
Gandhinagar: ઘણા સમયથી આરોગ્યકર્મીઓ પોતાની માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે હવે આરોગ્યકર્મીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આરોગ્યકર્મીઓએ હડતાળ પર ઉતરી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. તેમની માગો પૂર્ણ નહીં થાય ત્યા સુધી તેઓ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર રહેશે. માગણીઓને આરોગ્યમંત્રી રુષિકેશ પટેલ ગેરવ્યાજબી ગણાવી હતી. જેથી ક્યાયને ક્યા આ નિવેદનનો પણ આરોગ્યકર્મીમાં રોષ જોવા મળી રહ્યો છે.
આજે આરોગ્યકર્મીઓના હડતાળનો 8 મો દિવસ છે. આરોગ્યકર્મીએ 19 માર્ચથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. સરકારે હડતાળના દિવસનો પગાર કાપવાની ચીમકી પણ ઉચ્ચારી છે, છતાં આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યાં છે. આજે સોમવારે વધુ 33 જીલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે અને વિરોધ પ્રદર્શન કરશે. આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે. ધીમે ધીમે જીલ્લાભરમાંથી આરોગ્યકર્મીઓ આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત ચાપતો ગોઠવાયો છે. બીજી તરફ આરોગ્યકર્મીઓની હડતાળથી દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે. રોજે રોજ આવતાં દર્દીઓને હોસ્પિટલના ધક્કા ખાવાના વારા આવ્યા છે.
આરોગ્યમંત્રીનું માંગને શું કહ્યું હતુ?
આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે ‘આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.’
આરોગ્યકર્મીઓની શું માગણી?
મુખ્ય માંગણીઓમાં MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની માગ છે.
આ પણ વાંચોઃ Rajkot: નમકીન કંપનીમાં ભયંકર આગ, આગના પગલે મેજર કોલ જાહેર
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar: