
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગઈકાલે મોહર્રમના નવમે ચાંદ પીરાને પીરના છિલ્લા પાસે નિશાનના જુલુસ માટે લોકો એકઠા થયાં હતાં. ત્યાં આખલો ધુસી આવતા નાસભાગ મચી જવા પામી હતી. તો આખલાએ 10 થી 15 લોકોને ઇજાઓ પોહચાડતા પ્રાંતિજ-હિંમતનગર ખાતે સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા.
જુલુસમાં આખલો ધુસી આવતા નાસભાગ
રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે પ્રાંતિજમા વધી રહ્યો છે. ત્યારે પ્રાંતિજ ગલેચી ભાગોળ પીરાન પીરના છીલ્લા પાસે તાજીયાના તહેવારને લઈને નિકળતા નિશાનના જુલુસ વેળા રોડ વચ્ચોવચ આખલો ધુસી આવતા નાસભાગ મચી જવા પામી હતી. અને લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. ત્યારે આખલાએ 10 થી 15 લોકોને અડફેટે લીધા હતા જેથી તેમને નાની મોટી સહિત જીવલેણ ઈજાઓ પોહચતા ઇજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આખલાની અડફેટે આવતા એક વૃધ્ધાને છાતીના ભાગે ઇજાઓ પોહચતા 15 ટાંકા આવ્યા હતા. તો એક મહિલાને હાથે-પગે તેમજ એક પુરૂષને આંખે સહિત શરીરે ઇજાઓ પોંહચી હતી. ઇજાગ્રસ્તોને પહેલા પ્રાંતિજ સિવિલમા સારવાર આપવામા આવી હતી. તેમજ ભાઇ-બહેનને વધુ ઈજાઓ પોહચતા તેઓને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા.
રખડતા ઢોર સહિત આખલાઓનો ત્રાસ વધ્યો
હાલ નગરમાં રખડતા ઢોર સહિત આખલાઓનો ત્રાસ વધ્યો છે. અને અવારનવાર પ્રાંતિજ પાલિકામા રજુઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે. ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા આવા ધાર્મિક તહેવારોમા વરધોડા , જુલુસ દરમ્યાન પાલિકાના માણસો મુકી જુલુસ કે વરધોડાઓ પહેલા આવા રખડતા ઢોરોને હાકવામા આવે. જેથી આવી ધટના ફરી ના બને. તેવી લોકમાંગ ઉઠી છે.
અહેલાલ : ઉમંગ રાવલ










