Pahalgam Attack: સુરત બેંકમાં જોબ કરતી દિકરીએ પિતા ગુમાવ્યા, શબને વળગી પત્નીનું આક્રંદ, સુશીલના ઇન્દોરમાં અંતિમસંસ્કાર

  • India
  • April 24, 2025
  • 1 Comments

Pahalgam Attack: 22 એપ્રિલે પહેલગામ થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોત થઈ ગયા છે. જેમાં મધ્ય પ્રદેશના ઈન્દોર જીલ્લાના 58 વર્ષિય સુશીલભાઈએ જીવ ગુમાવ્યો છે. જીવ ગુમાવનાર સુશીલ નથાનીયલના આજે ગુરુવારે ઇન્દોરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા વીણા નગર સ્થિત તેમના ઘરથી શરૂ થઈ હતી. તેમના પાર્થિવ શરીરને એક ખાસ વાહનમાં નંદા નગર ચર્ચ લઈ જવાયો હતો. જ્યાં પ્રાર્થના કર્યા બાદ જુની ઇન્દોર કબ્રસ્તાનમાં ખ્રિસ્તી રીતરિવાજ દફનવીધી કરવામાં આવી હતી. સુશીલની અંતિમ યાત્રા માટે મોટી ભીડ એકઠી થઈ હતી, સેંકડો લોકો તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. તેની પત્ની જેનિફર શબપેટીને વળગી ધ્રુસકે ધ્રુસકે રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધાની આંખો ભીની થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે સુશીલ નથાનીયલનો મૃતદેહ બુધવારે(22 અપ્રિલ) રાત્રે લગભગ 9 વાગ્યે ઇન્દોર એરપોર્ટ પહોંચ્યો હતો, જ્યાંથી તેને તેમના નિવાસસ્થાન વીણા નગર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુશીલ નથાનીયલનું મોત થયું છે. તે અલીરાજપુર સ્થિત LIC ની સેટેલાઇટ શાખામાં કામ કરતો હતો. હુમલો થયો ત્યારે તે પોતાના પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે હતો. તે 18 એપ્રિલે તેની પત્ની જેનિફર, 21 વર્ષના પુત્ર ઓસ્ટિન ગોલ્ડી અને 30 વર્ષની પુત્રી આકાંક્ષા સાથે રજામાં ફરવા ગયા હતા. 22 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે, આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 30 લોકો માર્યા ગયા. તેમાં સુશીલ નથાનીયલનો પણ સમાવેશ થયા છે.

પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

આ હુમલામાં સુશીલની પુત્રી આકાંક્ષા, જે સુરતમાં બેંક ઓફ બરોડામાં ફર્સ્ટ ક્લાસ ઓફિસર તરીકે કામ કરે છે, તેને પણ ગોળી વાગી હતી. સુશીલની પત્ની જેનિફર ખાટીપુરાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે, જ્યારે પુત્ર ઓસ્ટિન એક ઉભરતો બેડમિન્ટન ખેલાડી છે. આ દુ:ખદ ઘટનાથી પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ દુર્ઘટના શોકગ્રસ્ત પરિવાર માટે અસહ્ય છે.

મૂળ જોબતના હતા, અંતિમ વિદાય ઇન્દોરમાં થઈ રહી છે

Indore News: Funeral Procession of Pahalgam Attack Victim Sushil Nathaniel Held in City

સુશીલ નથાનીયલ મૂળ મધ્યપ્રદેશના જોબટ વિસ્તારનો રહેવાસી હતા, પરંતુ લાંબા સમયથી ઇન્દોરમાં રહેતા હતા. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્થાનિક નાગરિકો, સંબંધીઓ, મિત્રો અને સાથીદારોએ તેમને અશ્રુભીની વિદાય આપી. સુશીલના અવસાનથી સમગ્ર શહેર શોકમાં ડૂબી ગયું છે, અને ફરી એકવાર આતંકવાદ સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે.

 

આ પણ વાંચોઃ

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

 

Related Posts

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી
  • May 2, 2026

Kapil Sibal: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે મતોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 4 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 5 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 9 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 10 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 10 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ