Telangana: લોરેન્સ બિશ્નોઈ સાથે ભગવાન રામની તસ્વીર, હિંદુ આસ્થાને ઠેસ પહોંચડાવાનું કાવતરુ કોનુ?

  • India
  • September 9, 2025
  • 0 Comments

Telangana Bhainsa viral video: તેલંગાણાના નિર્મલ જિલ્લામાં આવેલા ભૈંસા શહેરમાં 4 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી ગણેશ ચતુર્થીની શોભાયાત્રા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શોભાયાત્રા દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ્સ માફિયા તરીકે ઓળખાતા લોરેન્સ બિશ્નોઈના ફોટા ભગવાન શ્રીરામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના ફોટા સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. ભગવાન રામ સાથે ગણેશજીનું પણ આ મોટું અપમાન છે કારણ કે ગણેશજીની યાત્રામાં લોરેન્સ બિશ્નોઈના ફોટા પ્રદર્શિત કરવા કેટલું યોગ્ય કહેવાય?

શોભાયાત્રામાં વિવાદાસ્પદ પ્રદર્શન

સોશિયલ મિડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ગણેશ ચતુર્થીની શોભાયાત્રા, જે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનું પ્રતીક હોય છે, તેમાં લોરેન્સ બિશ્નોઈ જેવા વ્યક્તિના ફોટાનું પ્રદર્શન એ ચોંકાવનારો બનાવ બન્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે શોભાયાત્રામાં એક લાઈટિંગ બેનર પર લોરેન્સ બિશ્નોઈનો ફોટો મધ્યમાં મૂકવામાં આવ્યો હતો, જ્યારે તેની આજુબાજુ ભગવાન શ્રીરામ, નથુરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા હતા. આ બેનરે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી, કારણ કે લોરેન્સ બિશ્નોઈ એક એવી વ્યક્તિ છે, જેના પર ડ્રગ્સની હેરાફેરી, હત્યા અને ખંડણી જેવા ગંભીર આરોપો છે.

લોરેન્સ બિશ્નોઈ, ગેંગસ્ટરથી “હિન્દુ રાષ્ટ્રવાદી ડોન” સુધી

લોરેન્સ બિશ્નોઈ, જે હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, એક કુખ્યાત ગેંગસ્ટર છે, જેના નામે ભારત અને વિદેશમાં અનેક હાઈપ્રોફાઈલ હત્યાઓ અને ડ્રગ્સની હેરાફેરીના કેસ નોંધાયેલા છે. ગુજરાત એટીએસે તેની સામે 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે તેનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, તેના પર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાનો અને તેમના નિવાસસ્થાને હુમલાઓ કરાવવાનો આરોપ પણ છે.

આ ગંભીર ગુનાઓ છતાં, કેટલાક વર્ગો દ્વારા લોરેન્સ બિશ્નોઈને “હિન્દુ રાષ્ટ્રવાદી ડોન” તરીકે ગણાવવામાં આવે છે, જેના કારણે તેની છબી એક ધાર્મિક નેતા તરીકે રજૂ થઈ રહી છે. જોકે, આ ઘટનાએ તેની ગુનાખોરીની પૃષ્ઠભૂમિ અને ધાર્મિક ભાવનાઓના દુરુપયોગનો પ્રશ્ન ઉભો કર્યો છે.

ભગવાન રામ સાથે ગેંગસ્ટરના ફોટાનો વિવાદ

ભૈંસાની શોભાયાત્રામાં લોરેન્સ બિશ્નોઈના ફોટાને ભગવાન શ્રીરામના ફોટા સાથે જોડવું એ હિન્દુ ધર્મનને લાંચ્છન લગાડવા બરાબર છે.  ભગવાન રામ, જે હિન્દુ ધર્મમાં ન્યાય, ધર્મ અને સદાચારનું પ્રતીક છે, તેમની તસવીરને એક ગેંગસ્ટર અને ડ્રગ્સના વેપારી સાથે જોડવાથી ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ ઉપરાંત, નથુરામ ગોડસેનો ફોટો પણ આ બેનરમાં હોવાથી વિવાદ વધુ ઘેરો બન્યો છે, કારણ કે ગોડસે મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર હતા, જે ભારતીય ઈતિહાસમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ છે.  શોભાયાત્રાના આયોજક કોણ હતા, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું કહેવાઈ છે.

સોશિયલ મીડિયા પર રોષ અને પ્રતિક્રિયાઓ

વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઘણા ભક્તોએ આ ઘટનાને “ધર્મનું અપમાન” ગણાવ્યું છે અને શોભાયાત્રાના આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “ભગવાન રામની પવિત્રતા સાથે એક ગેંગસ્ટરની તસવીર જોડવી એ હિન્દુ ધર્મનું અપમાન છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.” અન્ય એક યુઝરે પ્રશ્ન ઉઠાવ્યો, “જે વ્યક્તિએ લાખો યુવાનોનું જીવન ડ્રગ્સની લતથી બરબાદ કર્યું, તેને ધાર્મિક નેતા તરીકે રજૂ કરવાનો હેતુ શું છે?”

Related Posts

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
  • August 8, 2026

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

Continue reading
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા
  • August 8, 2026

Rampur SP Controversy: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા સંબંધિત એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 2 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 3 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 6 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 3 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 6 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 7 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા