GST ને 8 વર્ષ પૂર્ણ થતાં રાહુલે કહ્યું GST આર્થિક અન્યાયનું હથિયાર!, લોકોને હેરાન કરનારી વ્યવસ્થા

  • India
  • July 1, 2025
  • 0 Comments

ભારત સરકાર દર વર્ષે 1 જુલાઈએ GST દિવસ ઉજવે છે. જેને આજે 8 વર્ષ થઈ ગયા છે. દેશના સૌથી મોટા કર સુધારાઓમાંના એક GSTને સુવ્યવસ્થિત કર માળખામાં એકીકૃત કરવામાં મદદ મળી હોવાનું મોદી સરકાર માની રહી છે. જો કે રાહુલ ગાંધીએ મોદી સરકારની GST વ્યવસ્થા સામે સવાલો કર્યા છે. રાહુલ ગાંધી તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરી સરકારની ટીકા કરી છે. સાથે જ GST લાગુ થયા બાદ નાના વેપારીઓને કેવી મુશ્કેલીઓ આવી છે. તે અંગે ચિતાર આપ્યો છે.

વર્ષ 2017માં મોદી સરકારને GST વ્યવસ્થા લાગુ કરી હતી. મોદી સરકારે GST 8 વર્ષ પહેલાં ‘સારો અને સરળ કર’ તરીકે રજૂ કર્યો હતો. તે હવે ગરીબો, નાના વેપારીઓ અને રાજ્યો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. ઘણા લોકોનું માનવું છે કે આ કર વ્યવસ્થા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા અને નાના વ્યવસાયો તેમજ સામાન્ય નાગરિકોને હેરાન કરવા માટે બનાવવામાં આવી છે.

સરળતાનું વચન, જટિલતાની હકીકત

રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે GST(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને ભારતની કરવેરા પ્રણાલીને સરળ બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ પાંચ સ્તરની કર રચના (0%, 5%, 12%, 18%, 28%) અને 900થી વધુ ફેરફારોએ તેને જટિલ બનાવી દીધું છે. પોપકોર્નથી લઈને ક્રીમ બન સુધીની વસ્તુઓની કર ગણતરી સામાન્ય વેપારીઓ માટે માથું ખંજવાળતી બની છે.

GST પોર્ટલની ટેકનિકલ સમસ્યાઓ અને જટિલ નિયમો નાના વેપારીઓને રોજ હેરાન કરે છે, જ્યારે મોટા કોર્પોરેટ્સ તેમના નિષ્ણાત એકાઉન્ટન્ટ્સની મદદથી સરળતાથી આગળ વધે છે.

‘8 વર્ષમાં લગભગ 18 લાખ નાના ઉદ્યોગો બંધ’

ભારતની અર્થવ્યવસ્થાને ટેકો આપતા નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર GST ની સૌથી વધુ માઠી અસર થઈ છે. છેલ્લા 8 વર્ષમાં લગભગ 18 લાખ નાના ઉદ્યોગો બંધ થયા હોવાનો અંદાજ છે. જટિલ ફાઈલિંગ અને રોકડ પ્રવાહની સમસ્યાઓએ આ ઉદ્યોગોની કમર તોડી નાખી છે, જે દેશમાં રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે.

સામાન્ય નાગરિકો પર બોજ

ચા, આરોગ્ય વીમો અને રોજિંદી વસ્તુઓ પર જીએસટી લાગુ થાય છે, જેનો બોજ સામાન્ય નાગરિકો પર પડે છે. બીજી તરફ મોટા કોર્પોરેટ્સને દર વર્ષે લગભગ 1 લાખ કરોડ રૂપિયાની કર રાહત મળે છે, જેનાથી સરકાર પર ઉદ્યોગપતિઓની તરફેણ કરવાનો આરોપ લાગે છે.પેટ્રોલ-ડીઝલ બહાર કેમ?

પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે, જેની અસર ખેડૂતો, ટ્રાન્સપોર્ટર્સ અને સામાન્ય લોકો પર પડે છે. આ નિર્ણય રાજ્યોની આવક અને રાજકીય કારણોને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું મનાય છે, પરંતુ તેનાથી બળતણના ભાવ ઊંચા રહે છે.

રાજ્યો સાથે ભેદભાવ

જ્યા ભાજપ સરકાર નથી ત્યા જેમ કે પશ્ચિમ બંગાળ, કેરળ અને પંજાબે દાવો કર્યો છે કે તેમના GSTના હિસ્સાની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવે છે. આનાથી કેન્દ્ર સરકાર પર રાજકીય ભેદભાવનો આરોપ લાગે છે, જે ભારતના સંઘીય ઢાંચાને નબળો પાડે છે.

યુપીએના સપનાનો ભંગ:

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું GSTનો વિચાર યુપીએ સરકારે આગળ ધર્યો હતો, જેનો હેતુ ભારતના બજારોને એકીકૃત કરી કરવેરા પ્રણાલીને સરળ બનાવવાનો હતો. પરંતુ ખરાબ અમલીકરણ, તકનીકી સમસ્યાઓ અને અધિકારીઓની દખલગીરીએ આ સપનાને નિષ્ફળ બનાવ્યું છે.

GSTને સામાન્ય લોકો અને નાના વેપારીઓ માટે ઉપયોગી બનાવવા વેરા સ્તરોને સરળ કરવા, પેટ્રોલ-ડીઝલને તેના દાયરામાં સામેલ કરવા અને રાજ્યોને ન્યાયી વળતર આપવું જરૂરી છે. ભારતને એવી કરવેરા પ્રણાલીની જરૂર છે જે ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોના હિતમાં કામ કરે, નહીં કે ફક્ત થોડા ઉદ્યોગપતિઓના ફાયદા માટે.

 

આ પણ વાંચો:
 

 

Related Posts

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં
  • June 25, 2026

Scholarship Domicile Removal: ભારતમાં શિક્ષણ મેળવવાની રાહ કાયમ મુશ્કેલ રહી છે, ખાસ કરીને જ્યારે વાત અનુસૂચિત જાતિ (SC) અને અન્ય પછાત વર્ગ (OBC) ના વિદ્યાર્થીઓની હોય. વર્ષોથી આ વિદ્યાર્થીઓ માટે…

Continue reading
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની
  • June 25, 2026

Tushar Mehta: નવી દિલ્હીના સત્તાના વર્તુળોમાં એક નામ છેલ્લા એક દાયકાથી સૌથી વધુ ચર્ચિત રહ્યું છે—તુષાર મહેતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતથી દિલ્હીના તખ્ત પર બિરાજમાન થયા, ત્યારે તેમની સાથે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 2 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 4 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 5 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 8 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 11 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 7 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?