Anil Ambani મોહરું, સરકારના નિશાન પર કોણ?, પડદા પાછળનો શું છે અસલી ખેલ?

Anil Ambani : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ અનિલ અંબાણીની કંપની RCom ની કરોડોની લોનને ફ્રોડ જાહેર કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ( SBI) અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ના લોન ખાતાને “ફ્રોડ” જાહેર કર્યું છે અને તેના ભૂતપૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીનું નામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને રિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. SBI ની છેતરપિંડી ઓળખ સમિતિએ શોધી કાઢ્યું કે RCom અને તેની પેટાકંપનીઓને બેંકો પાસેથી કુલ રૂ. 31,580 કરોડની લોન મળી હતી, જેમાં ભંડોળના ઉપયોગમાં અનિયમિતતાઓ હતી. શું સરકાર આની વધુ તપાસ કરશે, શું આ સમગ્ર મામલો રાજકીય રીતે જોડાયેલો છે? આ મુદ્દાઓ પર હિમાંશુ ભાયાણીએ વિશ્લેષણ કર્યું છે તેના વિશે ધ ગુજરાત રિપોર્ટ પર જણાવ્યું હતું.

અનિલ અંબાણીની કંપનીની લોન ફ્રોડ જાહેર થવા પર હિમાશું ભાયાણીનું વિષ્લેષણ 

મહત્વનું છે કે, જ્યારે સામાન્ય માણસ લોન લે છે તો તેની પાસેથી પૈસા કઢાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો અને કાર્યવાહી કરવામા આવે છે પરંતુ મોટા ઉદ્યોગપતિઓ બેંક પાસેથી લોન લઈને કરોડોની છેતરપિંડી કરે છે તેમ થતા તેમના સામે કોઈ પગલા લેવાતા નથી ત્યારે અનિલ અંબાણીની કંપનીના લોનનો ફ્રોડ ક્યારથી શરુ થયો અને અત્યારે કેમ આ સામે આ સમગ્ર મામલે હિમાશું ભાયાણીએ માહિતી આપી હતી.

અનિલ અંબાણીના વકીલે શું કહ્યું હતું ?

અનિલ અંબાણીના વકીલે જણાવ્યું હતું કે આરકોમના લોન ખાતાઓને ફ્રોડ જાહેર કરવાનો એસબીઆઈનો આદેશ આઘાતજનક અને એકતરફી છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે. વકીલે કહ્યું હતું કે એસબીઆઈનો આદેશ સુપ્રીમ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટના વિવિધ નિર્ણયો સાથે આરબીઆઈની માર્ગદર્શિકાનું સીધું ઉલ્લંઘન છે. પત્રમાં, વકીલે કહ્યું હતું કે એસબીઆઈએ લગભગ એક વર્ષથી કારણ બતાવો નોટિસની અમાન્યતા અંગે અંબાણીના સંદેશાવ્યવહારનો જવાબ આપ્યો નથી. વકીલે કહ્યું હતું કે એસબીઆઈએ અંબાણીને તેના આરોપો સામે દલીલો રજૂ કરવા માટે વ્યક્તિગત સુનાવણીની તક પણ આપી નથી. તેમણે કહ્યું હતું કે અંબાણી કાનૂની સલાહ અનુસાર આ મામલાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહેશે…

 મામલો અત્યારે જ કેમ સામે આવ્યો ?

અનિલ અંબાણીની કંપનીનો આ મામલો અત્યારે જ કેમ સામે આવ્યો? શું કોઈ રાજકીય ખેલનો ભાગ છે રાજકારણમાં તેની શું અસર થઈ શકે છે ? શું અનિલ અંબાણીના બહાને બીજા કોઈને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.  જાણવા માટે જુઓ વીડિયો…

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

    • May 1, 2026
    • 6 views
    Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

    Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

    • May 1, 2026
    • 9 views
    Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

    Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

    • May 1, 2026
    • 7 views
    Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

    World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

    • May 1, 2026
    • 9 views
    World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

    Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

    • May 1, 2026
    • 10 views
    Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

    Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

    • May 1, 2026
    • 11 views
    Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું