
Zantu Ali Sheikh: પહેલાગામમાં લોકોની હત્યા કરનારા આતંકીઓને શોધતી વખતે એક ભારતીય સેનાના જવાન ઝંટુ અલી શેખે જીવ ગમાવ્યો છે. તેઓની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. તેમના પર એક આતંકીએ પાછળથી હુમલો કર્યો હતો. જેમાં તેમને ગોળી વાગતાં શહીદ થઈ ગયા હતા. તેમને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવવામાં આવ્યા. જેમની દફનવીધીમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલ શેખે એક ભાષણ આપ્યું, જે સાંભળીને ત્યાં હાજર બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. રફીકુલ શેખ પણ ભારતીય સેનામાં સુબેદાર છે.

મળતા અહેવાલો અનુસાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રહેવાસી ઝંટુ અલી શેખ ભારતીય સેનાના 6 પેરા સ્પેશિયલ ફોર્સમાં હવાલદાર તરીકે તૈનાત હતા. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સમાં પોસ્ટેડ હતા. પહેલગામ હુમલા પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં આતંકવાદીઓ સાથે અથડામણ થતાં વીરગતી પામ્યા હતા. ઝંટુ અલી શેખના અંતિમ સંસ્કાર તેમના ભાઈ સુબેદાર રફીકુલ શેખ દ્વારા કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન દુઃખ અને ગર્વ વ્યક્ત કરતા તેમણે કહ્યું, મારા ભાઈ ઝંટુ અલી પર પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો. આપણું કામ બદલો લેવાનું છે. આપણે બદલો લઈશું નહીંતર મરી જઈશું. મને ગર્વ છે કે મારા ભાઈએ દેશ માટે પોતાનો જીવ આપ્યો, પોતાનું બલિદાન આપ્યું. દુઃખ ખૂબ જ મોટું છે. લાખો લોકોમાંથી એક વ્યક્તિ આ રીતે મૃત્યુ પામે છે. તે ફક્ત અમારા પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર નાદિયા જિલ્લા અને બંગાળનું ગૌરવ છે.
‘સેનામાં કોઈ ભેદભાવ નથી…’
They who complain about such gatherings, often make such videos viral to insinuate “ #Hindu khatre mein hai”…Will they share this video too with as much vigour and alacrity?
This is no namaz going on rather people from Patharghata village in Nadia #Bengal have gathered for the… pic.twitter.com/YUzwpPl3HL
— Tamal Saha (@Tamal0401) April 26, 2025
કબ્રસ્તાનમાં હાજર લોકોને સંબોધતા શહીદ ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલે કહ્યું ‘આપણે સૈનિકો છીએ, સૈનિકોનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી.’ ભારતીય સેનાનો કોઈ ધર્મ નથી. આપણે એક જ વાટકામાં ખાઈએ છીએ અને પીએ છીએ. સેનામાં કોઈ ભેદભાવ નથી. જો કોઈમાં હિંમત હોય તે કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ. ભારતીય સેના એક એવી જગ્યા છે જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ બધા એક જ થાળીમાં ખાય છે અને બધાને એક જ વાસણમાં ભોજન વહેંચવામાં આવે છે. જો કોઈ ભાઈચારો જોવા માંગે છે તો સેના જોડાઈ જાઓ. પછી તમને ખબર પડશે કે ભાઈચારો શું છે.
રફીકુલે કહ્યું કે હું ભાઈના દીકરા અને દીકરીને સેનામાં મોકલવાનો પ્રયાસ કરશે. જેથી તે તેના પિતાના પગલે ચાલી શકે. દફનવિધિ દરમિયાન હજારો લોકો કબ્રસ્તાનમાં હાજર હતા. આખો વિસ્તાર ‘જય હિંદ’ અને ‘ઝિંદાબાદ’ ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.
આ પણ વાંચોઃ
UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?
MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા
Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી
Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?
મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata High Court
Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત