CM Devendra Fadnavis News: દેવો સાથે સરખામણી થાય, તેવી દેવેન્દ્ર ફડણવીસની ઔકાત છે?

  • India
  • July 17, 2025
  • 0 Comments

CM Devendra Fadnavis News: અત્યારે કોઈને પણ ભગવાન બનાવી દેવામાં આવે છે. તેમાંય ખાસ કરીને નેતાઓને ભગવાન બનાવી દેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માણસ ભગવાન આગળ તુચ્છ છે પરંતુ કેટલાક લોકો નેતાઓ મહાન છે તેવું બતાવવા માટે તેમની ભગવાન સાથે તુલના કરીને અતિશયોક્તિ બતાવવામાં કોઈ કસર નથી છોડતા પહેલા મોદીથી શરુઆથ થઈ ઘણા લોકો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે તેમની તુલતા ભગવાન સાથે કરી હોવાનું સામે આવ્ચું હતું, ત્યારે હવે મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ભગવાન સાથે સરખાવી દીધા છે.

દેવેન્દ્ર ફડણવીસની  ભગવાન સાથે તુલતા

મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મોટું નિવેદન આપ્યું છે. વિધાન પરિષદના સભ્ય પરિણય ફુકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે કરી છે. વિધાન પરિષદમાં બોલતા ધારાસભ્ય પરિણય ફુકેએ કહ્યું કે સીએમ ફડણવીસનું પાત્ર બિલકુલ ભગવાન શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ શ્રી કૃષ્ણ જેવી છે.

પરિણય ફુકે કહે છે કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેને દેશનું નંબર વન રાજ્ય બનાવ્યું છે. એટલું જ નહીં, ધારાસભ્ય પરિણય ફુલેએ વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભગવાનથી ઓછા નથી, તેથી તેઓ તેમના ભજન ગાય છે. તેમણે કહ્યું, “મને ખબર નથી કે દેવેન્દ્ર ફડણવીસ ભગવાન છે કે નહીં, પરંતુ તેઓ ભગવાન જેવા વ્યક્તિ છે. તેમનું પાત્ર શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ કૃષ્ણ જેવી છે. તેમની સહનશીલતા બિલકુલ મહાદેવ જેવી છે, તેમનામાં ઝેર પીવાની ક્ષમતા પણ છે.”

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ધારાસભ્ય ફુકેએ કહ્યું, “મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમાં સૂર્યનું તેજ અને ચંદ્રની શાંતિ છે.” મુખ્યમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરિણય ફુકેએ તેમની ખૂબ પ્રશંસા કરી.

મોદીએ પરંપરા શરુ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના પણ અનેકવાર ભગવાનના અવતારો સાથે કરવામાં આવી છે. ખાસ કરીને, ભાજપના કેટલાક નેતાઓ અને સમર્થકોએ તેમને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ગણાવ્યા છે. ઉદાહરણ તરીકે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, કેટલાક સમર્થકોએ તેમને “આધુનિક ભારતના રામ” અથવા “દેશના ઉદ્ધારક” તરીકે ઓળખાવ્યા હતા. જોકે, આવા નિવેદનો પર વિવાદ પણ થયો હતો, કારણ કે વિરોધી પક્ષોએ આને ધાર્મિક ભાવનાઓનો રાજકીય ઉપયોગ ગણાવ્યો હતો.

આવી તુલનાઓ ઘણીવાર રાજકીય લાભ માટે અથવા સામે વાળાની નજરમાં સારા બનવા માટે કરવામાં આવે છે, પરંતુ તે વિવાદોનું કારણ પણ બને છે, કારણ કે ધાર્મિક ભાવનાઓ ખૂબ સંવેદનશીલ હોય છે. ભગવાન સાથે માણસની તુલના ક્યારેય પણ ન થઈ શકે અને તેમાં ખાસ કરીને નેતા ભગવાન કેવી રીતે બની શકે ? હા કોઈ નેતા સારુ કામ કરે તો તેની પ્રશંસા કરવા જોઈએ પરંતુ તેને સીધા ભગવાનની સાથે જ સરખાવી દેવા તે અતિશયોક્તિ છે.

આ પણ વાંચો:  

 
 
 
 
 
 
 

Related Posts

India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય
  • May 14, 2026

India economy rupee crisis: વૈશ્વિક રાજકારણમાં યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય સંકટો હંમેશા દેશોની આર્થિક પરિસ્થિતિ પર અસર કરતા હોય છે. હાલમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વિશ્વભરના…

Continue reading
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર
  • May 13, 2026

Udhayanidhi Stalin Sanatan Dharma: તમિલનાડુના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે ભાજપના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય

  • May 14, 2026
  • 2 views
India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 5 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 11 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 5 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 10 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 15 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર