રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો; સાંસદ બેનિવાલે CBI તપાસની કરી માગ

  • India
  • March 19, 2025
  • 0 Comments
  • રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો

રાજકોટના ગોંડલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો હવે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચી ગયો છે. UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમારના પિતા રતનભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે માર મારવામાં આવ્યો હતો.

રાજકુમાર 3 માર્ચે ગુમ થયો હતો અને તેનો મૃતદેહ રાજકોટ જિલ્લામાંથી મળી આવ્યો હતો. પોલીસે દાવો કર્યો કે રાજકુમારનું મોત બસની ટક્કરથી થયું છે, પરંતુ પરિવારજનો આ વાત સ્વીકારવા તૈયાર નથી અને તેઓ સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.

રાજસ્થાનમાં જાટ સમાજમાં રોષ અને સીબીઆઈ તપાસની માગ

રાજસ્થાનમાં જાટ સમાજે આ મામલે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને સીબીઆઈ તપાસની માગણી કરી છે. રાજસ્થાનના ત્રણ સાંસદોએ પણ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે અવાજ ઉઠાવ્યો છે. બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવીને સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમણે જણાવ્યું કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારજનો અને સાથીઓ પર હત્યાનો આરોપ છે, જેમનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે.

ગુજરાત પોલીસ પર દબાણ હોવાને કારણે નિષ્પક્ષ તપાસ થઈ રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે પીડિત પરિવારને ન્યાય આપવાને બદલે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને પુરાવાઓ નષ્ટ કરવાની કોશિશ કરી છે. ઘટનાને માર્ગ અકસ્માત તરીકે દર્શાવવામાં આવી રહી છે, પરંતુ મૃતદેહ પર 48 ઈજાના નિશાન મળ્યા છે. ઘટનાના 16 દિવસ બાદ પણ પોલીસે FIR નોંધી નથી. બેનિવાલે વડાપ્રધાન અને ગૃહમંત્રીને આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવા અપીલ કરી, જેથી દોષિતોને સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે.

શું હતી આખી ઘટના?

રાજકુમાર જાટના પિતા રતનભાઈ ચૌધરી મૂળ રાજસ્થાનના છે અને છેલ્લા 30 વર્ષથી ગોંડલમાં રહે છે, જ્યાં તેઓ ત્રણ ખૂણિયા નજીક શ્રીજી પાંઉભાજી નામની દુકાન ચલાવે છે. 3 માર્ચે રાજકુમાર ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી તે ઘરે ન પહોંચતા, 5 માર્ચે રતનભાઈએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ અને રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

શહેરના બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળોએ રાજકુમારના ગુમ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાજકુમાર UPSCની તૈયારી કરી રહ્યો હતો. 4 માર્ચે રાત્રે 3 વાગ્યે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 9 માર્ચે પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી, અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.

પરિવારનો હત્યાનો આરોપ

રાજકુમારના મોત બાદ પરિવારે આક્ષેપ કર્યો કે તેનું મોત અકસ્માતથી નહીં, પરંતુ હત્યા કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે 2 માર્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીક રાજકુમાર અને તેના પિતાને માર મારવામાં આવ્યો હતો. પરિવારે જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર હત્યાનો આરોપ લગાવીને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

આ પણ વાંચો- સોનિયા ગાંધીની મનરેગા યોજના અંગેની ચિંતાઓ શું દર્શાવે છે?

Related Posts

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”
  • May 4, 2026

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોના દિવસે એક અત્યંત રોમાંચક સ્થિતિ સર્જાઈ છે. બપોર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતી તરફ જતી દેખાતા તૃણમૂલ કોંગ્રેસના છાવણીમાં…

Continue reading
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
  • May 4, 2026

Priyanka Chaturvedi: દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ અને ત્યારબાદ અદાલતો દ્વારા હાઈ-પ્રોફાઈલ કેસોમાં આરોપીઓને ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કરવાના વલણ સામે પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારે નારાજગી વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 2 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 4 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 7 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 7 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 11 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

  • May 4, 2026
  • 9 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો