રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી કોંગ્રેસ આશ્ચર્યચકિત, જાણો Sachin pilot એ શું કહ્યું ?

  • India
  • May 12, 2025
  • 0 Comments

Sachin pilot News: 7 મેથી શરૂ થયેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા ભારતે (india) ફરી એકવાર પાકિસ્તાનને (Pakistan) તેની ઓકાત બતાવી દીધી છે. જોકે શનિવારે અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. આ પગલા પર ભારતમાં બે જૂથો પડ્યા છે વિપક્ષ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધ વિરામની જાહેરાત પર આશ્વયચકિત છે. ત્યારે રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલોટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે નિવેદન આપ્યું હતું.

યુદ્ધવિરામના નિર્ણયથી સચિન પાયલટ આશ્ચર્યચકિત

મહાસચિવ સચિન પાયલોટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. તેમણે કહ્યું કે અમેરિકાએ કઈ શરતો પર આ જાહેરાત કરી તે એક મોટો પ્રશ્ન છે. પાયલોટે આ દરમિયાન કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પીઓકે પાછું લેવાના પ્રસ્તાવને પુનરાવર્તિત કરવામાં આવે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન પાયલોટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સરહદ પર જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી અને ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી હતી. સચિન પાયલોટે સરકાર પાસે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે.આ સાથે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમણે 1994 માં પસાર થયેલા એક ઠરાવની પણ યાદ અપાવી જેનો સંબંધ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે છે.

કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ

પત્રકાર પરિષદને સંબોધતા સચિન પાયલોટે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ ફરી એકવાર બતાવ્યું છે કે તેઓ કોઈથી ઓછા નથી. છેલ્લા 24 કલાકમાં ઘટનાઓનો ક્રમ ઝડપથી બદલાયો છે. અમને આશ્ચર્ય થયું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી, આવું પહેલી વાર બન્યું છે. તે સોશિયલ મીડિયા પોસ્ટમાં જે લખ્યું છે તે ધ્યાન આપવા યોગ્ય છે. આ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ છે.

સચિન પાઇલટે સેના પર ગર્વ વ્યક્ત કર્યો

પાયલોટે વધુમાં કહ્યું કે મોદી સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ અને આ બાબતે ચર્ચા કરવી જોઈએ. આનાથી દુનિયાને સંદેશ મળશે કે આખો દેશ આતંકવાદ અને પાકિસ્તાનની હિંમત સામે એક થયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહી છે. પાયલોટે કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ અને વિપક્ષે સરકારને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે પહેલા દિવસથી જ કહ્યું હતું કે આ આપણા આત્મા પર હુમલો છે અને તેનો યોગ્ય જવાબ આપવો જરૂરી છે. આ સાથે સચિન પાઇલટે સેના દ્વારા લેવામાં આવેલા પગલાં પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

POK અંગે પ્રસ્તાવ આવ્યો હતો

આ પછી, રાજસ્થાનના ટોંકના ધારાસભ્ય સચિન પાયલોટે 30 વર્ષ પહેલા એટલે કે 1994 માં પસાર થયેલા ઠરાવની યાદ અપાવી. સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી માંગ કરી રહી છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે અને આપણે 1994 ના ઠરાવને પુનરાવર્તિત કરવો જોઈએ જ્યારે બધા પક્ષો સર્વાનુમતે સંમત થયા હતા અને ઠરાવ પસાર કર્યો હતો કે PoJK ભારતનો અભિન્ન ભાગ છે અને અમે તેને પાછો લઈશું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું લખ્યું હતુ ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરની પોતાની X પોસ્ટમાં લખ્યું છે કે અમેરિકાની મધ્યસ્થીથી લાંબી રાતની વાટાઘાટો પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સામાન્ય સમજ અને મહાન બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!

આ પણ વાંચોઃ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત