અદાણીએ પોતાના “ધંધા” માટે છત્તીસગઢના હસદેવ જંગલનો કર્યો સફાયો Save Hasdeo

  • India
  • April 6, 2025
  • 0 Comments
  • શું વડાપ્રધાન મોદીના “અંગત” અદાણીને કાયદો લાગુ નથી પડતો?
  • છત્તીસગઢના હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરાયો

SAVE HASDEO । માલેતુજારોની મોદી સરકારને ગરીબ અને મધ્યમવર્ગના દુઃખ દર્દ નથી દેખાતાં એ તો સમજ્યાં… પરંતુ, મોદી સરકારને મુંગા જીવો અને પર્યાવરણની પણ પડી નથી, એવું છત્તીસગઢની ઘટના પરથી સ્પષ્ટ થાય છે.

છત્તીસગઢના હસદેવ જંગલ વિસ્તારમાં અદાણી ગ્રૂપ દ્વારા ખનનનો મોટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હસદેવ જંગલના આદિવાસીઓ સહિતના સ્થાનિક લોકો અદાણીના પ્રોજેક્ટનો ભારે વિરોધ કરી રહ્યાં છે. પરંતુ, અદાણી સામે હાથ જોડીને અદબથી મુજરો કરતી ભાજપા સરકારના બહેરા કાન સુધી વિરોધના પડઘાં પહોંચી શકતા નથી.

બીજી તરફ તાજેતરમાં જ અદાણી ગ્રૂપ દ્વારા હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરી દેવામાં આવ્યો છે. ગૌતમ અદાણીને કરોડો રૂપિયાનો કારોબાર મળે એ માટે મહામૂલ્યવાન જંગલને નષ્ટ કરી દેવાને કારણે આદિવાસીઓ તો ઠીક પરંતુ, જંગલમાં વસવાટ કરતાં જાનવરોને ભારે કનડગત ભોગવવી પડી છે. તો બીજી તરફ પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

અદાણી ગ્રૂપ દ્વારા જંગલનો નાશ કરાયો તે અંગે આમ તો ગોદી મિડીયામાં કોઈ જ ચર્ચા જોવા મળતી નથી. અને મોદી ભક્તિને કારણે ગોદી મિડીયા આની ચર્ચા ના કરે તે સમજી શકાય તેમ છે. પરંતુ, સોશિયલ મિડીયા પર જાગૃત નાગરિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અદાણીના પગલાંની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

હસદેવ અરંડ ક્ષેત્રમાં કુદરતી કોલસાનો ભંડાર છે અને અદાણી ગ્રૂપ કુદરતની આ સંપત્તિની લૂંટ કરીને કરોડોની કમાણી કરશે. અદાણીનો ધંધો વધારવા માટે મોદી અને ભાજપા સરકાર આંખ આડા કાન કરવાનો ધંધો કરી રહી છે એ સ્પષ્ટ દેખાય છે. જોકે, અદાણી ગ્રૂપ દ્વારા રૂપિયા ખર્ચીને હસદેવ પ્રોજેક્ટના વખાણ કરાવવાના શરૂ કરી દીધાં છે. જેમાં અદાણી ગ્રૂપના આ પ્રોજેક્ટનાં મોં ફાટ વખાણ કરતાં આર્ટિકલ્સ લખાઈ રહ્યાં છે. પરંતુ, વાસ્તવિકતા છે કે ગમે તેટલું ગળ્યું હોય, ઝેર તો ઝેર જ રહેવાનું.

 

 

Related Posts

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી
  • May 3, 2026

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે માત્ર રાજકીય ગરમાવો જ નહીં, પણ એક મોટો આર્થિક ખેલ પણ તેના અંજામ તરફ વધી રહ્યો…

Continue reading
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 5 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 4 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 8 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 12 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 13 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 13 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા