દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas

Dharmaswarupdas bail-cancelled: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બેફામ બની રહ્યા છે. કંઈને કંઈ વાણીવીલાસ કરે છે. ઘણા સ્વામીઓ  મહિલા, બાળકો પર દુષ્કર્મ કરતાં ઝડપાયા છે. ત્યારે દુષ્કર્મના એક આરોપી સ્વામીની આગતરો જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

વર્ષ 2024માં સ્વામી ધર્મસ્વરૂપદાસ વિરુધ્ધ ગુરુકુળમાં રહેતી મહિલાએ રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાના આરોપ લગાવ્યા હતા. ત્યારથી સ્વામી વિદેશમાં ફરાર થઈ ગયા છે. વિદેશ રહી હાઈકોર્ટમાં આગોતરા જામીનની માગ કરી હતી. જો કે કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. જેથી સ્વામી મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ધર્મસ્વરુપદાસએ મહિલા પર ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યાના આરોપ

 મહિલાનો આરોપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મસ્વરૂપદાસએ તેને એક ગેસ્ટ હાઉસની રુમમાં લઈ ગયો હતો. જ્યા તેણે મહિલા સાથે  શરીર સંબંધો બાંધ્યા હતા. જેથી મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો. દીક્ષા આપવાનો અધિકાર માત્ર વડતાલ ધામને છે, તેમ છતાં સ્વામી ધર્મસ્વરૂપદાસે ગુરુકુળમાં મહિલાને દીક્ષા આપી હતી.

આરોપી ધર્મસ્વરૂપદાસે આગોતરા જામીન અરજીમાં પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે યુવતીના માતા-પિતા તેને સાધ્વી બનવું હોવાથી ખીરસરા ગુરુકુળમાં મૂકી ગયા હતા. યુવતી પુખ્તવયની છે અને ગેસ્ટહાઉસમાં તેની સાથે લગ્ન કરેલા છે. આ સંબંધો સહમતિથી હતા, તેથી દુષ્કર્મનો કેસ ન ગણી શકાય. જો કે બળાત્કારનો કેસ થયો ત્યારથી સ્વામી ન્યૂયોર્ક છે, અને તેણે ત્યાથી આગોતરા જામીન અરજી કરી હતી.

રાજકોટ કોર્ટે પણ જામીન ફગાવ્યા હતા

પહેલા રાજકોટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો ત્યા પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સોગંદનામા સાથે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અહીં પણ અરજી ફગાવી દેવાાં આવી છે. સાથે સાથે દુષ્કર્મના આરોપી ધર્મસ્વરૂપદાસ  સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જેથી તેની વિદેશમાંથી પણ ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

આ પણ વાંચો: Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

Related Posts

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: શીતલ સિમ્મી ચૌધરી મર્ડર મિસ્ટ્રી: હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર…

Continue reading
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 1 views

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 13 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી