Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • Gujarat
  • August 7, 2025
  • 0 Comments

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું?

ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંગઠનના પૂર્વ મહામંત્રી અને પૂર્વ પ્રમુખ યોગેશભાઈ બદાણીની એક ફેસબુક પોસ્ટે રાજકીય વર્તુળોમાં ભારે ઉહાપોહ મચાવ્યો છે. આ વિવાદિત પોસ્ટમાં “BJP હટાવો, દેશ બચાવો” જેવું ચોંકાવનારું નિવેદન લખવામાં આવ્યું હતું, જે થોડી જ ક્ષણોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ ગયું. આ પોસ્ટે ભાજપના નેતાઓની ઊંઘ ઉડાડી દીધી. કારણ કે યોગેશભાઈ બદાણી લાંબા સમયથી ભાજપના વફાદાર નેતા તરીકે ઓળખાતા હતા.

મળતી જાણકારી અનુસાર યોગેશભાઈ બદાણીના ફેસબુક એકાઉન્ટ પરથી આ વિવાદિત મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડી જ મિનિટોમાં તેને ડિલીટ કરી દેવામાં આવ્યો. જોકે, સોશિયલ મીડિયાની ઝડપી ગતિને કારણે આ પોસ્ટના સ્ક્રીનશૉટ્સ ઝડપથી ફેલાઈ ગયા, જેના કારણે આ ઘટના ભાવનગરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ. આ સ્ક્રીનશૉટ્સે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો અને લોકોમાં આ ઘટના અંગે વિવિધ અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ.

યોગેશભાઈ બદાણીએ શું કહ્યું?

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં યોગેશભાઈ બદાણીએ દાવો કર્યો કે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. તેમણે જણાવ્યું કે, “મારા ફેસબુક એકાઉન્ટનો યૂઝર આઈડી અને પાસવર્ડ ભાજપના અન્ય કેટલાક કાર્યકર્તાઓ પાસે પણ હતા, કારણ કે સંગઠનના કામકાજ માટે એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. મને શંકા છે કે કોઈએ જાણી જોઈને અથવા ભૂલથી આવી વિવાદિત પોસ્ટ મૂકી હોય શકે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપના વરિષ્ઠ કાર્યકર ભરતસિંહે આ પોસ્ટ વિશે તેમને તાત્કાલિક જાણ કરી હતી, જે બાદ તેમણે તરત જ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. યોગેશભાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક સંદેશ પણ પોસ્ટ કર્યો, જેમાં તેમણે એકાઉન્ટ હેક થયાનો દાવો કર્યો અને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો.

આ ઘટનાએ ભાવનગરના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો લાવ્યો છે. ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકો આ ઘટનાને પક્ષની અંદરની આંતરિક રાજનીતિ સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ પોસ્ટ ભાજપના આંતરિક જૂથવાદનું પરિણામ હોઈ શકે, જ્યાં કોઈ પક્ષની અંદરની ગતિવિધિઓને કારણે યોગેશભાઈને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હોય. બીજી તરફ, કેટલાક લોકો એકાઉન્ટ હેક થવાના દાવાને શંકાની નજરે જોઈ રહ્યા છે અને માને છે કે આ ઘટના પાછળ અન્ય કોઈ રાજકીય ષડયંત્ર હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. ઘણા યૂઝર્સે યોગેશભાઈ બદાણીના દાવાને ટેકો આપ્યો છે, જ્યારે અન્ય લોકોએ આ પોસ્ટને રાજકીય સ્ટંટ તરીકે ગણાવ્યો છે. ખાસ કરીને, વાયરલ થયેલા સ્ક્રીનશૉટ્સે લોકોમાં આ ઘટના અંગે વધુ ચર્ચા અને અટકળોને જન્મ આપ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે ટિપ્પણી કરી કે, “આવી પોસ્ટ ભાજપ જેવા મજબૂત સંગઠનના નેતા પાસેથી આવે તે આશ્ચર્યજનક છે, પરંતુ હેકિંગનો દાવો પણ શંકાસ્પદ લાગે છે. “ભાજપના સ્થાનિક નેતૃત્વે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના ઉચ્ચ નેતાઓ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આંતરિક તપાસ શરૂ કરવાની શક્યતા છે.

યોગેશભાઈ બદાણીના ફેસબુક એકાઉન્ટની સુરક્ષા અને આ પોસ્ટની પાછળના વાસ્તવિક કારણોની તપાસ હાલમાં ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ભાજપના કેટલાક નેતાઓએ આ ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી છે અને પક્ષની છબીને નુકસાન ન થાય તે માટે ઝડપી પગલાં લેવાની વાત કરી છે.આ ઘટનાએ ભાવનગરના રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે, અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખૂલાસા થવાની શક્યતા છે. ર્તુળો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

-નીતીન ગોહેલ

આ પણ વાંચો:

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 3 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 4 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 9 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!