
Sanjay Raut Speak On Pahalgam Terrorist Attack: ભારતના સ્વર્ગ ગણાતાં જમ્મ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લોકો પોતાની આત્મા પર થયેલો હુમલો ગણાવે છે. આ હુમલાની જમ્મુ-કાશ્મીરના લોકો સખ્ત ટીકા કરી રહ્યા છે. આ હુમલામાં 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જેમાં ત્રણ ગુજરાતી, 6 મહારાષ્ટ્ર, બે વિદેશી સહિત અન્ય રાજ્યના મૃતકોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ દેશ શોકમગ્ન છે. આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. શિવ સેનાના સાંસદ સંજય રાઉતે સુરક્ષાને લઈ સવાલો ઉઠાવ્યા છે.
#WATCH | दिल्ली: शिवसेना (UBT) सांसद संजय राउत ने कहा, “देश पर हमला हुआ है, इतने लोग मारे गए हैं, इस हमले में पाकिस्तान का अप्रत्यक्ष हाथ है क्योंकि पाकिस्तान में जिस तरह से आतंकी कैंप चलते हैं और वहीं से हमारे देश पर हमले होते हैं। इन फैसलों से भी कड़े फैसले लेने की जरूरत है और… pic.twitter.com/tii48Pdlnr
— ANI_HindiNews (@AHindinews) April 24, 2025
શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે કહ્યું, “દેશ પર હુમલો થયો છે, લોકો માર્યા ગયા છે, આ હુમલામાં પાકિસ્તાનનો પરોક્ષ હાથ છે કારણ કે જે રીતે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ચાલે છે અને આપણા દેશ પર હુમલા ત્યાંથી કરવામાં આવે છે. વધુ કડક નિર્ણયો લેવાની જરૂર છે અને વિપક્ષમાં હોવા છતાં, અમે સરકારના દરેક નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આજે એક સર્વપક્ષીય બેઠક છે. અમે સર્વપક્ષીય બેઠકમાં સરકાર જે નિર્ણય લેવા જઈ રહી છે તેની સાથે છીએ, પરંતુ કાશ્મીર એવો મુદ્દો છે જો વિશેષ સત્ર બોલાવવાની જરુર પડે તો પણ બોલાવું જોઈએ. પાકિસ્તાન હાઈ કમિશન બંધ કરવુ, સિંધુ જળ સંધિ સ્થગિત કરવીએ અપેક્ષિત છે. જો કે વારંવાર ઘૂસીને મારવાની વત કરે છે તે હવે બસ વાતોથી નહીં ચાલે, સંરક્ષણનો મામલો અમને ન કહો, કરીને બતાવો.
આ પણ વાંચોઃ
Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક
Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?
મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?