phagwel Virpur rally: અમૂલ ડેરીએ ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચાર!, પશુપાલકો અને ડિરેક્ટરોએ ફાગવેલથી વીરપુર સુધી રેલી કાઢી

phagwel Virpur rally: અમૂલ ડેરીમાં જમીન ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દે સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી મહિને અમૂલ ડેરી સંઘની ચૂંટણી પહેલાં “અમૂલ બચાવો” આંદોલન શરૂ થયું છે, જેમાં ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના હજારો પશુપાલકો, દૂધ મંડળીઓના ચેરમેન, સભ્યો અને સહકારી આગેવાનોએ ભાગ લીધો છે. આ આંદોલનનો હેતુ અમૂલ ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો અને પશુપાલકોના હકનું રક્ષણ કરવાનો છે.
ફાગવેલથી વીરપુર સુધી રેલી

ખેડા જીલ્લાના યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શન બાદ, પશુપાલકો અને સહકારી નેતાઓએ વીરપુર ખાતે જમીન ખરીદીના સ્થળની મુલાકાત લેવા રેલીના સ્વરૂપે કૂચ કરી. આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો જોડાયા હતા. રેલીનો ઉદ્દેશ્ય વીરપુરમાં ખરીદાયેલી જમીનના ભાવ અને તેની પાછળની વાસ્તવિક પરિસ્થિતિની તપાસ કરવાનો હતો.
અમૂલ
ડેરીના ડિરેક્ટરનો આક્ષેપ

અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, “અમૂલમાં છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારની વાતો ચાલી રહી છે, પછી તે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ હોય કે બહારના લોકોને પૈસા લઈને નોકરી આપવાની બાબત હોય. આ તમામ મુદ્દાઓને ખુલ્લા પાડવા અમે વીરપુર ખાતે સ્થળની મુલાકાતે જઈ રહ્યા છીએ. અમે જમીનના ભાવ અને વાસ્તવિક સ્થિતિની તપાસ કરીશું.”
જમીન
ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ

ડેરીના અન્ય ડિરેક્ટર ભરતસિંહ પરમારે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું, “અમૂલ ડેરી એટલે પશુપાલકોની સંસ્થા. પશુપાલકો રાત-દિવસ મહેનત કરીને દૂધ પહોંચાડે છે, પરંતુ દૂધ અને વેપારનો નફો તેમના કામમાં આવતો નથી. વીરપુરમાં જમીન ખરીદીમાં ભારે ગેરરીતિ થઈ છે. જે જમીન ગુંઠે 40,000 રૂપિયામાં મળે તેનો ભાવ 4 લાખ રૂપિયા ગુંઠો નક્કી કરાયો છે. આ પશુપાલકોની મહેનતની કમાણીનો દુરુપયોગ છે. અમે આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ.”
વીરપુરમાં સેમિનારનું આયોજન

રેલી બાદ વીરપુર ખાતે પશુપાલકો માટે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા થશે અને અમૂલને બચાવવા માટે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પશુપાલકોનો આક્રોશ સ્પષ્ટ છે કે, “અમૂલ આપણી છે, અને અમારા પૈસાનો દુરુપયોગ અમે સહન નહીં કરીએ.

અમૂલ ડેરી, જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હેઠળ કાર્યરત છે, તે 3.6 મિલિયન પશુપાલકોની સહકારી સંસ્થા છે. 1946માં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ સંસ્થા ભારતની સફેદ ક્રાંતિનું પ્રતીક બની છે. જોકે, તાજેતરના વર્ષોમાં રાજકીય હસ્તક્ષેપ અને ભ્રષ્ટાચારના આરોપોએ અમૂલની પ્રતિષ્ઠાને અસર કરી છે.

પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે આક્ષેપ

પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે આક્ષેપ કર્યો છે કે અમૂલે વીરપુરમાં રૂ.40, 000 પ્રતિ ગુંઠાની જમીન રૂ.4,00,000 પ્રતિ ગુંઠાના ઊંચા ભાવે ખરીદી છે. તેમણે આને પશુપાલકોના હિત વિરુદ્ધ ગણાવી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જોકે, અમૂલના બાલાસિનોરના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠકે ખરીદીને પારદર્શક ગણાવી છે. કેસરીસિંહે દાવો કર્યો કે આ જમીન હલકી ગુણવત્તાની છે અને માંગ કરી કે ખેડૂતને ચૂકવાયેલી રકમ સિવાયના વધારાના પૈસા અમૂલમાં પરત કરવામાં આવે. તેમણે શાસકોને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો અને કહ્યું કે જો પપ્પુભાઈ, વિપુલભાઈ અને કાંતિકાકાને પોતાની કામગીરી પર વિશ્વાસ હોય, તો તેઓ તેમના માતર બ્લોકમાં ચૂંટણી લડીને જીતી બતાવે.

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી