
Vyara: ગઈકાલથી વ્યારાના માંડળ ટોલ નાકા પર સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આજે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. વ્યારાથી સોનગઢની વચ્ચે આવેલા માંડળ ટોલ પ્લાઝા પર સ્થાનિકો અને આસપાસના ગામના લોકો સાથે ટોલ વસૂલી કરતાં લોકો રોષે ભરાયા છે. કોઈ ખેડૂતને વાહન લઈ પોતાના ખેતરમાં જવું હોય તો પણ ટોલ ચૂકવવો પડે છે. જેને લઈ હવે ટોલ નાબૂતી માટે લોકો ભારે વિરોધ પર ઉતર્યા છે.
તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના માંડળ ગામે આવેલા ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા ટોલનાકાથી 20 કિમીના એરિયામાં આવતાં વિસ્તારના વાહન ચાલકો પાસે ટોલ ફી વસૂલાઈ રહી છે. જેથી ટોલ ઉઘરાણું બંધ કરવા સ્થાનિકો ટોલ પર વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સોનગઢના માંડળ ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસે મસ મોટી ટોલ ફી લેવામાં આવે છે. એમાં વળી ટોલનાકુ બનાવતી વખતે જેમણે પોતાની જમીન ગુમાવી છે તેની પાસેથી પણ ટોલ ફી અને મંથલી પાસ સ્વરૂપે નાણાં વસૂલ કરવામાં આવી રહ્યાં છે.
ગઈકાલે બુધવારે જિલ્લાના સ્થાનિક લોકોએ સોનગઢ તાલુકામાં આવેલ માંડળ ટોલનાકનો ઘેરાવો કરી માંડલ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોની માગ છે કે અમને ટોલમાંથી મુક્તિ આપમાં આવે. બીજા ટોલનાકાઓ પર સ્થાનિકોને ટોલથી મુક્તિ હોય છે. તો અમારે પણ 20 કિમીના અંતરમાં મુક્તિ જોઈએ. અમારા પોતાના ખેતરે જવું હોય તો પણ ટોલ ચૂકવવો પડે છે. જેથી અમારી માગનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.
આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી રસ્તા પર સુઈને વિરોધ નોંધાવ્યો હતો તેમની સાથે સ્થાનિકો માંડળ ટોલના સત્તાધીશોનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.
આ પણ વાંચોઃ Valsad: ભત્રીજાએ બળાત્કાર ગુજારી કાકીને મારી નાખી, સળેલી લાશ મળી
આ પણ વાંચોઃ US: ટ્રમ્પના અધિકારીઓની મોટી ભૂલ, એપમાંથી ગૃપ્ત માહિતી લીક, જુઓ VIDEO
આ પણ વાંચોઃ Kheda: ઠાસરામાં પાણી નહીં અપાય તો ખેડૂત આંદોલન!, 2500 વીઘાના પાકને નુકસાનની ભીતી
આ પણ વાંચોઃ Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ
આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી