મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

  • India
  • April 10, 2025
  • 0 Comments

Manipur Violence:  મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક અનાથ આશ્રમમાં રાત્રે ગોળીબાર કરાયો છે. જેથી બાળકો સહિત વિસ્તારમાં લોકો ફફડી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે લગભગ 1:40 વાગ્યે સાગોલબંદ મીનો લીરાક ખાતે આવેલા અનાથ આશ્રમ પર સતત સાતથી આઠ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં બે માસ્ક પહેરેલા હુમલાખોરો બાળકોના ઘરના પરિસરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતા જોવા મળ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ અને ગુસ્સો ફેલાયો છે. જોકે, આ ઘટનામાં કોઈ બાળકો કે સ્ટાફને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. સમાજ કલ્યાણ વિભાગની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત યુનાઇટેડ સોશિયલ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા સંચાલિત આ અનાથ આશ્રમમાં લગભગ 30 છોકરાઓ રહે છે. આ ગોળીબારની ઘટના બાદ બે ઉગ્રવાદી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે.

અનાથાશ્રમના સંચાલકે શું કહ્યું?

ગોળીબારના વિરોધમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં પ્લેકાર્ડ પકડીને, પ્રદર્શનકારીઓએ ગોળીબારની નિંદા કરતા સૂત્રોચ્ચાર કર્યા અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બે સશસ્ત્ર બદમાશોએ રાત્રે લગભગ 1.40 વાગ્યે એક આશ્રમમાં છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જ્યાં અનાથ બાળકો રહેતા હતા. બાળકોના અનાથાશ્રમનું સંચાલન કરતા ખૈદેન ઓંગબી રોમિતાએ જણાવ્યું હતું કે બાળ ગૃહ પર ગોળીબાર થયો તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમે અપીલ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બનવા દેવી જોઈએ. બાળ ગૃહમાં ઘણા અનાથ બાળકો છે.

આ પણ વાંચોઃ

વડોદરામાં ભીષણ આગ: 5થી વધુ દાઝ્યા, 5 દુકાન, 2 મકાન આગના લપેટામાં | vadodara fire

સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat

 ભારત વિરુધ્ધ નિવેદનો આપનારા યુનુસને મોદી મળ્યા, PMની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?, રાહુલનો સવાલ | Gujarat Congress Adhiveshan

સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar

 

 

 

 

 

  • Related Posts

    Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી
    • May 3, 2026

    Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે માત્ર રાજકીય ગરમાવો જ નહીં, પણ એક મોટો આર્થિક ખેલ પણ તેના અંજામ તરફ વધી રહ્યો…

    Continue reading
    Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
    • May 2, 2026

    Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

    • May 3, 2026
    • 5 views
    Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

    Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

    • May 3, 2026
    • 4 views
    Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

    Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

    • May 3, 2026
    • 8 views
    Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

    Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

    • May 3, 2026
    • 12 views
    Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

    Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

    • May 2, 2026
    • 13 views
    Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

    Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

    • May 2, 2026
    • 13 views
    Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા