મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

  • India
  • April 10, 2025
  • 0 Comments

Manipur Violence:  મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક અનાથ આશ્રમમાં રાત્રે ગોળીબાર કરાયો છે. જેથી બાળકો સહિત વિસ્તારમાં લોકો ફફડી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે લગભગ 1:40 વાગ્યે સાગોલબંદ મીનો લીરાક ખાતે આવેલા અનાથ આશ્રમ પર સતત સાતથી આઠ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં બે માસ્ક પહેરેલા હુમલાખોરો બાળકોના ઘરના પરિસરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતા જોવા મળ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ અને ગુસ્સો ફેલાયો છે. જોકે, આ ઘટનામાં કોઈ બાળકો કે સ્ટાફને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. સમાજ કલ્યાણ વિભાગની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત યુનાઇટેડ સોશિયલ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા સંચાલિત આ અનાથ આશ્રમમાં લગભગ 30 છોકરાઓ રહે છે. આ ગોળીબારની ઘટના બાદ બે ઉગ્રવાદી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે.

અનાથાશ્રમના સંચાલકે શું કહ્યું?

ગોળીબારના વિરોધમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં પ્લેકાર્ડ પકડીને, પ્રદર્શનકારીઓએ ગોળીબારની નિંદા કરતા સૂત્રોચ્ચાર કર્યા અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બે સશસ્ત્ર બદમાશોએ રાત્રે લગભગ 1.40 વાગ્યે એક આશ્રમમાં છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જ્યાં અનાથ બાળકો રહેતા હતા. બાળકોના અનાથાશ્રમનું સંચાલન કરતા ખૈદેન ઓંગબી રોમિતાએ જણાવ્યું હતું કે બાળ ગૃહ પર ગોળીબાર થયો તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમે અપીલ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બનવા દેવી જોઈએ. બાળ ગૃહમાં ઘણા અનાથ બાળકો છે.

આ પણ વાંચોઃ

વડોદરામાં ભીષણ આગ: 5થી વધુ દાઝ્યા, 5 દુકાન, 2 મકાન આગના લપેટામાં | vadodara fire

સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat

 ભારત વિરુધ્ધ નિવેદનો આપનારા યુનુસને મોદી મળ્યા, PMની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?, રાહુલનો સવાલ | Gujarat Congress Adhiveshan

સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar

 

 

 

 

 

  • Related Posts

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
    • August 2, 2026

    Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 3 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 5 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 8 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ