Anil Ambani મોહરું, સરકારના નિશાન પર કોણ?, પડદા પાછળનો શું છે અસલી ખેલ?

Anil Ambani : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ અનિલ અંબાણીની કંપની RCom ની કરોડોની લોનને ફ્રોડ જાહેર કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ( SBI) અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ના લોન ખાતાને “ફ્રોડ” જાહેર કર્યું છે અને તેના ભૂતપૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીનું નામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને રિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. SBI ની છેતરપિંડી ઓળખ સમિતિએ શોધી કાઢ્યું કે RCom અને તેની પેટાકંપનીઓને બેંકો પાસેથી કુલ રૂ. 31,580 કરોડની લોન મળી હતી, જેમાં ભંડોળના ઉપયોગમાં અનિયમિતતાઓ હતી. શું સરકાર આની વધુ તપાસ કરશે, શું આ સમગ્ર મામલો રાજકીય રીતે જોડાયેલો છે? આ મુદ્દાઓ પર હિમાંશુ ભાયાણીએ વિશ્લેષણ કર્યું છે તેના વિશે ધ ગુજરાત રિપોર્ટ પર જણાવ્યું હતું.

અનિલ અંબાણીની કંપનીની લોન ફ્રોડ જાહેર થવા પર હિમાશું ભાયાણીનું વિષ્લેષણ 

મહત્વનું છે કે, જ્યારે સામાન્ય માણસ લોન લે છે તો તેની પાસેથી પૈસા કઢાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો અને કાર્યવાહી કરવામા આવે છે પરંતુ મોટા ઉદ્યોગપતિઓ બેંક પાસેથી લોન લઈને કરોડોની છેતરપિંડી કરે છે તેમ થતા તેમના સામે કોઈ પગલા લેવાતા નથી ત્યારે અનિલ અંબાણીની કંપનીના લોનનો ફ્રોડ ક્યારથી શરુ થયો અને અત્યારે કેમ આ સામે આ સમગ્ર મામલે હિમાશું ભાયાણીએ માહિતી આપી હતી.

અનિલ અંબાણીના વકીલે શું કહ્યું હતું ?

અનિલ અંબાણીના વકીલે જણાવ્યું હતું કે આરકોમના લોન ખાતાઓને ફ્રોડ જાહેર કરવાનો એસબીઆઈનો આદેશ આઘાતજનક અને એકતરફી છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે. વકીલે કહ્યું હતું કે એસબીઆઈનો આદેશ સુપ્રીમ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટના વિવિધ નિર્ણયો સાથે આરબીઆઈની માર્ગદર્શિકાનું સીધું ઉલ્લંઘન છે. પત્રમાં, વકીલે કહ્યું હતું કે એસબીઆઈએ લગભગ એક વર્ષથી કારણ બતાવો નોટિસની અમાન્યતા અંગે અંબાણીના સંદેશાવ્યવહારનો જવાબ આપ્યો નથી. વકીલે કહ્યું હતું કે એસબીઆઈએ અંબાણીને તેના આરોપો સામે દલીલો રજૂ કરવા માટે વ્યક્તિગત સુનાવણીની તક પણ આપી નથી. તેમણે કહ્યું હતું કે અંબાણી કાનૂની સલાહ અનુસાર આ મામલાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહેશે…

 મામલો અત્યારે જ કેમ સામે આવ્યો ?

અનિલ અંબાણીની કંપનીનો આ મામલો અત્યારે જ કેમ સામે આવ્યો? શું કોઈ રાજકીય ખેલનો ભાગ છે રાજકારણમાં તેની શું અસર થઈ શકે છે ? શું અનિલ અંબાણીના બહાને બીજા કોઈને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.  જાણવા માટે જુઓ વીડિયો…

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 3 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 6 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 8 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 10 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 9 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ