Ahmedabad: અમદાવાદમાં લુખ્ખાએ હદ વટાવી, ભજન કરતી મહિલાઓને ચોટલા ખેંચીને પટકી

  • India
  • July 19, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલી મહિલાઓ પર લુખ્ખાઓના ટોળાએ હુમલો કર્યો, જેમાં મહિલાઓના વાળ ખેંચીને અને ઢસડીને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ઓઢવ પોલીસે ગુનો નોંધીને બે આરોપીઓ, અંકિત પટેલ અને અલ્પેશ પટેલની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.

ઘટનાનો વિવાદ કેવી રીતે શરૂ થયો?

પ્રાથમિક માહિતી અનુસાર, શ્રીધર સ્પર્શ સોસાયટીમાં આવેલા કૃષ્ણ મંદિરમાં રોજની જેમ ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન, બે યુવકોએ મહિલાઓને ભજનનો અવાજ ધીમો કરવા જણાવ્યું, જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ. વાત આગળ વધતા યુવકોએ ડીજે વગાડવાનું શરૂ કર્યું, જેનાથી વિવાદ વધુ ગરમાયો. આ બોલાચાલી ટૂંક સમયમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ, અને યુવકોએ મહિલાઓ પર હુમલો કર્યો. મહિલાઓએ પણ પ્રતિકાર કર્યો અને યુવકોને ઢીબી નાખ્યા. આ ઘટનામાં સોસાયટીના અન્ય રહેવાસીઓ પણ જોડાયા, જેના કારણે મામલો વધુ બગડ્યો.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીઓ સામે ફરિયાદ નોંધી. મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પહોંચીને પીઆઈને આ ઘટના અંગે રજૂઆત કરી હતી. પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોનો રોષ

જોકે, આ ઘટનાએ શહેરમાં અસામાજિક તત્વોની બેફામ હરકતો પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે લુખ્ખાઓને પોલીસનો કોઈ ડર નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. શું છે આગળનો રસ્તો?આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.સ્થાનિકોની માંગ છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને જાહેરમાં માફી મંગાવીને સજા કરવામાં આવે.

વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓએ મચાવ્યો હતો આતંક

આ પહેલાં પણ વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો, જેમાં માર્ચ 2025માં શાશ્વત સોસાયટી પાસે વાહનચાલકો અને રાહદારીઓ પર હુમલા થયા હતા. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસે વધુ સતર્ક રહેવું જરૂરી છે.આ ઘટના એક ચેતવણી છે કે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ 

Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ

Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો

Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?

Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?

Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો

 

  • Related Posts

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
    • June 18, 2026

    Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    • June 18, 2026
    • 3 views
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    • June 18, 2026
    • 4 views
    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    • June 18, 2026
    • 7 views
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    • June 18, 2026
    • 9 views
    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    • June 18, 2026
    • 8 views
    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

    • June 18, 2026
    • 10 views
    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!