Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?

  • India
  • April 21, 2025
  • 4 Comments

Attack on Wing Commander in Bengaluru: કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક શરમજનક ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર આદિત્ય બોઝ અને તેમની પત્ની સ્ક્વોડ્રન લીડર મધુમિતા પર બેંગલુરુમાં જાહેરમાં હુમલો કરાયો છે. બંને અધિકારીઓ સીવી રમણ નગર સ્થિત DRDO કોલોનીથી એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં મારામારી થઈ છે. વિંગ કમાન્ડર બોઝે એક વીડિયો શેર કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી છે. પોલીસે વિંગ કમાન્ડર આદિત્ય બોઝની પત્નીની ફરિયાદ પર FIR નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વિંગ કમાન્ડરે શું કહ્યું?

વાયુસેનાના વિંગ કમાન્ડર બોઝના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના 18 એપ્રિલના રોજ બની હતી. આ દિવસે વિંગ કમાન્ડર અને તેમની પત્ની સી.વી. રમણ નગરમાં DRDO થી એરપોર્ટ જઈ રહ્યા હતા. આ દરમિયાન, એક બાઇક ચાલકે કથિત રીતે તેમની કાર રોકાવી અને કન્નડ ભાષામાં અપશબ્દો બોલી હુમલો કર્યો હતો.

બોઝે વધુમાં કહ્યું જ્યારે બાઇકચાલકે અમારી કાર પર DRDO લખેલું જોયું ત્યારે મામલો વધુ વણસી ગયો હતો. તે વ્યક્તિએ વિંગ કમાન્ડર અને તેની પત્ની પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જ્યારે વિંગ કમાન્ડર કારમાંથી બહાર આવ્યા, ત્યારે બાઈકચાલકે કથિત રીતે તેમના માથા પર ચાવી વડે માર માર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ પછી રસ્તામાં તેના મળતિયા પણ આવી ગયા હતા અને બોઝ પર હુમલો કર્યો હતો. તેમાંથી એકે પથ્થર ઉપાડ્યો અને વિંગ કમાન્ડરના માથામાં મારી દીધો હતો. ત્યારબાદ વિંગ કમાન્ડર બોઝે એક વીડિયો રેકોર્ડ કર્યો જેમાં તેમનો ચહેરો અને ગરદન લોહીથી લથપથ હતા.

સેના જવાનો સાથે પણ આ કેવું વર્તન?

વીડિયોમાં વિંગ કમાન્ડર આદિત્ય બોઝે કહ્યું કે તે ઘટનાસ્થળે ઊભો હતો અને બૂમો પાડી રહ્યો હતો કે લોકો સશસ્ત્ર દળોના સભ્ય સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? રાષ્ટ્રની સેવા કરવા છતાં બોઝે તેમના પર થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ, બેંગલુરુ પોલીસે ઘટનાની નોંધ લીધી અને કેસમાં કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી.

 

આ પણ વાંચોઃ

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ

ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?

Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!

JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?

 

 

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી