Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ

  • India
  • September 4, 2025
  • 0 Comments

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે. આ બંધના કારણે બસ, ઓટો-ટેક્સી, અને કેટલીક રેલ સેવાઓ ખોરવાઈ છે આમ તો ભાજપ નેતાએ દાવો કર્યો હતો કે, સામાન્ય જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય તેનું ધ્યાન રાખવામાં આવશે, અને હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. પરંતુ, ભાજપ ખરેખરમાં આ બંધને પરાણે લોકો પર થોપી રહ્યું છે ભાજપના નેતાઓ હવે તો હદ કરી દીધી છે, બિહારમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા વાહનને અટકાવવામાં આવ્યું હતુ અને ભાજપ નેતાએ કહ્યું કે, મહિલાને આજે જ પીડા ઉપડાવાની હતી. આમ ભાજપ નેતાએ આવી સ્થિતિમાં પણ જે શરમજનક નિવેદન આપ્યું છે. ત્યારે બીજી તરફ વિદ્યાર્થીનીઓને પરીક્ષા પણ આપવા પણ જવા દેવામાં નથી આવી રહી. આમ ભાજપના નેતાઓ હવે તો રીતસરના ગુંડગીરી પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો બિહારમાં જોવા મળી રહ્યા છે. તેઓેએ બિહારને બંધ પાડવા માટે માનવતાને પણ સાઈડમાં મુકી દીધી છે જેના કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

બિહારમાં ભાજપના નેતાઓની ગુંડાગીરી

ભાજપનું આ બંધ એક રાજકીય ડ્રામા છે, જે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે, પરંતુ તેની કિંમત બિહારની જનતા ચૂકવી રહી છે. ભાજપ અને તેના સાથી પક્ષોએ આ મુદ્દાને ‘દેશની દરેક માતાનું અપમાન’ ગણાવી, રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાં પીસાઈ રહી છે. બિહાર બંધ દરમિયાન ભાજપના નેતાઓની ગુંડાગીરી સામે આવી છે.

ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા અટકાવી

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ભાજપ નેતાઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમણે ગર્ભવતી મહિલાને લઈ જતા વાહનને પણ અટાવ્યું હતું અને પ્રસુતા પીડાતાથી કણસતી રહી હતી ત્યારે ભાજપ નેતા આ વાહનને આગળ નથી જવા દેતા ત્યારે એક પત્રકાર અહીં આવે છે અને સવાલ કરે છે કે, આવું કેમ કરવામા આવી રહ્યું છે. ત્યારે તે જવાબ આપે છે કે, ડિલેવરી છે તે પહેલા ખબર નહોતી? પત્રકાર દલીલ કરે છે તો પણ નેતા દાદાગીરી કરતા રહે છે કે, વાહન આગળ નહીં જાય. પત્રકાર કહી રહ્યા છેો કે, હોસ્પિટલ પાસે છે તો પણ કેમ નથી જવા દેતા ત્યારે તે કહે છે કે, બિહાર બંધ કરીને પ્રધાનમંત્રીના માતાના અપમાનનો બદલો લેવામાં આવશે.

તેમને ખબર છે કે, 7 વાગ્યા પછી બિહાર બંધ છો તો પણ આવે છે ? ત્યારે પત્રકાર પણ કહે છે કે, ડિલેવરી ટાઈમ જોઈને થોડી થાય ત્યારે પણ નેતા તો પોતાની વાત પર અડગ રહે છે.

ભાજપ નેતાઓએ પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીઓને રોકી

બીજી તરફ ભાજપ નેતાઓએ પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીઓને પણ રોકી હતી. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે વિદ્યાથીઓને પરીક્ષાનો ટાઈમ હોવાથી તેને અટકાવાતા તે રડી રહી છે પરંતુ તેને જવા દેવામાં આવતી નથી. ત્યારે એક શખ્સ આ વીડિયોમાં કહી રહ્યો છે કે, ભાજપની સરકારમાં પણ જો રોડ જામ કરવાની જરુરત પડતી હોય તો મોદીને રાજીનામું આપી દેવું જોઈએ.

શું જનતા ભાજપની ગુંડાગીરી સહન કરીને મત આપશે ખરી?

આમ બિહારમાં મોદીની માતાના નામે ગંદી રાજનિતી ચાલી રહી છે તેમાં સામાન્ય જનતાનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. ભાજપના નેતાઓ ગર્ભવતી મહિલાને રોકીને કહે છે કે, આજે જ પીડા ઉપડવાની હતી ? ભાજપના નેતાઓ મોદીની માતાના અપમાન મુદ્દે વિરોધ કરે છે બીજી તરફ ગર્ભવતી મહિલા જે માતા બનવાની છે તેને હોસ્પિટલ જતા રોકે છે આવી કેવી ભાજપની સંવેદનશીલતા છે ? મોદીની માતા ભાજપ માટે માતા છે તો બીજાની માતા અને બહેન ભાજપ માટે શું છે ? ભાજપના નેતાઓ ગર્ભવતી મિહિલા સાથે આવું વર્તન કરે તો આનાથી વધારે શરમજનક શું હોય? આમ ભાજપના રાજકીય ડ્રામામાં સૌથી વધુ નુકસાન સામાન્ય જનતાને થઈ રહ્યું છે. ત્યારે હવે બિહારની જનતા આવું બધું ભોગવીને પણ ભાજપને મત આપશે ? તેવા સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
  • December 16, 2025

Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

Continue reading
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
  • December 16, 2025

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 7 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 6 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 18 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 16 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 11 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!