દિલ્હી BJPને ઝટકો, મંદિરના આટલા પૂજારીઓ AAPમાં જોડાઈ ગયા

  • India
  • January 8, 2025
  • 1 Comments

વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બુધવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દિલ્હી 100 જેટલા પૂજારીઓ AAPમાં જોડાયા છે. આ અવસર પર કેજરીવાલે કહ્યું કે, આજે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે જગતગુરુ, મહામંડલેશ્વર, ઘણા સંતો અને મહાત્માઓ આપણા મંચ પર આવ્યા છે અને ઘણા સંતો અને પંડિતો આપણી સામે બેઠા છે. આજના કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠના ધર્મગુરૂઓ આપમાં જોડાયા છે. આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પુજારીગણ માટે સનાતન સેવા સમિતિની રચના કરી છે. આ કાર્યક્રમમાં વિવિધ મંદિર સંસ્થાનના પુજારીઓ, ધર્મગુરૂઓને આપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપ પાર્ટીએ આજે જાહેરાત કરી હતી કે, તે સનાતન સેવા સમિતિની શરૂઆત કરવા જઈ રહી છે. ભાજપના મંદિર સેલના 100થી વધુ લોકો કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા છે. દિલ્હીના તમામ પુજારી અમને સમર્થન આપી રહ્યા છે. અને અમને આશીર્વાદ આપી રહ્યા છે.

BJP મંદિર સેલના 100 પૂજારી AAPમાં જોડાયા

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં સનાતન સેવા સમિતિની બેઠક મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના મંચ પર ભગવો ધ્વજ અને હનુમાનજીની તસવીર જોવા મળી હતી. આ દરમિયાન ભાજપ મંદિર સેલના લગભગ 100 સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સમિતિ ઘણા જાણીતા ઋષિ-મુનિઓ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

પૂજારીઓએ ગ્રંથી સન્માન યોજના જાહેર કરી

આ પહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ વધુ એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તેમણે દિલ્હીના પૂજારીઓ અને ગુરુદ્વારામાં મંદિરોની સંભાળ રાખનારાઓને તેમના સન્માનમાં દર મહિને 18,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ‘પુજારી ગ્રંથી સન્માન યોજના’ લોન્ચ કરતી વખતે અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે તેમની દરેક જાહેરાતને રોકવાનો પ્રયાસ કર્યો છે. જો તેઓ આને પણ રોકવાનો પ્રયત્ન કરશે તો તેઓને ઘણું પાપ થશે.

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર