Maharajganj: સ્કૂલ બંધ થતાં બાળકો પોકે પોકે રડ્યા, અમારી સ્કૂલ ચાલુ રાખો, સરકારને કેમ સંભળાતો નથી માસૂમોનો પોકાર?

  • India
  • July 22, 2025
  • 0 Comments

Maharajganj children demand school continue: કાવડિયાઓ માટે સારી વ્યવસ્થા કરતી ભાજપ સરકાર સ્કૂલોને ખતમ કરવા બેઠી છે. તે લોકોને અભણ રાખવા માગતી હોય તે રીતે સ્કૂલો બંધ કરી છે. જેના કારણે બાળકો શિક્ષણ વિના રઝળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજના રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળાને બંધ કરી ગામથી 1 કિમી દૂર આવેલી કરનૌતી પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવી છે. જેથી બાળકો અને નારાજ વાલીઓએ સોમવારે આચાર્ય કુસુમલતા પાંડે જરૂરી દસ્તાવેજો લેવા શાળામાં પહોંચ્યા, ત્યારે બાળકો પણ શાળામાં આવ્યા. તેઓ શાળાનો દરવાજો પકડીને રડવા લાગ્યા હતા.

સરકારના આદેશ પર શાળાને અન્યત્ર ખસેડવામાં આવી રહી છે. રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફક્ત 40 બાળકો અભ્યાસ કરતા હતા. તેથી, તેને કરનૌતી પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવી. શાળામાં આચાર્ય કુસુમલતા પાંડે સહિત 2 શિક્ષકો છે. તે બંનેને શિક્ષકોને પણ કરનૌતીની શાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

50 થી ઓછા બાળકો હોય તો બીજી શાળામાં મર્જ કરવાનું સરકારનું કામ

ગત શુક્રવારે જીલ્લા શિક્ષણ અધિકારીએ આ શાળાને અન્ય શાળામાં મર્જ કરવા માટે માટે વોટ્સએપ પર સંદેશ મોકલ્યો હતો. સરકારના નિર્ણય મુજબ જે પણ સરકારી શાળામાં 50 થી ઓછા બાળકો હશે તેને બીજી શાળામાં મર્જ કરવામાં આવશે.

દિવ્યાંગ વિદ્યાર્થીની આકૃતિએ કહ્યું  કે હવે હું શાળાએ જઈ શકીશ નહીં

ધોરણ 5 માં ભણતી દિવ્યાંગ વિદ્યાર્થીની આકૃતિ શાળાનું મર્જર થયા પછી ખૂબ જ દુઃખી છે. તે કહે છે કે હવે હું ક્યારેય શાળાએ જઈ શકીશ નહીં. મારા ઘરમાં એવું કોઈ નથી જે મને શાળાએ મૂકી શકે. આ શાળા નજીકમાં હતી તેથી મારી માતા મને ત્યાં મૂકી જતી. રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફક્ત 40 બાળકો અભ્યાસ કરતા હતા. તેથી, તેને કરનૌતી પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવી. શાળામાં આચાર્ય કુસુમલતા પાંડે સહિત 2 શિક્ષકો છે. તે બંનેને પણ કરનૌતીની શાળામાં મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશમાં જ નહીં  ભારતના અનેક રાજ્યોમાં શાળાઓને સરકાર બંધ કરી રહી છે. જેથી સરકારની નીતી સ્પષ્ટ થાય છે કે તે દેશના બાળકોને ભણાવવા માગતી નથી. તે અભણ રાખવા માગે છે. જેથી સરકારને મોટા થઈ સવાલ ન પૂછી શકે. નાના બાળકોને અંધશ્રધ્ધામાં ધકેલવામાં આવી રહ્યા છે. જે વાલીઓ માટે એક ચિંતા સમાન છે.

પણ વાંચો:

Kaushambi Crime: જેઠાણીની કચકચથી દેરાણીએ લોટમાં ઝેર ભેળવ્યું, પરિવાર ખાય તે પહેલા પડી ખબર, જાણો પછી શું થયું?

Millionaires left India: મોદી PM બન્યા પછી કરોડપતિઓએ ભારત કેમ છોડ્યું?, અમદાવાદ શ્રેષ્ઠ શહેર છતાં લોકોની નજર વિદેશ તરફ

Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો

UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ

UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?

 

Related Posts

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર
  • May 11, 2026

INDIA bloc controversy: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દોઢ દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી સામે સત્તા ગુમાવતા જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીના સૂર બદલાયા છે.…

Continue reading
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 2 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?