સુરત શિક્ષણ સમિતિના નવા ઉપાધ્યક્ષે ઓફિસમાંથી આંબેડકર સાહેબની તસવીર હટાવડાવી?

  • Gujarat
  • April 26, 2025
  • 0 Comments
  • સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂંક
  • નવા ઉપાધ્યક્ષ રંજના ગોસ્વામીની ઓફિસમાંથી બાબા સાહેબની જગ્યાએ મોદી સાહેબની તસવીર આવી ગઈ

Surat Controversy | મોદી સાહેબના નામે રાજકારણની વૈતરણી તરતાં ભાજપીઓ દેશના મહાનુભાવોનું અપમાન કરે કે તેઓની અવગણના કરે એ સામાન્ય બાબત બની ગઈ છે. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સીએમ ઓફિસમાંથી ભગતસિંહ, આંબેડકર જેવાં મહાનુભાવોની તસવીરો હટાવી તેની જગ્યાએ મોદી – શાહની તસવીરો લટકાવતાં વિવાદ સર્જાયો હતો. આવી જ ઘટના સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બનવા પામતાં વિવાદ સર્જાયો છે.

ખાનગી શાળાઓને માલેતુજાર કરવા માટે સરકારી શાળાઓની ઘોર ખોદતી સરકારની નિતીઓ અંગે તો કંઈ કહેવા જેવું છે નહીં. અમદાવાદ, વડોદરા કે સુરત ગમે તે શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલ જુઓ તો ઉડીને આંખે વળગશે કે ભાજપના પ્રતાપે પદ મેળવનારાઓ આખરે શિક્ષણની શું દશા કરી રહ્યાં છે?  ગુજરાત જ નહીં દેશભરના ભાજપા પ્રેમીઓ માટે દેશ – ન્યાય સહિત સર્વ બાબત મોદી સાહેબ સામે ગૌણ અથવા તો નગણ્ય છે. એના અનેક પુરાવાઓ ભાજપા પ્રેમી કહો કે મોદી પ્રેમીઓ બૂમો પાડી પાડીને આપતાં હોય છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિવાદ એવો છે કે, ભાજપના નેતાના વિરોધમાં ગંભીર આક્ષેપ કરતો પત્ર પોસ્ટ કરવાના મામલે પૂર્વ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. બાદમાં ઉપાધ્યક્ષની ટર્મ પણ પુરી થઈ ગઈ હતી. જેને પગલે નવા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડીયા અને ઉપાધ્યક્ષ પદ માટે રંજના ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

અતિ ચુસ્ત મોદી ભક્ત રંજના ગોસ્વામીની ઓફિસમાંથી બંધારણના ઘડવૈયા ડૉ, ભીમરાવ આંબેડકરનો ફોટો હટાવી દેવામાં આવ્યો અથવા તો હટાવવાનું કહેવામાં આવ્યું એ અંગે કોઈ માહિતી મળતી નથી. પરંતુ, બાબા સાહેબના ફોટોની જગ્યાએ મોદી સાહેબનો ફોટો આવી જતાં વિવાદ સર્જાયો છે.

વિવાદ અંગે રંજના ગોસ્વામીએ મિડીયાને જણાવ્યું છે કે, કલર કામ સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવાથી તસવીરો હટાવી લેવામાં આવી છે. કલર કામ પત્યાં પછી તસવીરો પાછી એના સ્થાને ગોઠવી દેવામાં આવશે.

જોકે, ઓફિસની તસવીર જોતાં એવું સ્હેજેય લાગતું નથી કે કલર કામ માટે બાબા સાહેબની તસવીર હટાવવામાં આવી હોય. આમેય જનતાના પરસેવાના ખર્ચે ઓફિસમાં રંગરોગાન કરાવવા ઉત્સુક રંજના ગોસ્વામીએ જો ખરેખર કલર કામ માટે જ તસવીરો હટાવી હોય તો શું… મોદી સાહેબની તસવીર પર કલરના છાંટા પડે તેની તેમણે ચિંતા કરી નથી?

(વાંચો ભાગ્યેશ સોનેજીનો જીવન મંત્ર)

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 3 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 5 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 8 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 16 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 15 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી