Gujarat: શાળામાં હવે 1 દિવસ બેગ વગર વિદ્યાર્થીઓને બોલાવશે!, શું આ રીતે ભણતરનો ભાર ઓછો થશે?

Gujarat Schools: નવી શિક્ષણ નીતિ 2022  મુજબ ગુજરાતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે “નો સ્કૂલ બેગ ડે” ઉજવવામાં આવશે. આ નિયમ 5 જુલાઈ 2025 થી ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં લાગુ કરાશે. જેથી બાળકોને આ દિવસે સ્કૂલમાં બેગ લઈને નહીં જવું પડે. શાળામાં નવી નવી પ્રવૃતિઓ કરવામાં આવશે. જોકે આ સરકારનો પ્રયોગ કેટલો સફળ રહે તે આવનારો સમય જ બતાવશે.

‘નો સ્કૂલ બેગ ડે’ શું છે?

આ દિવસે બાળકોને સ્કૂલ બેગ વગર શાળાએ બોલાવવામાં આવશે. રેગ્યુલર અભ્યાસને બદલે બાળકોને વિવિધ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવશે. જેથી સરકારના દાવા મુજમ તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ પ્રવૃત્તિઓમાં રમતગમત, કલા, સંગીત, નાટક, વાર્તા લેખન, લોકગીતો અને નૃત્યો, ચિત્રકામ, માટીના રમકડાં બનાવવા, માસ્ક અથવા ઢીંગલી બનાવવા, કચરામાંથી હસ્તકલા બનાવવા, બાગકામ, માટીકામ, સુથારકામ, ધાતુકામ, સ્થાનિક કારીગરોને મળવા, સંગ્રહાલયો અથવા વારસા સ્થળોની મુલાકાત, વિજ્ઞાન પ્રયોગો અને જીવન કૌશલ્ય શીખવતી પ્રવૃત્તિઓ સામેલ હશે.

હેતુ શું છે?

આ નિર્ણય પાછળ સરકારનો ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકો અને સ્કૂલ બેગના ભારણમાંથી મુક્ત કરવાનો અને સર્જનાત્મકતા, ટીમવર્ક, નેતૃત્વ, સંદેશાવ્યવહાર અને સમસ્યાનું નિરાકરણ જેવી 21મી સદીની કુશળતા વિકસાવવાનો છે. આનો ઉદ્દેશ્ય બાળકોને સ્થાનિક સંસ્કૃતિ, પર્યાવરણ અને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડવાનો છે. બાળકોની રુચિઓ અને પ્રતિભાઓને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. જોકે એક દિવસ બાળક બેગ લઈને ન જાય તો ભાર ઓછો થઈ જાય?

ગુજરાત સરકારે આ યોજના માટે દરેક વિદ્યાર્થી માટે બેગલેસ દિવસ દીઠ માત્ર રૂ. 4.44 નું બજેટ નક્કી કર્યું છે, જેને શિક્ષણ નિષ્ણાતો અપૂરતું માને છે. શિક્ષકો અને શાળાઓને દર શનિવારે એક પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવા અને બાળકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. સરકારનો દાવો છે કે આનાથી બાળકોને શાળાની બહારની દુનિયાનો અનુભવ થશે, જ્યારે ટીકાકારો કહે છે કે મર્યાદિત બજેટમાં ગુણવત્તાયુક્ત પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બનશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં ઓછામાં ઓછા 10 ‘બેગલેસ ડે’ રાખવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં બાળકોને સ્થાનિક કારીગરો સાથે ઇન્ટર્નશિપ, ક્ષેત્ર મુલાકાત અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ કરાવવાની છે. ગુજરાત સરકારની આ પહેલ બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક સકારાત્મક પગલું છે, પરંતુ તેને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે, પૂરતા સંસાધનો અને સુઆયોજિત પ્રવૃત્તિઓની જરૂર પડશે જેથી બાળકો ખરેખર તેનો લાભ મેળવી શકે.

બાળકોનો વિકાસ થશે

સરકારનો દાવો છે કે  ગુજરાત સરકાર 5 જુલાઈથી નો સ્કૂલ બેગ ડે લાગુ કરી શકે છે. તેના અમલીકરણથી બાળકોને ઘણી મદદ મળશે. અભ્યાસની સાથે સાથે બાળકો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી શકશે. જેના કારણે તેઓ અભ્યાસની સાથે કંઈક અલગ કરી શકશે. બાળકોને ઓછામાં ઓછો એક દિવસ પુસ્તકોમાંથી વિરામ મળશે. તેના અમલીકરણથી, બાળકો અભ્યાસની સાથે સાથે એવી બાબતો સાથે પણ પોતાને જોડી શકશે, જે આજના બાળકોમાં સર્જનાત્મકતા બતાવતી નથી. બાળકો ઝડપથી સામાજિકતા મેળવી શકતા નથી. તેઓ હંમેશા પુસ્તકોમાં વ્યસ્ત રહે છે. તેથી નો બેગ ડે બાળકોનો તણાવ ઘટાડશે.

જો આ સફળતાપૂર્વક અમલમાં મુકાય તો બાળકોમાં નવી વસ્તુઓ શીખવાનો એક અલગ પ્રકારનો આનંદ દેખાવા લાગે છે. માતાપિતાને પણ રાહત મળે છે. આનાથી તેમની એક સમસ્યા હલ થશે કારણ કે હવે બાળકો અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો:
 
 

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 4 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 8 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 10 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 11 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!