Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’

  • India
  • August 29, 2025
  • 0 Comments

Rahul Gandhi:  બિહારમાં 28 ઓગસ્ટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને વોટ કૌભાંડ મુદ્દે આડે હાથ લીધા. રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં મોદીને વોટચોર કહ્યા.મોતિહારીમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, “જો હું વડાપ્રધાન ‘વોટચોર’ હોવાનું કહુ છું, તો તેઓ શા માટે ચૂપછે? શા માટે વડાપ્રધાન એક પણ શબ્દ બોલતાં નથી? ‘ કારણ કે મોદી વોટચોર છે, કારણ કે તે હવે જાણી ગયા છીએ કે અમે વોટ ચોરી પકડી પાડી છે.

સામાજિક અસમાનતાઓને અંગે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કોર્પોરેટ અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી. “ભારતમાં 500 મોટી કંપનીઓ છે. હું તમને પૂછવા માંગુ છું કે તેમાંથી કેટલી કંપનીઓમાં દલિત, આદિવાસી અથવા પછાત વર્ગના CEO છે?”

રાહુલે આરોગ્ય સંસ્થાના ખાનગીકરણની ટીકા કરતા કહ્યું, “જો કોઈ વ્યક્તિ બીમાર પડે અને તેને સારવારની જરૂર હોય, તો તેને સારવાર આપવાની ફરજ સરકારની છે, કોઈ ઉદ્યોગપતિની નહીં. બંધારણમાં એવું નથી કહેવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ બીમાર પડે, તો તેને લાખોનું બિલ આપો.”

રાહુલે પડકાર ફેંક્યો, “ખાનગી હોસ્પિટલોના માલિકોની યાદી કાઢો અને મને બતાવો કે તેમાંના કેટલા દલિત, આદિવાસી અથવા પછાત વર્ગના છે. તમે 90% છો પણ તમારી ભાગીદારી નહિવત છે.”

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં બિહારમાં 16 દિવસની ‘મતદાર અધિકાર યાત્રા’નો હેતુ મતદાર યાદીમાં કથિત થયેલી ગેરરિતીઓને ઉજાગર કરવાનો છે. જેને વિપક્ષી નેતાઓએ ‘મત ચોરી’ ગણાવી છે.

20 જિલ્લામાં 1,300 કિમીથી વધુની મુસાફરી કરતી આ યાત્રા 1 સપ્ટેમ્બરના રોજ પટનામાં સમાપ્ત થવાની છે. બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં થવાની છે, જોકે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ સત્તાવાર તારીખ જાહેર કરી નથી.

ભાજપ, જેડી(યુ) અને એલજેપીનું ગઠબંધન એનડીએ બિહારમાં પોતાનો કાર્યકાળ ચાલુ રાખવાનો ધ્યેય રાખે છે , જ્યારે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું સંગઠન ઇન્ડિયા બ્લોક નીતિશ કુમારને સત્તા પરથી દૂર કરવા મથામણ કરી રહ્યું છે. રહુલ ગાંધીએ હુંકાર કરતાં કહ્યું છે અમે સમગ્ર દેશમાંથી વોટચોરી પકડીશું. રાહુલ ગાંધીએ કહ્યુ મોદી ડરેલા છે.

હાલ બિહાર વિધાનસભામાં જેમાં 243 સભ્યો છે, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) 131 સભ્યો ધરાવે છે, જેમાં BJP પાસે 80 ધારાસભ્યો, JD(U) પાસે 45 ધારાસભ્યો, HAM(S) પાસે 4 ધારાસભ્યો અને 2 અપક્ષ ઉમેદવારોનો ટેકો છે.

વિપક્ષના ઇન્ડિયા બ્લોકમાં 111 સભ્યો છે, જેમાં RJD 77 ધારાસભ્યો સાથે આગળ છે, ત્યારબાદ કોંગ્રેસ 19 ધારાસભ્યો સાથે, CPI(ML) 11 ધારાસભ્યો સાથે, CPI(M) 2 ધારાસભ્યો સાથે અને CPI 2 ધારાસભ્યો સાથે બીજા ક્રમે છે.

આ પણ વાંચો:

 Rahul Gandhi on vote chori: રાહુલ ગાંધીની ‘મત ચોરી’ વિરુદ્ધ ઝુંબેશ, વેબસાઇટ અને નંબર કર્યા જાહેર, લોકોને કરી આ અપીલ

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal

UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…

BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત