Vadodara:કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી, ઘટના પાછળ કોણ જવાબદાર?

vadodara: ગઈ કાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બાળકી કમાટીબાગ ખાતે વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવી હતી. ત્યારે બાળકી પર જોય ટ્રેન ફરી વળી બાળકીની કીલકારી ચીચયારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના પછી ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો.

કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી

પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરના સોગંદવાડીમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં જંબુસરથી કમાટીબાગમાં મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારે બાળકોને જોય ટ્રેનમાં મુસાફરી કરાવી હતી જે બાદ જ્યારે આ પરિવાર સાંજે પરત જંબુસર જઈ રહ્યો હતો ત્યારે કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે આ પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતી તેનું ચગદાઇ જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને કોર્પોરેશનનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કમાટીબાગ જોય ટ્રેનનો વિવાદ

વડોદરાના કમાટીબાગ જોય ટ્રેન પહેલી વાર વિવાદમા આવી નથી પરંતુ અવાર – નવાર વિવાદમાં આવતી રહે છે. જોય ટ્રેન અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં જોય ટ્રેન ચાર વખત બંધ પણ કરવી પડી હતી. જો કે કોઈ ઘટના બને પછી સરકારના અલગ – અલગ વિભાગોની મંજૂરી લઇને ફરીથી ટ્રેન દોડતી થાય છે પરંતુ અકસ્માતની ઘટનાઓ બંધ થતી નથી.

જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે ?

મહત્વનું છે કે, આ જોય ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોય છે તેમાં એન્જિનમાં ડ્રાઇવર અને એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. તેમનું કામ આગળના ટ્રેક પર નજર રાખવાનું હોય છે. તેમજ ટ્રેનના ઝડપ પ્રતિ કલાક 7 થી 8 કિલોમીટરની જ હોય છે. ત્યારે સવાલ તે થાય છે કે, આ બાળકી ટ્રેક પર આવી ગઇ તો ડ્રાઇવરે બ્રેક કેમ ના મારી? અકસ્માત બાદ ડ્રાઈવર કેમ ભાગી ગયો ? શહેરમાં હરણીબોટ કાંડ જેવી ઘટનાઓ બાદ પણ તંત્ર આવી જગ્યાએ બાળકોની સુરક્ષામાં કેમ બેદરકારી દાખવેછે ?   જો સમયસર નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ આ દુઃખદ ઘટના ન બની હોત. આ સમગ્ર મામલે તપાસ કરવી ખુબ જરુરી બને છે. આ મામલે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે અને આવી ઘટના ફરી ન બને તેના માટે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું…

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી