Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

Ahmedabad, Bapunagar Demolition: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેઘા ડિમોલિશન કર્યા બાદ આજ સવાર(29, મે)થી બાપુનગરમાં દબાણો હટાવવાની કામગીરી AMC એ શરુ કરી છે. 400 થી વધુ કાચા-પાકા દબાણો તોડી પડાયા છે.

જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના અપાઈ હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક ઘરો ફાળવવામાં આવ્યા હતા, જેમાંના 76 લોકો હજી પણ અહીંયા રહે છે. ત્યારે આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરોના આરોપસર ચંડોળામાં પણ દબાણો તોડી પડાયા

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં પણ મેઘા ડિમોલિશન થયું છે. અહીં  ચંડોળા તળાવ દાણી લીમડા રોડ નજીક આવેલું એક ઐતિહાસિક જળાશય છે, જે 1200 હેક્ટરમાં ફેલાયેલું છે અને મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ તળાવ ખેતી, ઔદ્યોગિક વપરાશ અને પક્ષીઓના નિવાસસ્થાન તરીકે મહત્વનું હતુ. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં તળાવની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોને કારણે તેની જળસંગ્રહ ક્ષમતા ઘટી છે. 2010માં તળાવની ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી, જે 2024 સુધીમાં 7.58 લાખ ચોરસ મીટર થઈ ગઈ, એટલે કે 1.25 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ થયું. આ દબાણોમાં મોટાભાગે કાચા-પાકા મકાનો, ઝૂંપડાં અને અનધિકૃત બાંધકામોનો સમાવેશ થાય છે, જેમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા બનાવેલા બાંધકામો પણ સમાવેશ થતો હોવાનો દાવો છે.

દબાણ હટાવવાની કામગીરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત પોલીસની સંયુક્ત કામગીરી હેઠળ ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો હટાવવાની મેગા ડિમોલિશન ઝુંબેશ 29 એપ્રિલ, 2025થી શરૂ થઈ. આ ઝુંબેશને ગુજરાતની ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી ગણવામાં આવે છે. આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી.

પ્રથમ તબક્કો

સમયગાળો: 29 એપ્રિલ, 2025થી શરૂ, ચાર દિવસ સુધી ચાલ્યો. આ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી. આશરે 4000-4500 કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તોડવામાં આવ્યાં, જેમાં 1500 પાકા અને 3000 કાચા મકાનોનો સમાવેશ થાય છે.

ખાસ બાંધકામો: લલ્લા બિહારી (મહમૂદ પઠાણ) નામના વ્યક્તિનું ગેરકાયદે રિસોર્ટ, જેમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન અને પાર્ટી પ્લોટ હતા, તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત, ગની પથ્થરવાળાની લેબર કોલોની (10 ઓરડીઓ) પણ તોડવામાં આવી.

પોલીસ બંદોબસ્ત

2000થી વધુ પોલીસ કર્મચારીઓ, 20 SRP કંપનીઓ, 50થી વધુ JCB મશીનો, 60 ડમ્પર ટ્રક અને અન્ય મેનપાવરનો ઉપયોગ થયો.

બાંગ્લાદેશી ઘૂસણખોરો

200થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા, અને 800થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી.

ગેરકાયદે પ્રવૃત્તિઓ

આ વિસ્તારમાં જુગાર, દારૂના અડ્ડા અને અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું બહાર આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કેટલીક દીકરીઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી.

કામગીરી અટકાવવી

1 મે, 2025ના રોજ ડિમોલિશન અચાનક સ્થગિત કરવામાં આવ્યું. આનું કારણ કોંગ્રેસ નેતાઓની રજૂઆત હતી, જેમણે ભારતીય નાગરિકોના બાંધકામો ન તોડવા અને ધાર્મિક સ્થળોની રક્ષા કરવા મુખ્ય પ્રધાનને અપીલ કરી. 18 અરજદારોની હાઈકોર્ટમાં સ્ટે માટેની અરજી ફગાવી દેવાઈ.

બીજો તબક્કો

20 મે, 2025થી શરૂ. જેમાં 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવી. આ તબક્કામાં 8000 જેટલા ઝૂંપડાં તોડવાનું આયોજન હતુ. 28 મેના રોજ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા.

આ પણ વાંચો:

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

 

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 3 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 6 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 5 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 9 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 12 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી