Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ

Ahmedabad Khokhara Bridge Demolition: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો અને લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહેલો ખોખરા બ્રિજ આખરે તોડવાનું શરુ કરાયું છે. આજથી એટલે કે 21 ઓગસ્ટ 2025થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને તબક્કાવાર તોડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.   42 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ તોડવા માટે 8 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ છે. હાલ આ પ્રોજેક્ટ માટે રૂ. 4 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, અને આગામી છ મહિનામાં આ બ્રિજ સંપૂર્ણ રીતે તૂટી જશે એવી અપેક્ષા છે. આ કામગીરી ખોખરા તરફના છેડાથી શરૂ કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ બ્રિજના ઉપરના ભાગનો ડામર રોડ તોડવાનું કામ હાથ ધરાયું છે. ત્યારે સવાલ એ થાય છે ભાજપના રાજમાં આટલો બધો ભ્રષ્ટાચાર કેમ છે. 42 કરોડના ખર્ચે બનેલા બ્રિજને તોડવાની નોબત કેમ આવી?

બ્રિજ તૂટવાથી લોકોને હાલાકી

ખોખરા બ્રિજ એ અમદાવાદના પૂર્વ વિસ્તારનું એક મહત્વનું જોડાણ છે, જે ખોખરા અને હાટકેશ્વર સહિત આજુબાજુના વિસ્તારોને શહેરના અન્ય ભાગો સાથે જોડે છે. જોકે, આ બ્રિજ લાંબા સમયથી તેની બાંધકામ ગુણવત્તા, જાળવણીના અભાવ અને સલામતીના મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યો છે. બ્રિજના બગડેલા ભાગો અને વારંવાર થતી ટ્રાફિક સમસ્યાઓએ નાગરિકો અને સ્થાનિક વહીવટને આ બ્રિજને તોડીને નવું બાંધવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા છે. આ નિર્ણયને લઈને નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં કેટલાક લોકો નવા બ્રિજની આશા રાખે છે, તો કેટલાકને તોડકામ દરમિયાન થનારી અસુવિધાની ચિંતા છે.

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બ્રિજને તોડવા માટે IIT ગાંધીનગર દ્વારા એક વિશેષ ડિઝાઇન પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રપોઝલના આધારે, બ્રિજના તોડકામની શરૂઆત ખોખરા તરફના છેડાથી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં બ્રિજના ઉપરના ભાગે આવેલો ડામર રોડ JCB મશીનરીની મદદથી તોડવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બ્રિજની બાજુઓનું તોડકામ શરૂ કરવામાં આવશે.

આ દરમિયાન, કાટમાળ અને ધૂળને નિયંત્રણમાં રાખવા માટે બ્રિજની આજુબાજુ ઊંચા પતરા અને ગ્રીન નેટ લગાવવામાં આવશે. આ વ્યવસ્થા ખાસ કરીને એ સુનિશ્ચિત કરશે કે બ્રિજનો કાટમાળ નીચેના રસ્તાઓ પર ન પડે અને ધૂળની સમસ્યા ઓછી થાય. બ્રિજના બંને તરફના સર્વિસ રોડને બંધ કરવા કે ખુલ્લા રાખવા અંગેનો નિર્ણય બાજુઓનું તોડકામ શરૂ થશે ત્યારે લેવામાં આવશે. જોકે, ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, જેથી તેઓ આવાગમન ચાલુ રાખી શકે.

આ બ્રિજને તોડવાનો કુલ ખર્ચ રૂ. 8 કરોડનો અંદાજવામાં આવ્યો છે, પરંતુ તોડકામ દરમિયાન નીકળતી રો-મટિરિયલ અને અન્ય વસ્તુઓ કોન્ટ્રાક્ટર કંપની ‘શ્રીગણેશ કન્સ્ટ્રકશન’ દ્વારા લઈ જવામાં આવશે. આના કારણે AMCને માત્ર રૂ. 4 કરોડનો ખર્ચ થશે. ‘શ્રીગણેશ કન્સ્ટ્રકશન’ને આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને તેમના દ્વારા તમામ જરૂરી મશીનરી પહેલેથી જ ઉતારી દેવામાં આવી છે. AMCના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટ આગામી છ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં, પૂર્ણ થઈ જશે.

AMCએ નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે ખાસ વ્યવસ્થાઓનું આયોજન કર્યું છે. બ્રિજની આજુબાજુ ગ્રીન નેટ અને પતરાઓ લગાવવાથી ધૂળ અને કાટમાળની સમસ્યા નિયંત્રણમાં રહેશે. ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે બ્રિજની આજુબાજુના રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવશે, જેથી સ્થાનિક લોકોનું રોજિંદું જીવન ખોરંભે ન પડે. જોકે, તોડકામના અગાઉના તબક્કાઓ દરમિયાન ટ્રાફિકમાં થોડી અસુવિધા થવાની શક્યતા છે.

આ પણ વાંચો:

Rajkot: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ ગગટાવ્યું, નોટમાં લખ્યું મારી ભૂલ હતી એને પ્રેમ કર્યો, જાણો સમગ્ર ઘટના

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 3 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 5 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 9 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા