China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

  • World
  • August 31, 2025
  • 0 Comments

PM Modi visit China: ભારત-ચીનના સંબંધો વર્ષોથી ખડવાશ ભર્યા રહ્યા છે. 2017માં ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ અને 2020માં ગલવાન અથડાણ થયા બાદ બંને દેશોએ મોઢા ફેરવી લીધા હતા. જોકે ભારત સામે ટ્રમ્પે મોરચો માડતાં ભારત-ચીન હવે એકમેક થવા મથામણ કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં પહોંચ્યા છે. અહીં મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠકમાં PM મોદીએ કહ્યું કે ભારત પરસ્પર સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. મોદીએ કહ્યું કે 280 કરોડની વસ્તી અને માનવતા માટે બંને દેશોનો સહયોગ જરૂરી છે. જો કે સ્ક્રિપ્ટ વગર બોલતાં મોદી અહીં વાંચી વાંચીને બોલ્યા હતા.

મોદીએ કહ્યું, “ગયા વર્ષે કાઝાનમાં અમારી વચ્ચે ખૂબ જ સારી વાતચીત થઈ હતી. જેનાથી અમારા સંબંધોમાં સુધારો થયો હતો. સરહદ પરથી સૈનિકો પાછા ખેંચાયા પછી, શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે. સરહદ વ્યવસ્થાપન અંગે અમારા ખાસ પ્રતિનિધિઓ વચ્ચે એક કરાર થયો છે.”

ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ

નરેન્દ્ર મોદીએ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે , “કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ ફરી શરૂ થઈ રહી છે. બંને દેશોના 280 કરોડ લોકોના હિત આપણા સહયોગ સાથે જોડાયેલા છે. આનાથી સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ પણ ખુલશે.”

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ મોદીની વાત સાથે સંમત થયા અને કહ્યું કે બંને દેશો માટે સાથે આવવું મહત્વપૂર્ણ છે.

મોદીએ શી જિનપિંગને અભિનંદન આપ્યા

મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના ચીનના સફળ અધ્યક્ષપદ બદલ રાષ્ટ્રપતિ શી જિનપિંગને અભિનંદન પણ આપ્યા. પીએમ મોદીએ ચીનની મુલાકાત અને બેઠક માટે આમંત્રણ આપવા બદલ જિનપિંગનો આભાર પણ માન્યો.

મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ અને ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના તેમના નિર્ણયે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં હલચલ મચાવી દીધી છે. ઉલ્લેખનીય છે વિવાદ બાદ સાત વર્ષે મોદી ચીન પહોંચ્યા છે.

ડોકલામ

ડોકલામ વિવાદ એ ભારત, ભૂટાન અને ચીન વચ્ચેના ત્રિ-જંક્શન પર આવેલા ડોકલામ (ચીનમાં ડોંગલાંગ તરીકે ઓળખાય છે) નામના વિવાદિત પ્રદેશને લગતો ભૂ-રાજકીય મુદ્દો છે. આ વિવાદ 2017માં ખાસ ચર્ચામાં આવ્યો જ્યારે ચીનની સેનાએ ડોકલામમાં રસ્તો બનાવવાનું શરૂ કર્યું, જેનો ભારત અને ભૂટાને વિરોધ કર્યો.

ડોકલામ શું છે?

ડોકલામ એ ભૂટાન, ચીન (તિબેટની ચુંબી ખીણ) અને ભારતના સિક્કિમ રાજ્યની સરહદે આવેલું 269 ચો. કિ.મી.નું પઠાર છે. આ વિસ્તાર ભારતના સિલિગુરી કોરિડોર (“ચિકન્સ નેક”) ની નજીક છે, જે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડે છે. આ રણનીતિક રીતે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે, કારણ કે ચીનનું અહીં નિયંત્રણ ભારતની સુરક્ષા માટે જોખમ ઉભું કરી શકે.

વિવાદનું કારણ

ચીન કહે છે કે ડોકલામ તેમના ડોંગલાંગ વિસ્તારનો ભાગ છે, 1890ની બ્રિટિશ-ચીન સંધિના આધારે. ભૂટાન ડોકલામને પોતાનો ભાગ માને છે અને ચીનના રસ્તા નિર્માણને 1988 અને 1998ની સંધિઓનું ઉલ્લંઘન ગણે છે, જે યથાસ્થિતિ જાળવવાની વાત કરે છે. ભારત ભૂટાનના દાવાને સમર્થન આપે છે અને ડોકલામમાં ચીનની પ્રવૃત્તિઓને પોતાની સુરક્ષા માટે જોખમ તરીકે જુએ છે, જોકે ભારત પોતે ડોકલામ પર દાવો નથી કરતું.

2017 માં ભારત-ચીન વચ્ચે શું થયુ હતુ?

જૂન 2017માં ચીને ડોકલામમાં રસ્તો બનાવવાનું શરૂ કર્યું. ભૂટાને વિરોધ કર્યો, અને ભારતે ભૂટાનની વિનંતી પર તેના સૈનિકો મોકલી ચીનનું નિર્માણ રોક્યું. 73 દિવસના તણાવ પછી, 28 ઓગસ્ટ, 2017ના રોજ ભારત અને ચીન બંનેએ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી. જોકે, ચીને પછીથી ડોકલામમાં નવું નિર્માણ શરૂ કર્યું, જેમાં ચોકીઓ અને ગામો બનાવ્યા. જે ભારત અને ભૂટાન માટે ચિંતાનો વિષય છે. ભારત ડોકલામમાં ચીનની હાજરીને સિલિગુરી કોરિડોર માટે જોખમ તરીકે જુએ છે અને તેની સૈન્ય તૈનાતી અને માળખાકીય વિકાસ વધારી રહ્યું છે.

ગલવાના ઘાટી વિવાદ

ગલવાન ઘાટી વિવાદ એ ભારત અને ચીન વચ્ચે લદ્દાખની સરહદે આવેલી ગલવાન ઘાટીમાં થયેલ એક મહત્વનો ભૂ-રાજકીય અને સૈન્ય વિવાદ છે, જે ખાસ કરીને 2020માં ચર્ચામાં આવ્યો. આ વિવાદ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ના વિવાદિત વિસ્તારોને લગતો છે, જે ભારત-ચીન સરહદનો એક સંવેદનશીલ ભાગ છે.

ગલવાન ઘાટી શું છે?

ગલવાન ઘાટી એ લદ્દાખ (ભારત) અને ચીનના અક્સાઈ ચીન વિસ્તારની સરહદે આવેલી એક સાંકડી ખીણ છે, જે ગલવાન નદીની આસપાસ છે. આ વિસ્તાર ઊંચાઈવાળો અને દુર્ગમ છે, પરંતુ રણનીતિક રીતે મહત્વનો છે કારણ કે તે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ની નજીક છે અને ચીનના ઝિનજિયાંગ તેમજ ભારતના લદ્દાખને જોડે છે.

LACનો ઝઘડો

ભારત અને ચીન LACની ચોક્કસ રેખા અંગે સહમત નથી. બંને દેશો ગલવાન ઘાટીમાં પોતપોતાની રીતે દાવા કરે છે, જેનાથી તણાવ વધે છે. ચીન રસ્તા, ચોકીઓ અને સૈન્ય માળખું બનાવીને ધીમે ધીમે વિસ્તાર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે, જે ભારતને નથી ગમતું. 1962ના ભારત-ચીન યુદ્ધમાં ગલવાન ઘાટી મુખ્ય ક્ષેત્ર હતું, અને ત્યારથી આ વિસ્તાર વિવાદિત છે.

2020માં ગલવાન ઘાટીમાં અથડામણ

મે 2020માં ચીનની સેનાએ ગલવાન ઘાટીમાં LAC પર નવા નિર્માણો શરૂ કર્યા અને મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા. ભારતે પણ તેની સેના મોકલી. ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ. આમાં હથિયારોનો ઉપયોગ ન થયો, પરંતુ લાકડીઓ, પથ્થરો અને લોખંડના સળિયાથી હુમલા થયા. પરિણામે ભારતના 20 સૈનિકો શહીદ થયા. ચીનના 35-40 સૈનિકો માર્યા ગયા (ચીનના સત્તાવાર દાવા મુજબ 4 મૃત્યુ). આ ઘટનાએ ભારત-ચીન સંબંધોને ખૂબ અસર કરી. બંને દેશોએ વધુ સૈનિકો અને હથિયારો તૈનાત કર્યા.

હાલની સ્થિતિ (2025)

2020 પછી ભારત અને ચીન વચ્ચે અનેક રાઉન્ડની સૈન્ય અને રાજદ્વારી વાતચીત થઈ. કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચાયા, પરંતુ ગલવાન ઘાટીમાં હજુ તણાવ છે. ચીને ગલવાનમાં રસ્તા, પુલ અને ચોકીઓ બનાવી છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. ભારતે પણ LAC પર સૈન્ય, ડ્રોન અને અન્ય હથિયારોની તૈનાતી વધારી છે. દર્જીલિંગ-કાલિમ્પોંગ-લદ્દાખ રોડ જેવા માળખાકીય પ્રોજેક્ટ પર કામ ચાલે છે.

આ પણ વાંચો:

Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?

PM modi: સ્વીસ બેંકમાંથી કાળું ધન પાછુ લાવીશ, 2025માં કહ્યું મને કોઈ લેવા દેવા નથી, મોદી કેમ ફરી ગયા?

 

Related Posts

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?
  • May 4, 2026

Iran US Nuclear Proposal: ઈરાને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અમેરિકાને એક નવો ૧૪-મુદ્દાનો રાજદ્વારી પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાનો…

Continue reading
Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
  • May 2, 2026

Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત