
31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં અનેક જગ્યાઓથી દારુના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે. પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં બૂટલેગરો બેફામ બની રાજ્યામાં દારુ ઘૂસાડે છે. ત્યારે અમરેલીના પૂર્વ સાંસદને દારુના દૂષણને ડામવા માગ કરવી પડી છે. અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ગુજરાત DGPને પત્ર લખી દારુડિયાઓના ત્રાસને રોકવા માગ કરી છે.
વીરજી ઠુમ્મરે DGPને લખેલા પત્રમાં જણાવ્યું છે કે KYC કામમાં દારૂડિયા દ્વારા ગાળો આપવામાં આવી રહી છે. આ પત્ર બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પત્રમાં આક્ષેપ કર્યો છે કે અમરેલી જિલ્લામાં ગાંધીનગર અને દિલ્હી એમ બે સ્તરે જોડાણ ધરાવતા લોકો મામલતદાર કચેરીમાં આવી EKYC ઓપરેટરો સાથે ગેરવર્તુણક કરી હતી. ગાલી- ગલોચ કરી કેફી પીણા પી ઓફિસમાં આવ્યા હતા. આ મામલે મામલતદાર એટલે તાલુકા મેજીસ્ટ્રેટે પણ પોલીસને રજૂઆત કરી હતી.
જો કે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં પીલીસ ઘેરાઈ છે. DGPને લખેલા પત્રમાં જિલ્લા પોલીસ વડાને સીધો જ પ્રશ્ન પૂછાયો છે કે મામલતદારે પત્ર લખ્યો ત્યારે પોલીસે શું તપાસ કરી? અને એ તપાસનો રીપોર્ટ આપના ઉપલા અધિકારીને મોકલ્યો છે કે કેમ? અને તપાસ ન કરી હોય તો તેનાં શું કારણો છે? તેનો પણ વિગતવાર જવાબ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને આપવામાં આવે તેવી માગ કરી છે. આ બાદ રાજકારણ સહિત પોલીસ બેડામાં ઉહાપોહ મચી ગયો છે.