
બનાસકાંઠાના પાલનપુરથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીમાં બાથરૂમમાં ન્હાવા ગયેલી 14 વર્ષિય કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યું છે.
મળી રહેલી માહિતી અનુસાર, વહેલી સવારે ન્હાવા ગેયલી 14 વર્ષિય બાળકી 15 મીનિટ સુધી બહાર ન આવતા કે કોઈ અવાજ ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ બાળકીએ દરવાજો ખોલ્યો નહતો. તેથી માતાએ અન્ય એક કાચની બારીએ જઈને બાથરૂમની અંદર જોતા કિશોરી નીચે પડેલી જોવા મળી હતી.
આખરે બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. 14 વર્ષીય દુર્વા વ્યાસનું મોત નિપજતા પરિવારમાં માતામ છવાઇ ગયો છે. તો ઠંડીમાં ગરમ પાણી કરવાને લઈને સાવચેતી રાખવા બાબતે સાવધાની રાખવી જરૂરી છે.