CM Devendra Fadnavis News: દેવો સાથે સરખામણી થાય, તેવી દેવેન્દ્ર ફડણવીસની ઔકાત છે?

  • India
  • July 17, 2025
  • 0 Comments

CM Devendra Fadnavis News: અત્યારે કોઈને પણ ભગવાન બનાવી દેવામાં આવે છે. તેમાંય ખાસ કરીને નેતાઓને ભગવાન બનાવી દેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માણસ ભગવાન આગળ તુચ્છ છે પરંતુ કેટલાક લોકો નેતાઓ મહાન છે તેવું બતાવવા માટે તેમની ભગવાન સાથે તુલના કરીને અતિશયોક્તિ બતાવવામાં કોઈ કસર નથી છોડતા પહેલા મોદીથી શરુઆથ થઈ ઘણા લોકો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે તેમની તુલતા ભગવાન સાથે કરી હોવાનું સામે આવ્ચું હતું, ત્યારે હવે મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ભગવાન સાથે સરખાવી દીધા છે.

દેવેન્દ્ર ફડણવીસની  ભગવાન સાથે તુલતા

મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મોટું નિવેદન આપ્યું છે. વિધાન પરિષદના સભ્ય પરિણય ફુકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે કરી છે. વિધાન પરિષદમાં બોલતા ધારાસભ્ય પરિણય ફુકેએ કહ્યું કે સીએમ ફડણવીસનું પાત્ર બિલકુલ ભગવાન શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ શ્રી કૃષ્ણ જેવી છે.

પરિણય ફુકે કહે છે કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેને દેશનું નંબર વન રાજ્ય બનાવ્યું છે. એટલું જ નહીં, ધારાસભ્ય પરિણય ફુલેએ વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભગવાનથી ઓછા નથી, તેથી તેઓ તેમના ભજન ગાય છે. તેમણે કહ્યું, “મને ખબર નથી કે દેવેન્દ્ર ફડણવીસ ભગવાન છે કે નહીં, પરંતુ તેઓ ભગવાન જેવા વ્યક્તિ છે. તેમનું પાત્ર શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ કૃષ્ણ જેવી છે. તેમની સહનશીલતા બિલકુલ મહાદેવ જેવી છે, તેમનામાં ઝેર પીવાની ક્ષમતા પણ છે.”

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ધારાસભ્ય ફુકેએ કહ્યું, “મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમાં સૂર્યનું તેજ અને ચંદ્રની શાંતિ છે.” મુખ્યમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરિણય ફુકેએ તેમની ખૂબ પ્રશંસા કરી.

મોદીએ પરંપરા શરુ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના પણ અનેકવાર ભગવાનના અવતારો સાથે કરવામાં આવી છે. ખાસ કરીને, ભાજપના કેટલાક નેતાઓ અને સમર્થકોએ તેમને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ગણાવ્યા છે. ઉદાહરણ તરીકે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, કેટલાક સમર્થકોએ તેમને “આધુનિક ભારતના રામ” અથવા “દેશના ઉદ્ધારક” તરીકે ઓળખાવ્યા હતા. જોકે, આવા નિવેદનો પર વિવાદ પણ થયો હતો, કારણ કે વિરોધી પક્ષોએ આને ધાર્મિક ભાવનાઓનો રાજકીય ઉપયોગ ગણાવ્યો હતો.

આવી તુલનાઓ ઘણીવાર રાજકીય લાભ માટે અથવા સામે વાળાની નજરમાં સારા બનવા માટે કરવામાં આવે છે, પરંતુ તે વિવાદોનું કારણ પણ બને છે, કારણ કે ધાર્મિક ભાવનાઓ ખૂબ સંવેદનશીલ હોય છે. ભગવાન સાથે માણસની તુલના ક્યારેય પણ ન થઈ શકે અને તેમાં ખાસ કરીને નેતા ભગવાન કેવી રીતે બની શકે ? હા કોઈ નેતા સારુ કામ કરે તો તેની પ્રશંસા કરવા જોઈએ પરંતુ તેને સીધા ભગવાનની સાથે જ સરખાવી દેવા તે અતિશયોક્તિ છે.

આ પણ વાંચો:  

 
 
 
 
 
 
 

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
  • October 29, 2025

Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ