Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?


Ahmedabad Building Dangerous:
ભારતના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં સાતમા ક્રમે આવતું અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (SVPIA) ગેરકાયદે બાંધકામો અને સુરક્ષા ખામીઓના કારણે ગંભીર જોખમનો સામનો કરી રહ્યું છે. 12 જૂન, 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટનાએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો છે, જેમાં મોટી જાનહાનિ થઈ હતી. આ ઘટનાએ એરપોર્ટની આસપાસની 333 ઊંચી ઇમારતો, ટાવરો અને વૃક્ષોને વિમાનો માટે જોખમી ગણાવ્યા છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

12 જૂનની વિમાન દુર્ઘટનાએ ખોલ્યું સુરક્ષાની પોલ

12 જૂન, 2025ના રોજ અમદાવાદ(Ahmedabad) ના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર થયેલી વિમાન દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ હતી. આ ઘટના બની ત્યાથી થોડે જ દૂર સરકારી સિવિલ હોસ્પિટલ છે. જેની ઈમારત વિમાનના માર્ગથી 7 મીટર ઊંચી છે. જે  ગેરકાયદે બાંધવામાં આવી હોવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું કે એરપોર્ટની આસપાસ 333 ઊંચી ઇમારતો, ટાવરો અને વૃક્ષો વિમાનોના ઉડ્ડયન અને ઉતરાણ માટે ગંભીર અડચણ ઉભી કરે છે.

333 ઊંચી ઇમારતો: પાયલટો માટે અજાણ્યું જોખમ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા નાગરિક ડોમેનમાંથી 333 ઊંચી ઇમારતોની યાદી હટાવી દેવામાં આવી છે, જેના કારણે પાયલટોને આ અવરોધોની માહિતી આપવામાં આવતી નથી. આ માહિતી ફરજિયાત હોવા છતાં, તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સ્થાનિક કાર્યકર્તા વિશ્વાસ ભામ્બૂરકરના જણાવ્યા અનુસાર, જો પાયલટોને આ જોખમોની વિગતો આપવામાં આવે તો તેઓ વિમાન ઉડાવવાનો ઇન્કાર કરી શકે છે. ઉપરાંત, આ ઊંચી ઇમારતો પર ફરજિયાત એન્ટિ-કોલિઝન લાઇટ્સ (ઝબૂકતી લાલ લાઇટ્સ) લગાવવામાં આવતી નથી, જે વિમાનોની સલામતીને વધુ જોખમમાં મૂકે છે.

ગેરકાયદે બાંધકામોનું કૌભાંડ: 150 ઇમારતોના ખોટા નકશા

તપાસમાં બહાર આવ્યું છે કે 150 ઊંચી ઇમારતોની મંજૂરી એક સ્થળ માટે લેવામાં આવી હતી, પરંતુ બાંધકામ બીજા સ્થળે કરવામાં આવ્યું. બિલ્ડરોએ એરપોર્ટ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સમક્ષ ખોટા નકશા અને અક્ષાંશ-રેખાંશની વિગતો રજૂ કરીને મંજૂરી મેળવી. ઉદાહરણ તરીકે, કુબેરનગરની ઇમારતનો નકશો બોપલના સ્થળ માટે રજૂ કરવામાં આવ્યો. આ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની જરૂર છે, પરંતુ રાજકીય દબાણ અને ષડયંત્રોને કારણે કોઈ પગલાં લેવાયા નથી.

અદાણીને એરપોર્ટનું ખાનગીકરણ: સવાલો ઉભા થયા

2015માં શરૂ થયેલી ખાનગીકરણની પ્રક્રિયા હેઠળ, અમદાવાદ હવાઈ મથકનું સંચાલન અદાણી ગ્રૂપને સોંપવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ એરપોર્ટની આસપાસ ઊંચી ઇમારતોનું બાંધકામ વધ્યું, જેનો ફાયદો ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડરોએ ઉઠાવ્યો હોવાનો આરોપ છે. 1986થી ચાલતા આ કૌભાંડમાં ભાજપના 12 અને કોંગ્રેસના 7 મેયરો જવાબદાર હોવાનું દાવો કરવામાં આવે છે.

વિશ્વાસ ભામ્બૂરકરની એકલી લડત

સ્થાનિક કાર્યકર્તા અને અન્ના આંદોલનના સક્રિય સભ્ય વિશ્વાસ ભામ્બૂરકર આ મુદ્દે 10 વર્ષથી એકલા લડી રહ્યા છે. બ્રાઝિલમાં 48-કલાકની રનિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા અને ભારતના નંબર વન રનર તરીકે ઓળખાતા વિશ્વાસે આર્થિક મુશ્કેલીઓ અને ધમકીઓ હોવા છતાં લડત ચાલુ રાખી છે. તેમણે ગુજરાત હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરી છે, પરંતુ 2021થી આ મામલે ઝડપી નિર્ણય લેવાયો નથી. તેમની માંગ છે કે ગેરકાયદે ઇમારતો તોડવામાં આવે અને ખરીદનારાઓને બિલ્ડરો દ્વારા વળતર આપવામાં આવે.

ગુજરાતભરમાં 1500થી વધુ ઊંચી ઇમારતો

અમદાવાદ ઉપરાંત, ગુજરાતના સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય હવાઈ મથકોની આસપાસ 1500થી વધુ ઊંચી ઇમારતો અને ટાવરો વિમાનો માટે જોખમી છે. સુરતમાં જ 1000 આવા અવરોધો છે. આ ઇમારતોનો વાર્ષિક સરવે કરવામાં આવતો નથી, જેના કારણે સલામતીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક ઊંચી ઇમારત પણ અમદાવાદ એરપોર્ટના વિમાનોના માર્ગમાં અડચણ ઉભી કરે છે.

વાર્ષિક 1.5 કરોડ મુસાફરોનો જીવ જોખમમાં

નાણાકીય વર્ષ 2024-25માં અમદાવાદ હવાઈ મથક પરથી 1.3 કરોડ મુસાફરોએ મુસાફરી કરી હતી, અને આ વર્ષે આ આંકડો 1.5 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. આ તમામ મુસાફરો ઊંચી ઇમારતોના કારણે જોખમનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના છ હવાઈ મથકો મળીને વાર્ષિક 2 કરોડ મુસાફરોની અવરજવર કરે છે, જેમની સલામતી દાવ પર છે.

ન્યાયિક નિષ્ક્રિયતા અને રાજકીય રક્ષણ

ગુજરાત હાઈકોર્ટમાં 2021થી આ મુદ્દે જાહેર હિતની અરજી પેન્ડિંગ છે, પરંતુ ઝડપી નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. આરોપ છે કે બિલ્ડરો, અધિકારીઓ અને રાજકીય આગેવાનોની મિલીભગતથી આ કૌભાંડને રક્ષણ આપવામાં આવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), AMC અને ટાઉન પ્લાનિંગના અધિકારીઓએ કાયદાનું પાલન ન કરીને આ જોખમને વધાર્યું છે. વિશ્વાસ ભામ્બૂરકરની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ લોકોની સંપત્તિની તપાસ કરવામાં આવે.

અમદાવાદના નાગરિકો અને વિશ્વાસ ભામ્બૂરકરની લડતને સમર્થન આપી રહ્યા છે. તેઓ માંગ કરે છે કે 150 ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવે. બિલ્ડરો ખરીદનારાઓને વળતર આપે. એરપોર્ટ ઓથોરિટી ઊંચી ઇમારતોની યાદી પાયલટો અને જાહેર જનતા સાથે શેર કરે.

આ પણ વાંચો:

Ahmedabad Building Dangerous: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 333 બિલ્ડિંગો વિમાન માટે જોખમી

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

Narendra Modi Promises Forgotten: ભાથીજી દાદાના ધામ ફાગવેલમાંથી આપેલા વચનો મોદી ભૂલ્યા!, આજે પણ મંદિરનું કામ અધૂરું!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ