Astrology: ન્યાયના કારક શનિ મહારાજનું વક્રી ભ્રમણ કોને ફળશે?

Astrology:  ન્યાયપ્રિય ગ્રહ શનિ મહારાજ અત્યારે વક્રી ભ્રમણ કરી રહ્યા છે. નીતિના કારક ગ્રહ અને અત્યંત મંદ ગતિથી ભ્રમણ કરનારા શનિ મહારાજ 13 જુલાઈથી મીન રાશિમાં વક્રી થયા છે અને 28 નવેમ્બર સુધી વક્રી ભ્રમણ કરશે. શનિ મહારાજનું આ વક્રીભ્રમણ કોને ફળશે, એ વિશે અમદાવાદની એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના જ્યોતિષાચાર્ય આશિષ રાવલે ‘ધ ગુજરાત રીપોર્ટર’ને માહિતી આપી હતી.

જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ એટલે કે 913 દિવસ જેટલો વાસ કરે છે અને એમાં 92 જેટલા દિવસ વક્રીભ્રમણના હોય છે પણ આ વખતે 138 દિવસ એટલે કે વક્રીભ્રમણમાં સામાન્ય કરતાં 15 ટકા વધુ દિવસ કરશે. શનિ મહારાજ આટલા લાંબા સમય સુધી વક્રી રહેવાથી શેરમાર્કેટ અનિર્ણાયક બનવાની આશંકા છે. સત્ય, કર્મ-ધર્મ સાથે સંયમ અને સાદગી સાથે ધરેલો સંબંધ શનિ ધરાવે છે. દંડ, ત્યાગ અને બલિદાન સાથે મોક્ષના કારક તરીકે ગણના થાય છે. આ ભ્રમણ દરમિયાન મકર, કુંભ રાશિ નિયમ જાતકોને અનપેક્ષિત ધનલાભ થાય. લગ્નજીવનથી ખંડિત જાતકોને પુન:લગ્નની તક સાંપડે. કર્મચારીઓનાં આંદોલન વકરે પરંતુ સરકાર તરફથી સમાધાન સાથે સમજુતીઓ સ્વીકારાય. લાંબા સમયથી પીડિત ગુપ્ત રોગોમાંથી રાહત મળી શકે. રેલ પ્રવાસની દુર્ઘટના થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ધાર્મિક આંદોલનો, ખોટા-પ્રંપચી ગુરુઓની પોલ ખૂલી શકે. બજારમાં મંદી યથાવત્ રહે.

શનિ મહારાજનું વક્રી ભ્રમણ મકર અને કુંભ રાશિના જાતકોને ફળશે. કારણ કે આ બંને રાશિનો સ્વામિ શનિ ગ્રહ છે. એ સિવાય જે જાતકોની કુંડળીમાં શનિ વક્રી છે એમને પણ આ વક્રી ભ્રમણ ફળશે. મીન રાશિનો શનિ જન્મ લગ્નમાં વક્રી હોય તેમને પણ શનિનું વક્રીભ્રમણ ફળશે.

આ સિવાય જે દર્દીઓ અસાધ્ય રોગ કે ગુપ્ત રોગથી પીડાતા હોય એમને પણ શનિનું વક્રીભ્રમણ ફળશે. એટલે કે એવા દર્દીઓના હઠીલા રોગ હળવા શાથે અથવા દૂર થઈ જશે. કાયદાકીય ઘટનાઓના બીમાર એટલે કે કોર્ટ-કચેરીમાં લાંબા સમયથી કેસ પડતર હોય, નિકાલ ન થતો હોય તો શનિના વક્રી ભ્રમણ દરમિયાન આવા કેસોનો ઉકેલ આવી શકે છે.
શનિ મહારાજને ન્યાય, સત્ય અને નિષ્ઠા પ્રિય છે. નિષ્ઠાવાન કર્મચારી કળિયુગમાં હેરાન થતો દેખાઈ શકે છે પણ શનિ મહારાજની એવા લોકો પર દૃષ્ટિ હોવાથી ન્યાયપ્રિય માણસોને કોઈ કશું કરી શકતું નથી. એટલે શનિ વક્રી છે ત્યારે સત્ય અને નિષ્ઠાથી નોકરી કરનારા કે સેવા પૂરી પાડનારા લોકોને વક્રી ભ્રમણ ફળે છે. આ સિવાય શનિ મહારાજ લગ્નોત્સુકો માટે પણ કૂણું વલણ ધરાવશે. વક્રી ભ્રમણ દરમિયાન વિધવા થઈ ગઈ છું. સાથેસાથે વિધવા કે વિધુર હોય તો પુનર્લગ્નની તક પણ વિકસતી જશે. નોકરિયાત વર્ગના મળવાપાત્ર લાભમાં, સવલતો મેળવવા માટે વક્રી ભ્રમણ ઉપયોગી થશે.

વક્રીભ્રમણ સમય કઈ ઉપાસના, આરાધના કારગત નીવડે?
(૧) શનિ દેવના મંત્ર જાપ દર્શન
(૨) કાલ ભૈરવના મંત્ર જાપ દર્શન તથા કવચ પઠન
(૩) જરૂરિયાતમંદ સિનિયર સીટીઝનને મેડિકલ સહાય
(૪‌) વિકલાંગ કે દિવ્યાંગ ને જૂની ચાદર કે ધાબલો આપવાથી
(૫) જુના ભંગાર,પસ્તી ના પૈસા લેવા નહીં
(૬) રામ રોટી ના અન્ન क्षेत्र માં યથાશકિત મદદરૂપ કે દાન આપવુ.

આ પણ વાંચોઃ

Shubhanshu Shukla: શુભાંશુ શુક્લા ધરતી પર પાછા ફરતા માતા-પિતાની આંખોમાંથી આંસુ આવી ગયા, જાણો તેમણે શું કહ્યું?

 

Related Posts

Rashifal 2026: ગ્રહોના રાજા સૂર્ય રાજ કરશે,આ રાશિના જાતકો માટે ખુલી જશે ભાગ્યના દ્વાર
  • January 4, 2026

Rashifal 2026: 2026ના વર્ષમાં કેટલીક રાશિઓના જાતકો માટે ભાગ્યના નવા દરવાજા ખુલી જવાના છે,એક નવી ઉર્જા અને ચેતના જીવનમાં આવવાની છે,જાતકોને ભાગ્યનો સાથ મળવાનો છે તો ચાલો જાણીએ કે નવું…

Continue reading
Navratri Rashifal: આ શારદીય નવરાત્રી પર ચંદ્રનો રહેશે પ્રભાવ, જાણો કઈ રાશિના લોકોને થશે ફાયદો?
  • September 22, 2025

Navratri Rashifal: આ વર્ષે, શારદીય નવરાત્રી દરમિયાન, ફક્ત ચંદ્ર જ ગોચર કરશે. બાકીના ગ્રહો નહીં. સમગ્ર નવરાત્રી દરમિયાન, સૂર્ય કન્યા રાશિમાં, મંગળ તુલા રાશિમાં, બુધ કન્યા રાશિમાં, ગુરુ મિથુન રાશિમાં,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 2 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 4 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 5 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી

  • May 8, 2026
  • 10 views
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી

Kapil Sibal: તમિલનાડુ રાજ્યપાલ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, વિજયના સમર્થનમાં કપિલ સિબ્બલનો મોટો આરોપ

  • May 8, 2026
  • 7 views
Kapil Sibal: તમિલનાડુ રાજ્યપાલ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, વિજયના સમર્થનમાં કપિલ સિબ્બલનો મોટો આરોપ