Bahucharaji: ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે બાળકનો જીવ લીધો, શું છે આ રોગ?

Guillain-Barré Syndrome Child Death in Bahucharaji: ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે બહુચરાજીના એક બાળકનો જીવ લીધો છે. 17 વર્ષિય બાળકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. બાળકના મોતથી પરિવારમાં ભારે શોક છે.

 મહેસાણાના બહુચરાજીમાં હરગોવનપુરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય દિવાકર અવધેસ ઝા નામના બાળકનો ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે જીવ લીધો છે. દિવાકરની મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયાથી સારવાર ચાલી રહી હતી. પરિવાર સાથે કાઠિયાવાડના પ્રવાસ બાદ એક પગમાં સખત દુખાવો શરૂ થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

17 વર્ષિય બાળકના મોત બાદ બહુચરાજી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બહુચરાજી આરોગ્ય વિભાગ જિલ્લામાં રિપોર્ટ કર્યા બાદ સર્વેલન્સની કામગીરી હાથ ધરશે.

ગુલીયન બાર સિન્ડ્રોમ શું છે?

ગુલિયન-બારે સિન્ડ્રોમ (Guillain-Barré Syndrome – GBS) એ એક દુર્લભ અને ગંભીર ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, તે એક ઓટો ઇમ્યૂન રોગ છે. આ સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાની જ નર્વ સિસ્ટમ પર હુમલો કરે છે, ખાસ કરીને પેરિફેરલ નર્વ્સ પર, જે મગજ અને સ્પાઇનલ કોર્ડની બહારના ભાગોને નિયંત્રિત કરે છે. આનાથી નર્વ્સને નુકસાન થાય છે, જેના પરિણામે માંસપેશીઓમાં નબળાઈ, સુન્નપણું અને કેટલાક કિસ્સાઓમાં લકવો પણ થઈ શકે છે.

કારણો
ગુલિયન-બારે સિન્ડ્રોમનું ચોક્કસ કારણ હજુ સંપૂર્ણપણે  શોધાયું નતી, પરંતુ તે ઘણીવાર કોઈ વાયરલ કે બેક્ટેરિયલ ચેપ પછી થાય છે. કેટલાક સામાન્ય સંક્રમણો જે આ રોગ સાથે સંકળાયેલા હોઈ શકે છે.
કેમ્પિલોબેક્ટર જેજુની: આ બેક્ટેરિયા ખોરાકથી થતા ચેપ સાથે સંબંધિત છે.

લક્ષણો

માંસપેશીઓની નબળાઈ: સામાન્ય રીતે પગથી શરૂ થઈને ઉપરની તરફ ફેલાય છે.

સુન્નપણું અને ઝણઝણાટ: હાથ અને પગમાં અનુભવાય છે.

શ્વાસ લેવામાં તકલીફ: ગંભીર કેસોમાં શ્વસન સંબંધી માંસપેશીઓ પર અસર થઈ શકે છે.

ચાલવામાં અથવા હલનચલનમાં મુશ્કેલી: કેટલાક દર્દીઓમાં લકવાની સ્થિતિ સુધી પહોંચી શકે છે.

નિદાન:

ન્યુરોલોજિસ્ટ શારીરિક પરીક્ષણ, નર્વ કંડક્શન સ્ટડીઝ (Nerve Conduction Studies), અને સ્પાઇનલ ટેપ (Lumbar Puncture) જેવી તપાસ દ્વારા આ રોગનું નિદાન થાય છે.

આ પણ વાંચોઃ

સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar

સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળતાં ફૂગ્ગાની જેમ ફૂલ્યું, મેદાન છીનવી લીધુ? | Surendranagar

 જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિને મારી નખાવ્યો, કાર નીચે કચડાવ્યો | Husband murder

અંજાર પાલિકાનો જાહેરમાં મટન ના વેચવાનો ઠરાવ: 15 દુકાનો સીલ, રોજગારી છીનવાઈ! | Anjar

NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close

 

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 4 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!