valsad: “આદિવાસી રત્ન” ભાજપી સાંસદના વલસાડમાં જીવના જોખમે થતી અંતિમક્રિયા

valsad: ભાજપ સરકાર દ્વારા વિકાસના બણગાં ફૂકવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે રાજ્યની વરવી વાસ્તવિકતા ફરી એક વાર સામે આવી છે જે સરકાર વિકાસના દાવાઓ પર લપડાક સમાન છે. એક તરફ મોદી એવું કહી રહ્યા છે કે, વિકાસમાં આપડી હરીફાઈ હવે અમેરિકા સાથે છે. ત્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. હાલમાં વલસાડના આદિવાસી વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અંતિમક્રિયા માટે જીવના જોખમે લોકો રસ્તો પાર કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

વલસાડમાં જીવના જોખમે થતી અંતિમક્રિયા

મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના કાઉચાલી ગામમાં કુમ્ભયાપાડા અને ભૌટણ ફળિયાના અંદાજે 1200 લોકોને પાયાની સુવિધાઓ પણ ન મળતી હોવાનું સામે આવ્યું છે. શરમજનક બાબત તો તે છે કે, અહીં ચોમાસામા કોઈનું મૃત્યુ થાય તો અંતિમયાત્રા પણ કેડ સમા પાણીમાંથી કાઢવી પડે છે અને ખાડીના ધસમસતા પ્રવાહમાં માનવ સાંકળ બનાવી રસ્તો પાર કરે છે.

રજૂઆત છતા કોઈ નિરાકરણ નહીં 

આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, આ મુદ્દે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. અને આ મુદ્દે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. ગામ લોકો માંગ કરી રહ્યા છે કે, જિલ્લા પંચાયત કે સંબંધિત વિભાગ દ્વારા એક નાનો કોઝવે, બ્રિજ અને પાકી સ્મશાન ભૂમિ બનાવવામાં આવે.

 આદિવાસી રત્ન એવોર્ડ મેળવનાર સાંસદ મોતનો મલાજો પણ જાળવી શકતા નથી

વલસાડમાં મૃતકની અંતિમક્રિયામાં પડતી અડચણો અંગેનો વિડીયો એક તરફ સામે આવ્યો છે તો બીજી તરફ જાણવા મળે છે કે, વલસાડના સાંસદ ધવલ પટેલને આદિવાસી રત્ન એવોર્ડ એનાયત કરાયો છે. ત્યારે તેઓ તો મોતનો મલાજો પણ જાળવી શકતા નથી. તેઓ પોતાના વિસ્તારમાં સ્મશાને જવા માટેનો રસ્તો પણ બનાવડાવી નથી શકતા. લોકો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે સાંસદને કેમ નથી દેખાતું કે પછી જોઈને પણ કેમ તેઓ તેને અવગણે છે શું તેમને લોકોની થોડી પણ પરવાહ નથી.

શું આદિવાસી વિસ્તારોમાં ચોમાસામાં મૃત્યુ પામવા પર મનાઈ ? 

આ બધું જોઈને લાગી રહ્યું છે કે, ગુજરાતના આદિવાસી વિસ્તારોનો વિકાસ કરવાનું ક્યારેય નહીં વિચારનાર ભાજપા સરકારે વર્ષોથી કદાચ નક્કી કરી લીધું છે કે, આદિવાસી વિસ્તારોમાં ચોમાસામાં મૃત્યુ પામવા પર મનાઈ ફરમાવવી જોઈએ. જો કે પ્રજાના ચહેરા પર દુઃખના નખોરીયા મારી સત્તાના મદનો આનંદ લૂંટતા નેતાઓને શરમ આવે તેવી આશા રાખવી એ જ શરમજનક ગણાય.

આ પણ વાંચો:  

India-Pakistan: ‘સિંધુ જળ સંધિ’ ભારતે મુલતવી કર્યા બાદ પાકિસ્તાન પાસે એના ઉકેલ માટે કયા વિકલ્પો બચે છે?

Meerut: નવી ટેરિફ નીતિ ઉદ્યોગો માટે શ્રાપ, નિકાસકારોને કરોડો રુપિયાનું નુકસાન

Ahmedabad: ડોક્ટરને જાંસામાં લેવા આખેઆખી નકલી કોર્ટ ઉભી કરી, 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 8 કરોડ ખંખેર્યા

chaitar vasava case: ‘ભાજપમાં જોડાવો નહીં તો જેલમાં રહો’ ભાજપની ચૈતર વસાવાને ખુલ્લી ઓફર!

Uttarakhand Cloudburst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં ભારે વિનાશ

Related Posts

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી
  • December 15, 2025

Injustice to farmers: ગુજરાતમાં કચ્છ સહિત જુદાજુદા જિલ્લાઓમાં વીજ કંપનીઓની દાદાગીરી સામે આવી રહી છે અને ખેડૂતોની પોતાના માલિકીના ખેતરોમાં પરવાનગી વગર ખેતરોમાં હાઈટેન્શન વીજલાઈન નાખવાની પેરવીથી ખેડૂતો ત્રસ્ત થઈ…

Continue reading
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
  • December 14, 2025

Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 3 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 5 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 6 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

  • December 15, 2025
  • 9 views
Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 16 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 16 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!