Bharuch: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, કૌભાંડમાં દરેકને ટકાવારી મળી : મનસુખ વસાવા

Bharuch: ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડના મામલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, આ કૌભાંડમાં ગાંધીનગરથી લઈને સ્થાનિક સ્તરે અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોને નાણાંની લેતીદેતી થઈ છે. ત્યારે ભરૂચમાં મનરેગા કૌભાંડમાં થતા આક્ષેપ પ્રતિઆક્ષેપે રાજકીય ખળભળાટ મચાવ્યો છે.

આખરે સાંસદે જાતે વાત સ્વીકારી

મનસુખ વસાવાએ જણાવ્યું કે, કૌભાંડ આચરનારી એજન્સીના પ્રતિનિધીઓએ તેમને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં મળીને એક યાદી બતાવી હતી, જેમાં વિવિધ પક્ષોના નેતાઓને ચૂકવવામાં આવેલી રકમની વિગતો હતી. તેમણે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ પર પણ આંગળી ચીંધીને કહ્યું, “ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, દીવા તળે અંધારું છે. આ કૌભાંડમાં દરેકને ટકાવારી મળી છે.” તેમણે તપાસની શરૂઆત ગાંધીનગરથી કરવાની માંગ કરી છે.

ચૈતર વસાવાનો પલટવાર

આ આક્ષેપોના જવાબમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કરતાં કહ્યું કે, આ કૌભાંડમાં સંડોવાયેલી જલારામ એજન્સીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાવનારા સ્વયં મનસુખ વસાવા છે. તેમણે આરોપ લગાવ્યો કે, મનસુખ વસાવાએ આ એજન્સી સાથે નર્મદા સુગર ફેક્ટરી અને કરજણ ગેસ્ટ હાઉસ ખાતે બેઠકો કરી હતી. ચૈતર વસાવાએ માંગ કરી કે, મનસુખ વસાવા પાસેનો ડેટા અને નેતાઓના નામ જાહેર કરવા જોઈએ, જેથી કૌભાંડમાં સામેલ લોકોની રકમ સાથેની વિગતો બહાર આવે.

ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, જ્યારે તેમણે આ કૌભાંડની વાત ઉઠાવી હતી, ત્યારે મનસુખ વસાવાએ તેનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે સાંસદે જાતે આ વાત સ્વીકારી છે, તો તેમનું અભિનંદન છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી અને સરકાર પર પણ નિશાન સાધતાં પૂછ્યું, “નાના લોકો પર બુલડોઝર ફરે છે, પણ આવા મોટા કૌભાંડીઓ પર ક્યારે બુલડોઝર ફરશે?”

રાજકીય વર્તુળોમાં હડકંપ

મનસુખ વસાવાના આ આક્ષેપો અને ચૈતર વસાવાના પલટવારથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે હવે તપાસની માંગ વધુ તીવ્ર બની રહી છે. મનસુખ વસાવાને આ કૌભાંડ મામલે નવો ધડાકો કરતા તે સવાલ થઈ રહ્યા છેકે, મનસુખ વસાવાને કૌભાંડના મુળીયા સુધીની ખબર હોવા છતા અત્યાર સુધી કેમ ચૂપ હતા? અને હવે કેમ બોલી રહ્યા છે? શું મનસુખ વસાવા પોતે દૂધના ધોયેલા છે ? હવે આ કૌભાંડની તપાસ ગાંધીનગરથી શરૂ થશે કે કેમ ? અને સામેલ નેતાઓના નામ બહાર આવશે કે નહીં ? તે જોવું રહ્યું.

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
    • March 17, 2026

    ■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

    Continue reading
    ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
    • March 15, 2026

    ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 2 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 4 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 4 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    • March 18, 2026
    • 6 views
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    • March 18, 2026
    • 5 views
    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

    • March 18, 2026
    • 5 views
    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”