Surendranagar: સરકારી શાળામાં પંખો પડતાં 6 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત, ક્યાં સુધી બેદરકારીનો ભોગ બનશે બાળકો?

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે આવેલી પે સેન્ટર સરકારી શાળામાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 6ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક છત પરનો પંખો તૂટી પડતાં 6 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ શાળાની દુર્દશા અને વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.આ ઘટના બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક પાટડીની પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.જ્યાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ ગામના લોકો અને વાલીઓમાં રોષ અને ચિંતા ફેલાવી છે.

શાળાઓની ખરાબ હાલત

આ ઘટના એકવાર ફરીથી ગુજરાતની સરકારી શાળાઓની દયનીય હાલતને ઉજાગર કરે છે. ઝીંઝુવાડાની આ શાળામાં પંખો પડવાની ઘટના એ એક નાનું ઉદાહરણ છે કે કેવી રીતે જર્જરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોની ઘણી સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ જેમ કે મજબૂત બાંધકામ, નિયમિત જાળવણી, અને સલામત વીજળીની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે.

અગાઉ 20થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં બંધ કરી દેવાયા હતા

આ પહેલાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવી ઘટનાઓ સામે આવી છે. ઉદાહરણ તરીકે, ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીથી 20થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં બંધ કરી દેવાયા હોવાનો મામલો બહાર આવ્યો હતો, જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકોને નોટિસ ફટકારી હતી. આવી ઘટનાઓ શિક્ષણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ અને જવાબદારીના અભાવને દર્શાવે છે.

સલામતી અને જવાબદારીનો અભાવ

ઝીંઝુવાડાની આ ઘટનામાં પંખો પડવો એ શાળાના બાંધકામ અને જાળવણીની ઉણપને દર્શાવે છે. જૂના અને ખરાબ થયેલા પંખા, નબળી વીજળીની વ્યવસ્થા અને નિયમિત નિરીક્ષણનો અભાવ આવી ઘટનાઓનું મૂળ કારણ બની રહ્યા છે.

વાલીઓમાં ભારે રોષ

વાલીઓએ આ ઘટના બાદ શાળા તંત્ર અને સ્થાનિક વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો છે અને શાળાઓમાં સલામતીના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવાની માગ કરી છે.

શું સરકારી શાળાઓ બાળકો માટે સલામત નથી?

મહત્વનું છે કે, શાળામાં અવાર નવાર પોપળા ખરવા, તિરાડો પડવી, છત પડવી વગેરે ઘટનાઓ સામે આવે છે. પરંતુ તંત્રને જાણે કે બાળકોના જીવની કોઈ કિંમત જ ન હોય તેમ આ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. જેથી સવાલ થાય છે તંત્રની અને સરકારની બેદરકારીનો ભોગ માસુમ બાળકો ક્યાં સુધી બનશે? શું સરકારી શાળાઓ બાળકો માટે સલામત નથી?

શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે જરુરી પગલાં અનિવાર્ય

ત્યારે ફરીથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. સરકારી શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે જરુરી પગલાં અનિવાર્ય બન્યા છે. આ ઘટના એક ચેતવણી છે કે જો સરકારી શાળાઓની હાલતમાં સુધારો નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. સરકાર, શિક્ષણ વિભાગ અને સ્થાનિક વહીવટે આ બાબતે તાત્કાલિક પગલાં લઈને વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી કરવી જોઈએ.

આ પણ વાંચો:

Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

bihar: નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’, ફોટો અભિનેત્રી મોનાલિસાનો, હવે ટ્રેક્ટરને પણ મળ્યું રહેણાંક પ્રમાણપત્ર, કોણ કરી રહ્યું છે આવા ગોટાળા?

Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે

  • Related Posts

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading
    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
    • August 8, 2026

    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

    • August 9, 2026
    • 2 views
    RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

    Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ

    • August 9, 2026
    • 5 views
    Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ

    Tribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?

    • August 9, 2026
    • 6 views
    Tribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?

    Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

    • August 9, 2026
    • 8 views
    Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

    JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

    • August 9, 2026
    • 5 views
    JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

    Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં

    • August 9, 2026
    • 7 views
    Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં