CM Devendra Fadnavis News: દેવો સાથે સરખામણી થાય, તેવી દેવેન્દ્ર ફડણવીસની ઔકાત છે?

  • India
  • July 17, 2025
  • 0 Comments

CM Devendra Fadnavis News: અત્યારે કોઈને પણ ભગવાન બનાવી દેવામાં આવે છે. તેમાંય ખાસ કરીને નેતાઓને ભગવાન બનાવી દેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માણસ ભગવાન આગળ તુચ્છ છે પરંતુ કેટલાક લોકો નેતાઓ મહાન છે તેવું બતાવવા માટે તેમની ભગવાન સાથે તુલના કરીને અતિશયોક્તિ બતાવવામાં કોઈ કસર નથી છોડતા પહેલા મોદીથી શરુઆથ થઈ ઘણા લોકો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે તેમની તુલતા ભગવાન સાથે કરી હોવાનું સામે આવ્ચું હતું, ત્યારે હવે મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ભગવાન સાથે સરખાવી દીધા છે.

દેવેન્દ્ર ફડણવીસની  ભગવાન સાથે તુલતા

મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મોટું નિવેદન આપ્યું છે. વિધાન પરિષદના સભ્ય પરિણય ફુકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે કરી છે. વિધાન પરિષદમાં બોલતા ધારાસભ્ય પરિણય ફુકેએ કહ્યું કે સીએમ ફડણવીસનું પાત્ર બિલકુલ ભગવાન શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ શ્રી કૃષ્ણ જેવી છે.

પરિણય ફુકે કહે છે કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેને દેશનું નંબર વન રાજ્ય બનાવ્યું છે. એટલું જ નહીં, ધારાસભ્ય પરિણય ફુલેએ વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભગવાનથી ઓછા નથી, તેથી તેઓ તેમના ભજન ગાય છે. તેમણે કહ્યું, “મને ખબર નથી કે દેવેન્દ્ર ફડણવીસ ભગવાન છે કે નહીં, પરંતુ તેઓ ભગવાન જેવા વ્યક્તિ છે. તેમનું પાત્ર શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ કૃષ્ણ જેવી છે. તેમની સહનશીલતા બિલકુલ મહાદેવ જેવી છે, તેમનામાં ઝેર પીવાની ક્ષમતા પણ છે.”

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ધારાસભ્ય ફુકેએ કહ્યું, “મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમાં સૂર્યનું તેજ અને ચંદ્રની શાંતિ છે.” મુખ્યમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરિણય ફુકેએ તેમની ખૂબ પ્રશંસા કરી.

મોદીએ પરંપરા શરુ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના પણ અનેકવાર ભગવાનના અવતારો સાથે કરવામાં આવી છે. ખાસ કરીને, ભાજપના કેટલાક નેતાઓ અને સમર્થકોએ તેમને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ગણાવ્યા છે. ઉદાહરણ તરીકે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, કેટલાક સમર્થકોએ તેમને “આધુનિક ભારતના રામ” અથવા “દેશના ઉદ્ધારક” તરીકે ઓળખાવ્યા હતા. જોકે, આવા નિવેદનો પર વિવાદ પણ થયો હતો, કારણ કે વિરોધી પક્ષોએ આને ધાર્મિક ભાવનાઓનો રાજકીય ઉપયોગ ગણાવ્યો હતો.

આવી તુલનાઓ ઘણીવાર રાજકીય લાભ માટે અથવા સામે વાળાની નજરમાં સારા બનવા માટે કરવામાં આવે છે, પરંતુ તે વિવાદોનું કારણ પણ બને છે, કારણ કે ધાર્મિક ભાવનાઓ ખૂબ સંવેદનશીલ હોય છે. ભગવાન સાથે માણસની તુલના ક્યારેય પણ ન થઈ શકે અને તેમાં ખાસ કરીને નેતા ભગવાન કેવી રીતે બની શકે ? હા કોઈ નેતા સારુ કામ કરે તો તેની પ્રશંસા કરવા જોઈએ પરંતુ તેને સીધા ભગવાનની સાથે જ સરખાવી દેવા તે અતિશયોક્તિ છે.

આ પણ વાંચો:  

 
 
 
 
 
 
 

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 10 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ