‘મોદીના ડિજિટલ ઇન્ડિયાના દાવા પોકળ, સરકાર તેની નિષ્ફળતાઓ પર ચિંતન કરે: ખડગેનો પ્રહાર | Digital India

  • India
  • July 1, 2025
  • 0 Comments

Digital India:  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ડિજિટલ ઈન્ડિયા અંગે મોટા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારના મોટા દાવાઓ અધૂરા વચનો નિષ્ફળ ગયા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સરકારની નિષ્ફળતાઓ પર ચિંતન કરવા કહ્યું.

X પરની એક પોસ્ટમાં ખડગેએ જણાવ્યું હતું કે 26 જૂન સુધીમાં ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ કુલ 6.55 લાખ ગામડાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવાના હતા. જો કે તેમાંથી હજુ 4.53 લાખ ગામડાઓ બાકી છે. મતલબ હજુ મોટા ભાગના લોકો ડિજિટલી જોડાયા નથી. તેમણે કહ્યું કે પ્રોજેક્ટની સમયમર્યાદામાં 11 વર્ષમાં ઓછામાં ઓછી 8 વખત સુધારા કરાયા છે. હાલમાં, ફક્ત 0.73 ટકા (766) ગ્રામ પંચાયતો પાસે સક્રિય Wi-Fi સેવાઓ છે.

ખડગેએ કહ્યું કે જ્યારે ખાનગી કંપનીઓ 5Gનો વિકલ્પ પસંદ કરી રહી છે, ત્યારે BSNL હજુ સુધી 1 લાખ 4G ટાવર લગાવવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શક્યું નથી. એક તૃતીયાંશ ટાવર હજુ સ્થાપિત થવાના બાકી છે. ખડગેએ વધુમાં કહ્યું કે 3 લાખ કરોડ રૂપિયાથી વધુના ત્રણ પુનર્જીવન પેકેજો મળ્યા પછી પણ, તે ખાનગી કંપનીઓથી પાછળ છે.

BSNL  

ખડગેએ જણાવ્યું હતું કે, “BSNLનું દેવું માર્ચ 2014માં રૂ. 5,948 કરોડથી 291.7% વધીને માર્ચ 2024માં રૂ. 23,297 કરોડ થયું છે. આ જ સમયગાળા દરમિયાન MTNLનું દેવું 14,210 કરોડથી 136.2% વધીને રૂ. 33,568 કરોડ થયું છે.”

‘75.3 ટકા લોકો કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી’

ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 75.3 ટકા લોકો કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. તેમણે કહ્યું, “આમાં ગ્રામીણ વિસ્તારોમાં 81.9 % અને શહેરી વિસ્તારોમાં 60.4 નો સમાવેશ થાય છે, જે નોંધપાત્ર ડિજિટલ કૌશલ્ય તફાવતને ઉજાગર કરે છે. આધાર-આધારિત ચુકવણીની શરત લાદીને લગભગ 7 કરોડ નોંધાયેલા કામદારોને મનરેગામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.”

54 ટકા સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્શન નથી

રાજ્યસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે 54 ટકા સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્શન નથી. 79 ટકા શાળાઓમાં ડેસ્કટોપ કોમ્પ્યુટર નથી. 85 ટકા શાળાઓમાં પ્રોજેક્ટર નથી અને 79 ટકા શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ નથી. સરકાર પર ગોપનીયતાને નુકસાન પહોંચાડવાનો અને પારદર્શિતા નબળી પાડવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ પોતે મંત્રીઓ અને સચિવોને કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતમાં 10 કરોડથી વધુ સાયબર હુમલા થયા છે.

કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), જે UPI વ્યવહારો ચલાવે છે, તેની સ્થાપના 2009 માં UPA સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે 9.55 કરોડ લાભાર્થીઓને LPG સબસિડી પૂરી પાડવા માટે પ્રથમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના – PAHAL – જૂન 2013 માં કોંગ્રેસ-યુપીએ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

ખડગેએ કહ્યું, “નરેન્દ્ર મોદી, એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન અમે આધાર અને UPI દ્વારા ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમ રજૂ કરી હતી, જેના કારણે ભારત ડિજિટલ વ્યવહારોમાં અગ્રેસર બન્યું હતું. તેથી ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ કરવા બદલ શ્રેય લેવાને બદલે, કદાચ તમારે તમારી સરકાર દ્વારા કરવામાં આવેલી ઘણી નિષ્ફળતાઓ અને છેતરપિંડી પર વિચાર કરવો જોઈએ.”

 

આ પણ વાંચો:
 

 

Related Posts

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી
  • August 3, 2026

CVoter Snap Poll: દેશમાં પેપર લીક વિવાદ અને તેના પગલે થયેલા વિદ્યાર્થી આંદોલનો વચ્ચે જાહેર થયેલા CVoterના તાજા સ્નેપ પોલમાં કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. સર્વે મુજબ,…

Continue reading
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 6 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 7 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 9 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી