આને મરાઠી ભાષાનો પ્રેમ ગણવો કે પછી MNSના કાર્યકરોની ગુંડાગીરી?

  • India
  • April 6, 2025
  • 0 Comments
  • મુંબઈના ઉલ્લાસનગરમાં MNSના કાર્યકરોએ SBI બેન્કના કર્મચારીઓને ધમકાવ્યાં
  • અંગ્રેજી અને અન્ય ભાષામાં લખેલાં બોર્ડ કાર્યકરોએ તોડી પાડ્યાં.

Mumbai । ભાષા પ્રત્યેનો પ્રેમ હોવો એ બહુ જ સાહજીક અને આવશ્યક ઘટના છે. પરંતુ, ભાષાના નામે રાજકારણ રમવું? ભાષા પ્રેમના નામે તોડફોડ કરવી, લોકોને ધમકાવવા આ બધું કેટલું યોગ્ય છે?

દેશની આર્થિક રાજધાની મુંબઈ કોસ્મોપોલિટીન શહેર છે. દરેક જાતી – ધર્મ – પ્રાંતના લોકો અહીં રહે છે. દેશ – વિદેશમાં શહેર પોતાની ઓળખ ધરાવે છે. આ સંજોગોમાં એમ.એન.એસ. પાર્ટીના કાર્યકરો મરાઠી ભાષાનો હઠાગ્રહ રાખીને છાશવારે ઉત્પાત મચાવતી જોવા મળે છે.

એમ.એન.એસ. પાર્ટીના કાર્યકરોનો મરાઠી ભાષા પ્રેમ ઉત્તમ છે. તેઓ સર્વત્ર મરાઠી ભાષામાં લખેલાં સાઈન બોર્ડ જોવા માંગે છે એ પણ બહુ સારો વિચાર છે. અને તેઓએ એમનાં વિચારને સાકાર કરવા માટે સ્થાનિક તંત્રને, ધારાસભ્યોને, મુખ્યમંત્રીને અને કંઇ નહીં તો સ્વઘોષિત મહામાનવ નરેન્દ્ર દામોદરદાસ મોદીને રજૂઆત કરવી જોઈએ. આ તમામ પર ભરોસો ના હોય તો એમણે ન્યાયાલયના દરવાજા ખખડાવવા જોઈએ. બેન્કની શાખાઓમાં કે કોઈ મોલમાં ઘુસીને ત્યાં દાદાગીરી બતાવીને પરાણે મરાઠી ભાષાનો પ્રેમ વ્યક્ત કરવા લોકોને મજબૂર કરવાથી તો કંઈ થવાનું નથી.

ખરેખર, એમ.એન.એસ. પાર્ટીના કાર્યકરોમાં જોમ – જુસ્સો હોય તો મોટા સાંઢ સામે લડે. બિચારા નાનાં લોકો પર દાદાગીરી બતાવીને આખરે શું થવાનું? રાજકીય ક્ષેત્રના માતેલાં સાંઢ તમને ગાંઠતા નથી, એટલે લાચાર લોકોની સામે પાંચ – પચ્ચીસનું ટોળું લઈ જઈને દાદાગીરી કરવાની? તોડફોડ કરવાની? અરે હિંમત કરો… દિલ્હી પહોંચો… મોદી સરકારને હચમચાવી નાંખો. પીએમ મોદીને મજબૂર કરો કે એ મહારાષ્ટ્રમાં આવે તો મરાઠીમાં ભાષણ આપવા લાગે.

એમ.એન.એસ.ના કાર્યકર્તાઓ છેવટે એવું પણ કરી શકે કે, રેલ્વે સ્ટેશન – એરપોર્ટ પર ગોઠવાઈ જાય. જે નવો વ્યક્તિ મુંબઈની ધરતી પર પગ મુકે એને સાઈડમાં લઈ જઈ મરાઠી ભાષાનું જ્ઞાન આપે. મરાઠી આવડતું ના હોય એને મુંબઈમાં ઘુસવા જ ના દેશો.. દોસ્તો… સ્ટેશન – એરપોર્ટ પર જ મરાઠીનું એવું શિક્ષણ આપો કે, આવનાર વ્યક્તિ ત્યાંથી જ રિટર્ન ટિકીટ કરાવી લે.

જુઓ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઉલ્લાસનગર બ્રાન્ચમાં એમ.એન.એસ.ના કાર્યકર્તાઓએ કેવું વર્તન કર્યું? આવા ભાષા પ્રેમ કે ભાષા હઠાગ્રહ બાબતે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવશો.

  • Related Posts

    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ
    • September 20, 2026

    Reliance Capital CBI FIR: કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે CBIએ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની ફરિયાદના આધારે Reliance Capital Limited (RCAP), તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને અન્ય…

    Continue reading
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
    • September 19, 2026

    West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    • September 20, 2026
    • 5 views
    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 5 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 6 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 9 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 10 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?