Bagodara suicide: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીતા મોત, સ્વજને કહ્યું આપઘાત ન કરે, કોઈએ ઝેર ભેળવ્યું!

Bagodara family suicide: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે 20 જુલાઈ, 2025ની મોડી રાત્રે એક  હૃદય ધ્રુજાવનારી ઘટના બની, જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો. આ ઘટનામાં પતિ, પત્ની અને તેમના ત્રણ નાના બાળકોના કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના બગોદરા બસ સ્ટેશન નજીક આવેલા એક ભાડાના મકાનમાં બની, જ્યાં આ પરિવાર રહેતો હતો. પ્રાથમિક તપાસ અનુસાર આ ઘટના રાત્રે 1:30 વાગ્યા પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. પરિવારના તમામ પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મૃતકોમાં વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉંમર 34, પતિ), સોનલબેન વિપુલભાઈ વાઘેલા (ઉંમર 26, પત્ની), સીમરન વિપુલભાઈ વાઘેલા (ઉંમર 11, દીકરી), મયુર વિપુલભાઈ વાઘેલા (ઉંમર 8, દીકરો) અને પ્રિન્સી વિપુલભાઈ વાઘેલા (ઉંમર 5, દીકરી)નો સમાવેશ થાય છે.

પરિવાર મૂળ ધોળકાનો

આ પરિવાર મૂળ ધોળકાના બારાકોઠા વિસ્તાર, દેવીપૂજક વાસનો વતની હતો અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. વિપુલભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના 20 જુલાઈની રાત્રે 1:30 વાગ્યા પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. પરિવારના તમામ સભ્યોએ રાત્રે ઝેરી દવા પીધી અને ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયા. સવારે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો અને પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસની કાર્યવાહી

ઘટનાની માહિતી મળતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ, 108 એમ્બ્યુલન્સ સેવા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક (SP), ધંધુકા ડિવિઝનના ASP, સ્થાનિક ગુના શાખા (LCB)ના PI, SOG PI અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળેથી ઝેરી દવાની ખાલી બોટલ અને અન્ય પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકો, પડોશીઓ અને પરિવારના સંબંધીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે.

સમાજ પર અસરઆ ઘટનાએ બગોદરા, ધોળકા અને આજુબાજુના વિસ્તારોમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે. એક જ પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાતના સમાચારે સ્થાનિક લોકોમાં આઘાત અને ચોંકાવનારી અસર પેદા કરી છે. ખાસ કરીને, ત્રણ નાના બાળકોના મોતથી લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે.

  રિક્ષાના હપ્તા લેનારા હેરાન કરતા!

સ્થાનિક રહેવાસીઓ અને પરિવારના પરિચિતો આ ઘટનાના કારણો અંગે અટકળો લગાવી રહ્યા છે. નજીકના સ્વજનનું કહેવું છે કે પરિવારે હપ્તે રિક્ષા લીધી  હતી. જેના હપ્તા લેવા ફાઈનાન્સવાળા ઘરે ચક્કર લગાવી હેરાન કરતા હોવાના ઓરોપો થઈ રહ્યા છે. એક-દોઢ મહિનાથી હપ્તાવાળા હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે.

વધુમાં સ્વજને કહ્યું કે આ પરિવાર આપઘાત કરે તેવો ન હતો. જોકે કોઈએ લાવેલા અથવા ઘરે બનાવેલા નાસ્તામાં કોઈએ ઝેર નાખી દીધુ હોઈ શકે છે.

આ પણ વાંચો:

Sabar Dairy: સાબર ડેરીનુંં તંત્ર ઝૂક્યું, 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવા તૈયાર, છતાં પશુપાલકો અસંતુષ્ટ

Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?

Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો,  2 ની ધરપકડ

phagwel Virpur rally: અમૂલ ડેરીએ ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચાર!, પશુપાલકો અને ડિરેક્ટરોએ ફાગવેલથી વીરપુર સુધી રેલી કાઢી

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 2 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 3 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 8 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!