બિહાર: સિવિલ કોર્ટ અને પ્રશાંત કિશોર વચ્ચે ચકમક; કોર્ટે શરતી જામીન આપ્યા પરંતુ પ્રશાંત લેવા તૈયાર નથી

  • India
  • January 6, 2025
  • 0 Comments

પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા જન સુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરની સોમવારે સવારે પોલીસે ધરપકડ કરી હતી. તેઓ BPSC ઉમેદવારોના સમર્થનમાં 2જી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી આમરણાંત ઉપવાસ પર હતા. પોલીસે તેમની અટકાયત કરીને આજે પટના સિવિલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

SDJM આરતી ઉપાધ્યાયની કોર્ટમાંથી રૂ. 25 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા હતા. કોર્ટમાં હાજર થવા દરમિયાન પ્રશાંત કિશોરે પોતે દલીલો કરી હતી. તેમણે ન્યાયાધીશને કહ્યું કે કેવી રીતે પોલીસ ક્રૂરતા આચરવામાં આવી હતી. કોર્ટે જામીન મંજૂર કર્યા છે, પરંતુ પ્રશાંત કિશોર શરતી જામીન લેવા તૈયાર નથી.

પ્રશાંત કિશોર પીઆર બોન્ડ પર સહી કરી રહ્યા નથી. અસલમાં કોર્ટે કહ્યું છે કે તમે ભવિષ્યમાં વિરોધ પ્રદર્શન કરી શકશો નહીં કારણે સામાન્ય લોકોને ફરીથી મુશ્કેલીનો સામનો કરવો પડે. ન્યાયાધીશ પોતાના નિર્ણય પર અડગ છે. સવારે 4 વાગ્યે પોલીસ બળજબરીપૂર્વક તેમને લઈ ગઈ હતી. જ્યારે ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- જ્યારે પીએમ મોદીની સ્પીચ વચ્ચે બંધ થઇ ગયું ટેલિપ્રોમ્પ્ટર; જૂઓ વીડિયો

શું છે BPSC એક્ઝામ અને લાઠીચાર્જની આખી ઘટના

બિહારનાં 912 કેન્દ્રમાંથી 911 પર 13 ડિસેમ્બરે BPSCની પરીક્ષા હતી. પટનામાં બાપુ પરીક્ષા ભવન નામનું કેન્દ્ર છે, ત્યાં એક્ઝામ પહેલાં જ પેપર લીક થયું ને હંગામો થયો. ત્યાર બાદ BPSC તંત્રએ કહ્યું હતું કે આ એક કેન્દ્રની પરીક્ષા રદ કરવામાં આવશે અને એક જ કેન્દ્રમાં પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પણ ઉમેદવારોએ ડિમાન્ડ કરી કે આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવામાં આવે, પણ BPSCએ તમામ પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માગને ફગાવી દીધી હતી.

જ્યાંથી પેપર લીક થયું હતું એ બાપુ પરીક્ષા ભવનમાં 4 જાન્યુઆરી 2025ના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં 12,000 ઉમેદવાર ફરીથી બેસશે. તેમાંથી 5000થી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લીધાં છે. આખા રાજ્યમાં 1957 જગ્યા માટે 4 લાખ 80 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. હવે મુદ્દો બિચક્યો છે એ કે તમામ સ્ટુડન્ટ્સ આનો વિરોધ કરી રહ્યા છે કે જે પેપર પર અમે પરીક્ષા આપી હતી એ જ પેપરમાં આ 12 હજાર ઉમેદવારો ફરીથી પરીક્ષા આપશે તો તેનો મતલબ શું? માટે આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવાવી જોઈએ.

આ પણ વાંચો-RAJKOT: ભાજપ MLA સામે સગી બહેને કર્યા ગંભીર આક્ષેપ, ભાઈએ બહેનને જેલમાં પુરાવી?

Related Posts

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!
  • April 21, 2026

Politics: ભારતમાં રાજકારણ એક એવું ફિલ્ડ છે જ્યાં કોઈ ઉંમરનો બાધ નથી જ્યાં કોઈ એજ્યુકેશન જરૂરી નથી અરે જેલમાં બેઠા બેઠા પણ ચૂંટણી લડી શકાય છે અને તગડો પગાર, VIP…

Continue reading
West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!
  • April 20, 2026

West Bengal: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગુજરાતમાંથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 3 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 21, 2026
  • 10 views
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • April 21, 2026
  • 5 views
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • April 21, 2026
  • 9 views
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

  • April 21, 2026
  • 6 views
Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ

  • April 20, 2026
  • 9 views
Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ