Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

  • World
  • April 30, 2025
  • 5 Comments

Bangladesh, chinmaya krishna das bail:  દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને 156 દિવસની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે રાહત મળી છે. બુધવારે બાંગ્લાદેશ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા.

ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બર 2024 ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસ પર હિન્દુ રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો. જોકે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ધરપકડ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને તેને ‘ન્યાયિક સતામણી’ ગણાવી હતી.

ચિન્મય દાસ ઇસ્કોનના પૂર્વ પૂજારી છે અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ સ્પષ્ટવક્તાને કારણે તેઓ સરકારના નિશાના પર આવી ગયા. તેમની ધરપકડ બાદ, બાંગ્લાદેશ અને ભારત બંનેમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. તેમની જામીન અરજીઓ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને તે દરમિયાન, જેલમાં તેમની તબિયત બગડતી હોવાના અહેવાલો આવ્યા હતા. વકીલો અપૂર્વ કુમાર ભટ્ટાચાર્ય અને પ્રલાદ દેબનાથે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ રાજકીય દ્વેષથી પ્રેરિત છે અને દાસને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવી રહી નથી.

હાઇકોર્ટથી રાહત, સુપ્રીમ કોર્ટમાં મુદ્દો અટવાયો

અરજી પર સુનાવણી કરતા, હાઈકોર્ટની બે સભ્યોની બેન્ચે દાસને જામીન આપ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટનું અપીલ વિભાગ આ નિર્ણય પર સ્ટે મૂકી શકે છે. જો આવું નહીં થાય, તો ચિન્મય દાસ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈ શકે છે.

ભારત સરકારે પણ વિરોધ વ્યક્ત કર્યો

ભારત સરકારે પણ આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને બાંગ્લાદેશના અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો હતો. ભારતનું માનવું છે કે શેખ હસીના સરકારના પતન પછી, લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે અને આવી ઘટનાઓ બંને દેશો વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે.

બાંગ્લાદેશમાં 8% હિન્દુઓ પર હુમલા થાય છે

બાંગ્લાદેશની 17 કરોડ વસ્તીમાં હિન્દુઓ લગભગ 8% છે અને તાજેતરના મહિનાઓમાં દેશના 50 થી વધુ જિલ્લાઓમાં હિંદુઓ પર હુમલાઓ નોંધાયા છે. ચિન્મય દાસ આ હુમલાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેથી સરકાર તેમની સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરી રહી છે. જોકે દાસ સરકારની આ કાર્યવાહીથી જરાય ડરતાં નથી અને હિંદુઓની સુરક્ષા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

Related Posts

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?
  • June 18, 2026

Nepal-China relations impact: નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલની તાજેતરની ચીન યાત્રાએ દક્ષિણ એશિયાના રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. વડાપ્રધાન બલેન્દ્ર શાહના નેતૃત્વમાં બનેલી નવી સરકાર બાદ આ ચીનની…

Continue reading
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો
  • June 18, 2026

Trump Iran Peace Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરારની જાહેરાત કરીને વૈશ્વિક સ્તરે ચોંકાવનારા દ્રશ્યો સર્જ્યા છે. એક તરફ યુદ્ધના મેદાનમાં તણાવ ઓછો થવાની આશા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 4 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 8 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 10 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 11 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!