Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી માહિતી, જાણો નિવૃત્તિ અંગે શું કહ્યું ?

  • India
  • May 12, 2025
  • 0 Comments

Virat Kohli Test Retirement: ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિરાટ કોહલીએ (Virat Kohli) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટે આ મોટી જાહેરાત કરી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તાજેતરમાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. રોહિતના નિવૃત્તિના માત્ર 5 દિવસ પછી, વિરાટ કોહલીએ પણ ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટને અલવિદા કહી દીધું છે.  જો કે, તેમણે અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને આ અંગે જાણ કરી હતી,  ત્યારે BCCI એ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

ભારતીય ક્રિકેટને એક અઠવાડિયામાં બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોમવારે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી હતી કે કોહલીએ BCCI ને તેની નિવૃત્તિ વિશે જાણ કરી હતી, પરંતુ BCCI એ તેને આગામી ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. જોકે, કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. ભારત માટે આ એક મોટો ફટકો છે કારણ કે 8 મેના રોજ નિયમિત કેપ્ટન રોહિતે પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. એક અઠવાડિયામાં બે દિગ્ગજ ખેલાડીઓના નિવૃત્તિથી ચાહકો ચોંકી ગયા છે. આ સાથે, ભારતીય ટેસ્ટ ક્રિકેટના એક પ્રકરણનો અંત આવ્યો. ભારત આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. આ સમયગાળા દરમિયાન ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

કોહલીએ પોતાની પોસ્ટમાં શું લખ્યું?

વિરાટે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મેં 14 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેરી હતી. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને વ્યાખ્યાયિત કર્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. સફેદ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ તે હંમેશા તમારી સાથે રહે છે. જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, તે સરળ નથી, પરંતુ હાલમાં તે યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને ટેકો આપનારા દરેકનો આભારી છું. હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. તેણે આગળ પોતાનો જર્સી નંબર લખ્યો અને ‘સાઇન ઓફ’ લખ્યું.

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી હતી જાહેરાત

આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ સોશિયલ મીડિયા દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેનાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. વિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે તે ભારતીય ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક રહ્યો છે.

ભારત માટે 100 થી વધુ ટેસ્ટ રમ્યા

વિરાટ કોહલીએ જૂન 2011 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 14 વર્ષ સુધી ટીમ ઈન્ડિયા માટે મુખ્ય બેટ્સમેન રહ્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે ૧૨૯ ટેસ્ટ મેચની ૨૧૦ ઇનિંગ્સમાં ૪૬.૮૫ ની સરેરાશથી ૯૨૩૦ રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં 30 સદી અને 31 સદી ફટકારવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. કોહલી પહેલાથી જ T20I માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ તેણે T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કહ્યું. વિરાટ હવે રોહિત સાથે ફક્ત ODI ક્રિકેટ રમતો જોવા મળશે.

આ પણ વાંચોઃ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Test criket

  • Related Posts

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી
    • September 19, 2026

    Justice Ujjal Bhuyan: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંએ પોલીસ કસ્ટડીમાં હિંસા, કસ્ટડી દરમિયાન આરોપીઓના મોત અને કથિત બિનન્યાયિક હત્યાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે…

    Continue reading
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?
    • September 19, 2026

    Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો. શરૂઆતમાં આ ભારતીય જનતા પાર્ટીના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 2 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 6 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 5 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    • September 19, 2026
    • 9 views
    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

    • September 19, 2026
    • 10 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

    Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

    • September 19, 2026
    • 8 views
    Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી