Bharuch: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, કૌભાંડમાં દરેકને ટકાવારી મળી : મનસુખ વસાવા

Bharuch: ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડના મામલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, આ કૌભાંડમાં ગાંધીનગરથી લઈને સ્થાનિક સ્તરે અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોને નાણાંની લેતીદેતી થઈ છે. ત્યારે ભરૂચમાં મનરેગા કૌભાંડમાં થતા આક્ષેપ પ્રતિઆક્ષેપે રાજકીય ખળભળાટ મચાવ્યો છે.

આખરે સાંસદે જાતે વાત સ્વીકારી

મનસુખ વસાવાએ જણાવ્યું કે, કૌભાંડ આચરનારી એજન્સીના પ્રતિનિધીઓએ તેમને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં મળીને એક યાદી બતાવી હતી, જેમાં વિવિધ પક્ષોના નેતાઓને ચૂકવવામાં આવેલી રકમની વિગતો હતી. તેમણે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ પર પણ આંગળી ચીંધીને કહ્યું, “ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, દીવા તળે અંધારું છે. આ કૌભાંડમાં દરેકને ટકાવારી મળી છે.” તેમણે તપાસની શરૂઆત ગાંધીનગરથી કરવાની માંગ કરી છે.

ચૈતર વસાવાનો પલટવાર

આ આક્ષેપોના જવાબમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કરતાં કહ્યું કે, આ કૌભાંડમાં સંડોવાયેલી જલારામ એજન્સીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાવનારા સ્વયં મનસુખ વસાવા છે. તેમણે આરોપ લગાવ્યો કે, મનસુખ વસાવાએ આ એજન્સી સાથે નર્મદા સુગર ફેક્ટરી અને કરજણ ગેસ્ટ હાઉસ ખાતે બેઠકો કરી હતી. ચૈતર વસાવાએ માંગ કરી કે, મનસુખ વસાવા પાસેનો ડેટા અને નેતાઓના નામ જાહેર કરવા જોઈએ, જેથી કૌભાંડમાં સામેલ લોકોની રકમ સાથેની વિગતો બહાર આવે.

ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, જ્યારે તેમણે આ કૌભાંડની વાત ઉઠાવી હતી, ત્યારે મનસુખ વસાવાએ તેનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે સાંસદે જાતે આ વાત સ્વીકારી છે, તો તેમનું અભિનંદન છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી અને સરકાર પર પણ નિશાન સાધતાં પૂછ્યું, “નાના લોકો પર બુલડોઝર ફરે છે, પણ આવા મોટા કૌભાંડીઓ પર ક્યારે બુલડોઝર ફરશે?”

રાજકીય વર્તુળોમાં હડકંપ

મનસુખ વસાવાના આ આક્ષેપો અને ચૈતર વસાવાના પલટવારથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે હવે તપાસની માંગ વધુ તીવ્ર બની રહી છે. મનસુખ વસાવાને આ કૌભાંડ મામલે નવો ધડાકો કરતા તે સવાલ થઈ રહ્યા છેકે, મનસુખ વસાવાને કૌભાંડના મુળીયા સુધીની ખબર હોવા છતા અત્યાર સુધી કેમ ચૂપ હતા? અને હવે કેમ બોલી રહ્યા છે? શું મનસુખ વસાવા પોતે દૂધના ધોયેલા છે ? હવે આ કૌભાંડની તપાસ ગાંધીનગરથી શરૂ થશે કે કેમ ? અને સામેલ નેતાઓના નામ બહાર આવશે કે નહીં ? તે જોવું રહ્યું.

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
    • February 1, 2026

    Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

    Continue reading
    SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
    • January 30, 2026

    SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    • February 1, 2026
    • 3 views
    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    • February 1, 2026
    • 7 views
    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    • February 1, 2026
    • 7 views
    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    • February 1, 2026
    • 6 views
    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

    • February 1, 2026
    • 6 views
    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

    • February 1, 2026
    • 11 views
    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?