Disha Salian Case: આદિત્ય ઠાકરેને મોટી રાહત, દિશા સાલિયન મોત કેસમાં ક્લીનચીટ, નોર્કો ટેસ્ટની માગ ઉઠી હતી, જાણો શું છે મામલો!

  • India
  • July 3, 2025
  • 0 Comments

Disha Salian Case: મહારાષ્ટ્ર સરકારના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ થયું કે દિશા સલિયનના મૃત્યુના કેસમાં કોઈ શંકાસ્પદ પુરાવા એકઠા થઈ શક્યા નથી. કોર્ટમાં સાબિત થયું છે કે આ આત્મહત્યાનો કેસ છે. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનનું 9 જૂન, 2020 ના રોજ મલાડમાં એક ઇમારતના 12મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેના મોત માટે આદિત્ય ઠાકરેને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા હતા. તેમને સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં તેમની સામે કેસ ચાલી રહ્યો હતો. ત્યારે હવે કોર્ટે ક્લિનચીટ આપી છે. જો કે વિપક્ષે આદિત્ય ઠાકરેને આડે હાથ લીધા છે.

દિશા સલિયનના પિતાએ તપાસની માગ કરી હતી

દિશા સલિયનના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મુંબઈ પોલીસની SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) અથવા CBI દ્વારા આ કેસની તપાસ કરાવવાની માંગ કરી હતી. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે દિશા સલિયન (ઉ.વ. 28) ના મૃત્યુમાં કોઈપણ પ્રકારની શંકા માટે કોઈ જગ્યા નથી. ઉપરાંત આદિત્ય ઠાકરે પણ નિર્દોષ છે.

દિશા સલિયનના પિતાના આરોપો

દિશાના પિતાનું કહેવું છે કે તેમની પુત્રી પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી અને તેને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આદિત્ય ઠાકરેની પણ બળાત્કાર અને હત્યામાં ભૂમિકા છે, તેથી તેમની સામે પણ FIR દાખલ થવી જોઈએ.

રાજ્ય સરકાર વતી માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરે જવાબ દાખલ કર્યો. તેમણે કહ્યું કે અરજીમાં કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

શું છે આખો મામલો?

તમને જણાવી દઈએ કે દિશા સલિયનના રહસ્યમય મૃત્યુનો મામલો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. આ મામલો 2022માં મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય ભરત ગોગાવલે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ દિશા સલિયનના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી. આ અંગે ગૃહમાં ધારાસભ્યોમાં ભારે હોબાળો થયો હતો.

આદિત્ય ઠાકરેના  નોર્કો ટેસ્ટની માગ પણ ઉઠી હતી

આ કિસ્સામાં નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની વાત પણ કરી હતી. વાસ્તવમાં દિશા સલિયન એક સેલિબ્રિટી મેનેજર હતી. તેણે વરુણ શર્મા, સુશાંત સિંહ રાજપૂત, ભારતી સિંહ જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું હતું. તે ટીવી અભિનેતા રોહન રાયને ડેટ કરી રહી હતી અને તેના મૃત્યુના થોડા મહિના પહેલા તેની સગાઈ પણ થઈ હતી.

8 જૂન 2020 એ તારીખ છે જ્યારે દિશા સલિયનનું મુંબઈના મલાડમાં એક ઇમારતના 14મા માળેથી પડીને કથિત રીતે મૃત્યુ થયું હતું. તેના મૃત્યુના થોડા દિવસો પછી 14 જૂને, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો મામલો પણ પ્રકાશમાં આવ્યો. જેથી આ મામલો વધુ પેચીદો બન્યો હતો. કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે તેના ક્લોઝર રિપોર્ટમાં દિશા સલિયનના મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી. પોલીસે કહ્યું હતું કે તે ઘણા કારણોસર ડિપ્રેશનથી પીડાતી હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.

જે બાદ આદિત્ય ઠાકરે પર દિશાના મોત પાછળ જવબાદાર ઠેરવવામાં આવી રહ્યા હતા. જોકે હવે તેમને ક્લિનચીટ મળી ગઈ છે.

આદિત્ય ઠાકરેની માફી માગો

મહારાષ્ટ્ર વિકાસ અઘાડીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિના અન્ય નેતાઓને આદિત્ય ઠાકરેની માફી માગવા કહ્યું છે. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને નિતિશ રાણે સહિત તમામે આદિત્ય ઠાકરેની માફી માગવી જોઈએ.

માફીની માગનું કારણ દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાનો મુદ્દો ભાજપ અને તેના મહારાષ્ટ્ર ગઠબંધને ચગાવ્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર અનેક આક્ષેપો કર્યા હતાં.

આ પણ વાંચોઃ

Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?

Kheda: મહુધા કન્યાશાળામાં શરમજનક ઘટના, શિક્ષિકાએ વિદ્યાર્થીનીના વાળ કાપી નાખ્યા, બધાં શિક્ષકો શું કરતાં હતા?

Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?

ભારતીય પાસપોર્ટની ઈજ્જત આટલી જ!, ભારતીય યુવતીને નાનો રુમ, અમેરિકનોને મફત ફાઇવ સ્ટાર હોટેલ… | Indian passport

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

મધ્યમ વર્ગને હવે GST માંથી મળી શકે છે મોટી રાહત, 12 ટકા સ્લેબ ખતમ થશે!, આ વસ્તુઓ સસ્તી

GST ને 8 વર્ષ પૂર્ણ થતાં રાહુલે કહ્યું GST આર્થિક અન્યાયનું હથિયાર!, લોકોને હેરાન કરનારી વ્યવસ્થા

Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ

ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?

આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Delhi: ‘મારા માતા-પિતાની ગાડી નવીની જેમ ચાલે છે, એન્જિન, પીયુસી પરફેક્ટ, છતાં સરકારની નિતીને કારણે ભંગાર…

Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!

 

Related Posts

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
  • August 10, 2026

Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

Continue reading
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી
  • August 10, 2026

JNU News: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં પૂર્વ વિદ્યાર્થી અને સંશોધક ઉમર ખાલિદની પુસ્તક ‘Fractured Communities’ પર યોજાનારી જાહેર ચર્ચા કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ કાર્યક્રમ યોજાવાના માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને