વક્ફ બીલ લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાંથી પાસ કરવું પડશે| Rajya Sabha Waqf Bill

  • India
  • April 3, 2025
  • 0 Comments

Waqf Amendment Bil: મોદી સરકાર વકફ બિલ પર જે પહેલું કાર્ય કરવા માગતી હતી, તેને પૂર્ણ કરી ચૂકી છે. ગઈકાલે લોકસભમાં વક્ફ સુધારા બીલ પાસ થઈ ગયું હતુ. વિપક્ષો હોબાળો નકામો ગયો છે. લોકસભામાં સરળતાથી પાસ થયેલા વકફ સુધારા બિલ પર 10 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. બુધવારે બપોરે 12 વાગ્યે કિરેન રિજિજુ દ્વારા વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જે લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે સરકાર રાજ્યસભામાં બીલ પાસ કરાવવા મથામણ કરી રહી છે. ત્યારે હવે સમજો સરકાર રાજ્યમાં કેવી રીતે બીલ પાસ કરાવશે?

ગઈકાલે બીલ પર શું થયું હતુ?

ગુરુવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 પસાર થયું હતુ. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે ગૃહમાં બિલ રજૂ કર્યું અને ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તે મુસ્લિમ સમુદાયના હિતમાં છે. વકફ બિલને ગૃહમાં 288 વિરુદ્ધ 232 મતોથી મંજૂરી આપવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બિલને પસાર કરવા માટે ગૃહની બેઠક રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ ઉપરાંત, મુસ્લિમ વકફ (રદ) બિલ, 2024, જે મુસ્લિમ વકફ એક્ટ 1923 ને રદ કરે છે, તેને પણ ગૃહમાં ધ્વનિ મતદાન દ્વારા પસાર કરવામાં આવ્યું હતુ.

લોકસભા બાદ રાજ્યસભામાંથી બીલ પાસ થશે

આજે રાજ્યસભામાં વક્ફ બીલ રજૂ કરવામાં આવશે. અને તેની પ્રક્રિયા ભારતીય સંસદના નિયમો અને પ્રક્રિયાઓને આધારે ચાલશે. રાજ્યસભામાં બિલ પાસ થવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

રજૂઆત:

લોકસભામાં પાસ થયા બાદ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બીલ કિરેન રિજિજુ રાજ્યસભામાં રજૂ કરશે.

ચર્ચા:

બિલ પર રાજ્યસભાના સભ્યો દ્વારા વિગતવાર ચર્ચા થશે. આ દરમિયાન સરકારી અને વિપક્ષી સભ્યો પોતાના મંતવ્યો રજૂ કરશે. ચર્ચા દરમિયાન બિલની જોગવાઈઓ, તેના ફાયદા-ગેરફાયદા અને સુધારાઓ પર ધ્યાન આપવામાં આવશે.

સમિતિને મોકલવું (વૈકલ્પિક): જો રાજ્યસભાના સભ્યો બિલને વધુ તપાસ માટે કોઈ સંસદીય સમિતિ (જેમ કે સ્ટેન્ડિંગ કમિટી અથવા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી)ને મોકલવાની માંગ કરે અને તે મંજૂર થાય, તો બિલ ત્યાં મોકલાઈ શકે છે. જોકે, આ બિલ પહેલેથી જ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)માંથી પસાર થઈ ચૂક્યું હોવાથી, આ પગલું ફરીથી લેવાય તેવી શક્યતા ઓછી છે.

મતદાન:

ચર્ચા પૂર્ણ થયા બાદ બિલ પર મતદાન થશે. રાજ્યસભામાં બિલ પાસ થવા માટે સાદા બહુમતીની જરૂર હોય છે, એટલે કે હાજર રહીને મતદાન કરનારા સભ્યોમાંથી 50%થી વધુ મતો બિલની તરફેણમાં હોવા જોઈએ.

રાષ્ટ્રપતિની મંજૂરી:

જો રાજ્યસભા બિલને લોકસભા દ્વારા પાસ થયેલી જ રીતે મંજૂર કરે, તો તે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બની જશે. જો રાજ્યસભા કોઈ સુધારા સાથે બિલ પાસ કરે, તો તે ફરી લોકસભામાં જશે, અને બંને સદનોની સંમતિ બાદ જ તે આગળ વધશે.

આ પણ વાંચોઃ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ પંબન રેલવે બ્રિજ તૈયાર, વીજળીથી ચાલશે! | Pamban Bridge

આ પણ વાંચોઃ ભારતની ફટાકડાની ફેક્ટરીઓ જીવલેણ બની રહી છે? | Fireworks factories

આ પણ વાંચોઃ Jamnagar: એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન તૂટી પડ્યુ, પાયલોટનું મોત

આ પણ વાંચોઃ Surat: તક્ષશિલા કાંડમાં મોતને ભેટલા બાળકોના પરિવારો 6 વર્ષથી ન્યાય લડે છે!

  • Related Posts

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
    • June 27, 2026

    Madras High Court: તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી ધર્મ અને અનામતની ખેંચતાણ પર મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મદુરાઈ પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…

    Continue reading
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
    • June 27, 2026

    Venkat Narayana Appointment Controversy: તમિલનાડુના રાજકારણમાં અત્યારે એક મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકારે દિલ્હીમાં રાજ્યના ‘વિશેષ પ્રતિનિધિ’ તરીકે વેંકટ નારાયણ કે. ની નિમણૂક કરીને એક નવો વિવાદ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    • June 27, 2026
    • 5 views
    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    • June 27, 2026
    • 6 views
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 7 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    • June 27, 2026
    • 10 views
    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    • June 27, 2026
    • 13 views
    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

    • June 27, 2026
    • 11 views
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી