંતુ મૃતદેહ પર 48 ઈજાના નિશાન મળ્યા છે. ઘટનાના 16 દિવસ બાદ પણ પોલીસે FIR નોંધી નથી. બેનિવાલે વડાપ્રધાન અને ગૃહમંત્રીને આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવા અપીલ કરી, જેથી દોષિતોને સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે.

શું હતી આખી ઘટના?

રાજકુમાર જાટના પિતા રતનભાઈ ચૌધરી મૂળ રાજસ્થાનના છે અને છેલ્લા 30 વર્ષથી ગોંડલમાં રહે છે, જ્યાં તેઓ ત્રણ ખૂણિયા નજીક શ્રીજી પાંઉભાજી નામની દુકાન ચલાવે છે. 3 માર્ચે રાજકુમાર ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી તે ઘરે ન પહોંચતા, 5 માર્ચે રતનભાઈએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ અને રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

શહેરના બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળોએ રાજકુમારના ગુમ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાજકુમાર UPSCની તૈયારી કરી રહ્યો હતો. 4 માર્ચે રાત્રે 3 વાગ્યે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 9 માર્ચે પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી, અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.

પરિવારનો હત્યાનો આરોપ

રાજકુમારના મોત બાદ પરિવારે આક્ષેપ કર્યો કે તેનું મોત અકસ્માતથી નહીં, પરંતુ હત્યા કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે 2 માર્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીક રાજકુમાર અને તેના પિતાને માર મારવામાં આવ્યો હતો. પરિવારે જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર હત્યાનો આરોપ લગાવીને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

આ પણ વાંચો- સોનિયા ગાંધીની મનરેગા યોજના અંગેની ચિંતાઓ શું દર્શાવે છે?

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 9 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 35 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ