Waqf પર સુનાવણી: સરકારને 7 દિવસમાં કોર્ટમાં જવાબ આપવો પડશે, વાંચો હવે શું થશે?

  • India
  • April 17, 2025
  • 1 Comments

Waqf: સુપ્રીમ કોર્ટે વકફ સુધારા અધિનિયમ-2025 અંગે દાખલ કરાયેલી 70 વધુ અરજીઓનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ હાજર થયા અને આ મામલે સરકારનો પક્ષ રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. CJI સંજીવ ખન્નાએ તેમને 7 દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો અને આગામી આદેશ સુધી વક્ફ બોર્ડમાં કોઈ નિમણૂક કરવા કે ન કરવા કહ્યું.

નવા વકફ કાયદા વિરુદ્ધ 70થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર બુધવારે(16 એપ્રિલ) લગભગ 2 કલાક સુધી સુનાવણી ચાલી હતી. આ સમય દરમિયાન, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અન્ય વકીલોએ આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી હતી. દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટ વચગાળાનો આદેશ આપવા જઈ રહી હતી, પરંતુ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વચગાળાનો આદેશ આપવાનો વિરોધ કર્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની દલીલો સાંભળ્યા પછી જ સુપ્રીમ કોર્ટને આદેશ આપવા અપીલ કરી હતી. હવે આ કેસની આગામી સુનામી  5 મે, 2025ના રોજ થવાની છે.

લડાઈ ચાલુ રહેશે: ઓવૈસી

વકફ કાયદાની સુનાવણી પર AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘અમે આ કાયદાને ગેરબંધારણીય માનીએ છીએ.’ કોર્ટે કહ્યું છે કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને સ્ટેટ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવશે નહીં અને ‘વકફ બાય યુઝર’ દૂર કરી શકાશે નહીં. JPC ની ચર્ચા દરમિયાન, મેં સરકાર દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓનો વિરોધ કરતો અહેવાલ આપ્યો અને બિલ પર ચર્ચા દરમિયાન મેં બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. આ કાયદા સામે અમારી કાનૂની લડાઈ ચાલુ રહેશે.

વક્ફના વિરોધમાં હિંસા થતાં 3 લોકોના મોત

વક્ફના વિરોધમાં દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસા ફેલાઈ ગઈ હતી. જેથી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પથ્થરમારામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

કોર્ટે શું આદેશ આપ્યા?

વક્ફ મિલકતોની સ્થિતિમાં ફેરફાર નહીં

કોર્ટે આદેશ આપ્યો કે હાલની વક્ફ મિલકતો, જેમાં “વક્ફ બાય યુઝર” (લાંબા સમયથી ઉપયોગ દ્વારા વક્ફ તરીકે ઘોષિત)નો સમાવેશ થાય છે, તેની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે આ મિલકતોને ડી-નોટિફાઈ (વક્ફની યાદીમાંથી દૂર) કરવામાં આવશે નહીં.

વક્ફ બોર્ડ અને કાઉન્સિલમાં નવી નિમણૂકો પર રોક:

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણી સુધી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને સ્ટેટ વક્ફ બોર્ડ્સમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં. આ આદેશ ખાસ કરીને નોન-મુસ્લિમ સભ્યોની નિમણૂક સાથે સંબંધિત છે, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે સમય: કોર્ટે કેન્દ્ર સરકારને અરજીઓના જવાબમાં પોતાનો પ્રાથમિક જવાબ અને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો. અરજદારોને આ જવાબની સમીક્ષા કરવા અને પોતાનો પ્રતિભાવ આપવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો.

આંશિક સ્ટે

કોર્ટે સંપૂર્ણ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો, પરંતુ ઉપરોક્ત બે મુદ્દાઓ (વક્ફ મિલકતોની સ્થિતિ અને નવી નિમણૂકો) પર આંશિક રોક લગાવી. આ ઉપરાંત, કોર્ટે એ પણ નોંધ્યું કે કાયદામાં કેટલાક સકારાત્મક પાસાં છે, જેના કારણે સંપૂર્ણ સ્ટે યોગ્ય નથી.

 

આ પણ વાંચોઃ

Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!

Meerut: વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો, 1 હજારમાં સાપ ખરીદ્યો, મુસ્કાનથી ખતરાનાક રવિતા નીકળી!

Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf

 

Related Posts

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી
  • May 11, 2026

Congress on New Labour Code: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ચાર નવા લેબર કોડ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે…

Continue reading
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
  • May 11, 2026

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 2 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં