ગુજરાતની આ હોસ્પિટલમાં કર્યો મહિલા ડોક્ટરે આપઘાત, જાણો કારણ?

  • Gujarat
  • January 10, 2025
  • 0 Comments

સુરતમી નવી સિવિલમાં ઇન્ટર્ન ડોક્ટરે આપઘાત કરી લીધો છે. 24 વર્ષીય જાનવી નામની યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવતી  માનસિક તણાવમાં હતી

મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. યુવતીને ટેન્શન રહેતું હોવવાથી દવાઓ લેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીએ આપઘાત કરી લીતાં પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે.

 

ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ, તાજેતરનો  એક રિપોર્ટ

સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2024 સુધીના સમયગાળામાં 104 હેલ્પલાઇન ઉપર સૌથી વધુ માનસિક બીમાર 2977 વ્યક્તિઓએ કૉલ કરીને કાઉન્સિલિંગ લીધું. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી 2125 કૉલ નોંધાયા. સૌથી વધારે 36થી 45 વય જૂથના 2064 લોકોએ હેલ્પલાઇનની મદદ લીધી. ત્યારબાદ 25થી 35 વયજૂથના 1799 અને 16થી 24 વયજૂથના 588 લોકોએ કૉલ કર્યા જેમને આપઘાત ન કરવા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. હેલ્પલાઇનને કૉલ કરવામાં 69 ટકા પુરૂષો અને 31 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, શિક્ષણના કારણે આપઘાત કરવાનો વિચાર આવનાર 55 લોકોને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું હતું.

કેટેગરીકૉલ
માનસિક બીમારી2977
પરિવાર સંબંધિત1668
રોમેન્ટિક સંબંધો355
આર્થિક180
અન્ય113
મેડિકલ બીમારી78
શારીરિક/જાતિય સતામણી67
શિક્ષણ55
કુલ5493
(સ્રોત: 104 મેડિકલ હેલ્પલાઇન)

ભારતમાં 6 વર્ષમાં 9,92,535એ આત્મહત્યા કરી

ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કરી લીદ સરેરાશ દરરોજ 400થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે.  આર્થિક સમસ્યા બેરોજગારી, ગંભીર સમસ્યાઓ , ઘરની મુશ્કેલી, પ્રેમ પ્રકરણ જેવા કારણો આત્મહત્યા માટે જવાબદાર છે.

ગુજરાતમાં રોજ 24 લોકોનો આપઘાત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. એટલે કે ગુજરાતમાં દરરોજ 24 લોકો કોઈના કોઈ કારણે આત્મહત્યા કરે છે. આત્મહત્યા વધવાનાં સામાજિક પરિબળો ઓછી સહનશક્તિ, મોંઘવારી અને આર્થિક સંકડામણ, વધુ પડતી મહત્વકાંક્ષા, સમસ્યાના નિવારણ માટે ક્ષમતા ઓછી હોવી, તીવ્ર હરીફાઈ, ઈર્ષા અને દેખાદેખી, નશાકારક વસ્તુના સેવનમાં વધારો.

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચઃ હરિયાણાથી ભાવનગર જીલ્લામાં દારુની ડિલિવરી, ટ્રકચાલકની ધરપકડ

Related Posts

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
  • May 7, 2026

Surat Import-Export Scam: સુરત શહેર, જે કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યાં વેપારીઓને લલચાવીને છેતરવાનું એક નવું અને આધુનિક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે ઠગબાજો પણ ડિજિટલ હથિયારોનો…

Continue reading
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત
  • May 7, 2026

Sohrabuddin encounter case: ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રમાં વર્ષો સુધી ચર્ચાના કેન્દ્રમાં રહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2018માં સ્પેશિયલ સીબીઆઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

  • May 7, 2026
  • 3 views
Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

  • May 7, 2026
  • 6 views
Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

  • May 7, 2026
  • 8 views
Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

  • May 7, 2026
  • 10 views
Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

  • May 7, 2026
  • 8 views
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 9 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર